Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

21 October 2020

કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં ડિપ્રેશન વધારે

કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં ડિપ્રેશન વધારે

શરમ છોડી વાત કરવાથી પ્રભાવમાંથી મુકત થવાશેઃ ૧૩થી ૧૫ વર્ષની વયમાં ચાર પૈકી એક બાળકને ડિપ્રેશન

અમદાવાદ,તા.૨૪: કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થા વચ્ચેનો તબક્કો છે. આ જ ગાળામાં પુખ્તતા અનુભવવામાં આવે છે. એમાં ટીનેજર્સ, ખાસ કરીને કિશાર છોકરીઓમાં ઘણાં માનસિક અને શારીરિક ફેરફારો આવે છે. જો કે, કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ નોંધાયું છે. કશોરાવસ્થામાં પોતાની લાગણીઓને જાહેર કરવાની અક્ષમતાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે અને કિશોરો સાઇકિયાટ્રિકની મદદ લેવા ઇચ્છતાં નથી. પરંતુ ડિપ્રેશન વિશે શરમ છોડીને વાત કરવાથી અને આ સ્થિતિનાં ચિહ્નો અને લક્ષણો વધુ સારી રીતે સમજીને આ સમસ્યાને અટકાવી શકાય છે એમ અત્રે માનસિક સ્વાસ્થ્ય વિશે વધારે જાગૃતિ લાવવા માટે નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનાં કન્સલન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડો.ગોપાલ ભાટિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા ડિપ્રેશન છે. વર્ષ ૨૦૧૭નાં ડબલ્યુએચઓનાં રિપોર્ટ મુજબ, ૧૩થી ૧૫ વર્ષની વયજૂથમાં ચાર બાળકોમાંથી એક બાળક ડિપ્રેશનથી પીડિત છે. એવું જોવામાં આવ્યું છે કે, આ વયજૂથમાં છોકરાઓ કરતા છોકરીઓમાં આ સમસ્યા વધુ છે, કારણ કે તેઓ પોતાની લાગણીઓને દબાવી રાખે છે. ઘણીવાર ડિપ્રેશન કે ચિંતાનાં ચિહ્નો અસ્પષ્ટ હોય છે એટલે એનું મોડેથી નિદાન થાય છે. જો વહેલાસર નિદાન થાય, તો જરૂરી સારવાર મેળવી શકાશે એટલે ચિહ્નોને ઓળખવા અને તેને સમજીને સારવાર કરાવવી મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર સમયસરની સારવાર માઠા પરિણામોથી બચાવી લેતી હોય છે એમ ડો.ગોપાલ ભાટિયાએ ઉમેર્યું હતું.

ડિપ્રેશનને લઇ ફેરફારો.....

૧૪ વર્ષની વયે માનસિક સમસ્યાઓ શરૂ

કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થા વચ્ચેનો તબક્કો છે. આ જ ગાળામાં પુખ્તતા અનુભવવામાં આવે છે. એમાં ટીનેજર્સ, ખાસ કરીને કિશાર છોકરીઓમાં ઘણાં માનસિક અને શારીરિક ફેરફારો આવે છે. જો કે, કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ નોંધાયું છે. કશોરાવસ્થામાં પોતાની લાગણીઓને જાહેર કરવાની અક્ષમતાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે અને કિશોરો સાઇકિયાટ્રિકની મદદ લેવા ઇચ્છતાં નથી.

સંવેદનાત્મક ફેરફારો

અંતઃસ્ત્રાવોથી કિશોર છોકરીઓનાં શરીરની સાથે એમની સંવેદનાને પણ અસર કરે છે. કિશોર છોકરીઓ તેમની કામગીરીને લઈને ઘણીવાર મૂંઝવણમાં હોય છે તથા પુખ્તવયની વ્યક્તિ તરીકે વિકાસ અને બાળક તરીકે એમની ઇચ્છાઓ તરીકે તેમની જવાબદારીઓ વચ્ચે ગૂંચવણમાં હોય છે. તેઓ વધારે પડતી લાગણીશીલ (આ માટે અંતઃસ્ત્રાવો જવાબદાર હોય છે) બની જાય છે. કંઈપણ બાબત અને દરેક બાબત તેમને ખુશ અને રોમાંચિત કરી શકે છે, ઉદાસી લાવી શકે છે કે ગુસ્સો લાવી શકે છે. કિશોર છોકરીઓ સરળતાથી રડી પડે છે. તેમનાં મૂડમાં સરળતાથી ફેરફાર થાય છે.

વર્તણૂંક અને શારીરિક ફેરફારો

મગજમાં વિકાસ સાથે સંબંધિત નોંધપાત્ર ફેરફાર કિશોરોને મૂડી બનાવે છે, તેમને થાક લાગે છે. કેટલીક વાર સાથીદાર કિશોરોનું દબાણ અને તેમની સાથે ફિટ રહેવાની જરૂરિયાત તેમને ચોક્કસ પ્રકારનાં વર્તન તરફ દોરી શકે છે અથવા મુશ્કેલીથી દૂર કરી શકાય એવી ચોક્કસ આદતો વિકસી શકે છે.

માનસિક સમસ્યાઓ

સંશોધનોમાં ખુલાસો થયો છે કે, પુખ્તોની આશરે ૫૦ ટકા માનસિક સમસ્યાઓ ૧૪મા વર્ષે શરૂ થાય છે. હકીકતમાં કિશોરાવસ્થામાં થતાં એક તૃતિયાંશ મૃત્યુ તણાવને કારણે થાય છે. કિશોરાવસ્થામાં સૌથી સામાન્ય માનસિક સમસ્યાઓમાંની એક સમસ્યા તણાવ છે. કિશોરાવસ્થાનો તણાવ અને દબાણ ચિંતા સાથે સંબંધિત સમસ્યાઓ સર્જી શકે છે, ત્યારે મૂડમાં ફેરફાર સમસ્યા વિકાર તરફ દોરી શકે છે અથવા બળવાની ભાવના જન્માવી શકે છે.

No comments:

Post a Comment