Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

26 May 2019

નિષ્ફળતા – એક નવી શરૂઆત



નિષ્ફળતા – એક નવી શરૂઆત

                દસમાં અને બારમાં ધોરણના પરિણામો આવી ગયા. ધીરે ધીરે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી ગ્રેજ્યુએશન ફેકલ્ટીના પરિણામો પણ આવવા લાગ્યા છે. ઘણા બાળકો ખુબ સફળ થયા છે. તેઓએ કેવી રીતે સફળતા મેળવી તેના ઈન્ટરવ્યું લેવાય છે અને વિવિધ મીડિયામાં ફોટા સાથે તે આવે છે. તેમના ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે.


               ઘણા બાળકોએ ધાર્યું પરિણામ મેળવ્યું નથી. તેમના ઘરોમાં કોઈ આનંદ નથી. તેમના ઘરોમાં સમાજમાંથી વડીલોના કે સગાઓના કોઈ ફોન આવતા નથી. તેમને અને તેમના પેરેન્ટ્સને તેમનું સંપૂર્ણ જીવન નિષ્ફળ ગયું હોય તેમ લાગવા લાગે છે. હવે આપણે એક આશ્ચર્યજનક સર્વેક્ષણ જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં ખુબ સફળ અને વિશ્વવિખ્યાત થયેલી દસમાંથી નવ વ્યક્તિઓ ભણવામાં નિષ્ફળ ગઈ હતી. માની ના શકાય તેવું આ સત્ય છે જેને બીજી રીતે વિચારીએ તો સફળ દસ વ્યક્તિઓમાંથી નવ વ્યક્તિઓને પોતાના જીવનકાળ દરમ્યાન ભણવાના ક્ષેત્રમાં ક્યાંકને ક્યાંક ભયંકર નિષ્ફળતા સાંપડી હતી.


              ભણવામાં તો ઘણા બધા નિષ્ફળ જાય છે તો પછી એવું તો શું થાય છે કે નિષ્ફળ વ્યક્તિઓમાંની જુજ વ્યક્તિઓ જ પછીથી પોતાના ક્ષેત્રમાં અકલ્પ્ય સફળતા મેળવે છે? આજ સંદેશો આજે મારે ધાર્યું પરિણામ નહીં મેળવેલ ટીનએઈજર્સને આપવો છે. પહેલું તો કોઈ એક ધોરણમાં સફળતા મેળવનાર કે નિષ્ફળતા મેળવનાર બાળકોનું સમગ્ર જીવન સફળ કે નિષ્ફળ નથી થઈ ગયું હોતું. તેમના સમગ્ર જીવનનો કોઈ એક ભાગ સફળ કે નિષ્ફળ થયો છે. નિષ્ફળતા એ કોઈ ચોક્કસ ધોરણમાં, કોઈ ચોક્કસ સંજોગોમાં અને કોઈ ચોક્કસ સમયમાં બનેલી એક ઘટના છે, તેને સમગ્ર જીવન સાથે જોડી દેવાની જરૂર નથી.

          ઓછા માર્કસને લીધે પછી જે કોઈ લાઈનમાં કે જે કોઈ સંસ્થામાં તક મળે ત્યાં દિલ લગાવીને, તૂટી પડીને કામ કરવું જોઈએ. જે લોકો મળેલી નિષ્ફળતાને પચાવી તેમાંથી કઈક નવું શીખી, ફરી તેવી ભૂલ નાં થાય તેનું ધ્યાન રાખી હવે મળેલ તકમાં પોતાની સમગ્ર શક્તિ લડાવી દે છે તે લોકોના સમય અને સંજોગો ચોક્કસ બદલાતા હોય છે જે તેઓને સફળતાની પગદંડી તરફ દોરી જાય છે. અસફળ બાળકોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે હંમેશા નિષ્ફળતામાં નાસીપાસ થયા વિના કરેલા પ્રયત્નો જ નવું પરિવર્તન લાવે છે.

          ભલે સફળ બાળકોની ઓળખ દુનિયાને તરત થઈ જતી, નિષ્ફળ બાળકોને દુનિયાને ઓળખવાની એક વધુ તક મળે છે તેમ સમજવું. આગળ વાત કરી તેમ દસમાંથી નવ વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિઓએ ક્યારેય સફળ વ્યક્તિઓના સંદર્ભો પોતાના જીવનમાં હંમેશ માટે વણ્યા નથી હોતા પણ પોતાની નિષ્ફળતામાંથી જ ભૂલ સુધારવાનું અને હવે મળેલ તકમાં પોતાની સર્વ શક્તિ લગાવી દેવાનું કામ કર્યું હોય છે.

           ૧૯૭૪માં ‘ઈમ્તેહા’ નામનાં હિન્દી પિકચરમાંના એક ગીત ‘રુક જાના નહીં તું કહીં હાર કે કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે…..’ ગીતમાં આજના ટીન એઈજ બાળકો માટે એક સુંદર સામજિક સંદેશ હતો કે, ‘જીવનમાં હારને લીધે કદી ક્યાંય રોકાશો નહીં. તમારી આ કઠિન પરીક્ષાના સમયમાં તમે એટલી મહેનત કરો કે સુરજ પણ તમારી સામે ઝુકી જાય.’ ઈશ્વર નિષ્ફળ બાળકોને જીવનના આ તબક્કે તેમને કદાચ હજુ સફળ બનાવવા નથી ઈચ્છતો પણ તેમને હજુ જીવનના મુલ્યો વધુ શીખવી હજુ વધુ પરિપકવ બનાવી પછી સફળતાના ફળ આપવા ઈચ્છતો હશે. નિષ્ફળ બાળકોએ નિષ્ફળતાને પૂર્ણવિરામ કે જીવનનો અંત સમજવો નાં જોઈએ પણ તેમણે પોતાના પરિણામને સહર્ષ સ્વિકારી નવી પદ્ધતિથી નવા રસ્તાથી પોતાનું કામ કરવું જોઈએ.

         ફરી મળેલ કોઈ પણ પ્રકારની તક માટે નિષ્ઠાથી અને પવિત્રતાથી કરેલું કાર્ય ચોક્કસપણે સફળતાના સર્વોચ્ચ શિખર તરફ દોરી જશે. જીતનારા કદી મેદાન છોડતા નથી અને હારવાની શક્યતા સાથે મેદાનમાં ઉતારનારા કદી જીતતા નથી. નિષ્ફળ બાળકના આ સમયને સાચવી લેવાની એક તક માતાપિતાને પણ મળી હોય છે જે તેમણે સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવવી જોઈએ.

               સદી મારનાર ક્રિકેટરે તેણે રમેલા બધાજ બોલ પર ચોક્કા કે છક્કા નથી માર્યા હોતા તેની ઈનિંગમાં ઘણા ડોટ બોલ પણ હોય છે. હંમેશા તેની સમગ્ર ઇનિંગનું જ મૂલ્યાંકન થતું હોય છે. કોઈ એક સમયે સતત નિષ્ફળ જતા ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને એક સમયે લાગ્યું હતું કે હવે તેનામાં રહેલું ક્રિકેટ પૂરું થઇ ગયું છે. તેણે તે વખતના આપણા કોચ ગેરી કર્ટસનને ‘મારે બદલે હવે કોઈ બીજાને તક આપો’ તેમ વાત કરી. ગેરી કર્ટસને તેને રન કરતાં બોલ પર ધ્યાન આપવા કહ્યું અને પછીની ઈનિંગમાં ૧૦૦ બોલ્સ રમી બતાવવા પડકાર ફેંક્યો. પછીની ઈનિંગમાં જ વિરેન્દ્ર સહેવાગે ૧૦૧ બોલ રમી ૧૨૬ રન બનાવ્યા હતા.

           આમ, જીતનારા હાર કે નિષ્ફળતાને જીવનનો અંત નથી માની લેતા પણ તેમાંથી કઈક બોધપાઠ લઈ અલગ પદ્ધતિથી ફરીથી કામ ચાલુ કરી દેતા હોય છે. ‘failure is the step towards success’. લગભગ ૧૫૫ વર્ષ પહેલા અબ્રાહમ લિંકને કહેલા આ વાક્યને ટીનએઈજ બાળકોએ જીવનના દરેક તબક્કે યાદ કરવું

- DR. ASHISH CHOKSHI

25 May 2019

ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ

 ધોરણ: -૧૨  બોર્ડ પરીક્ષા સામાન્ય પ્રવાહનું પરિણામ  ... 

ધો .૧૨  સામાન્ય પ્રવાહના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 

             
           
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૨૫ મેં ૨૦૧૯ નાં રોજ શનિવારે સવાર 8 વાગે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.





 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. હાલમાં જ ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ



24 May 2019

SCHIZOPHRENIA AWERENES DAY


SCHIZOPHRENIA AWERENES DAY




           વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક..આ બને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે..! અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બની બહાર આવે છે..વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન માનોવિકૃતી.

              વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે..!

            આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા..! તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો..તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસીન રેહવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજન ને મારી નાખવાની વાતો કર્યાં રાખે..!

     આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણો નો ઉલ્લખે જોવા મળ્યો અને જાણવાં કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પેહલા આ રોગ શરૂ થયેલો હતો..!

વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે..
1) તત્ (id)
2) અહમ્ (ego)
3) ઉપરી અહમ્ (super ego )

            આ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી 'અહમ્' ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ ત રંગો કે જે બાલ્યાવસ્થા ને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી..!!

24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.

              આજના સમયમાં માણસ મગજ ઉત્તમ કરવા લાગ્યો છે પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી..આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારો છો કે.." હાય હાય લોકો શું કહેશે..." , " મારે કોઈ તબીબની જરૂર નથી.." અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્ય ની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!

                આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની રાખે..................... આપણું ભાવિ પાંગળું બનતા અટકે............આપણી આસપાસ શારીરિક......માનસિક........આધ્યત્મિક.....આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!

સારવાર કરતા સાવચેતી સારી...🙏

                                                   -HIRAL JAGAD             

21 May 2019

ધોરણ - ૧૦ પરિણામ

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ  ... 

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



                 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૦ ના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૨૧ મેં ૨૦૧૯ નાં રોજ મંગળવારે સવાર 8 વાગે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. હાલમાં જ ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                                            - ડો.જીજ્ઞેશ વેગડ


17 May 2019

આંતરસુઝ

આંતરસુઝના પ્રોયોગ જેવો વિડીયો 

                   કોહાલારના આંતરસૂઝના  પ્રયોગમાં એક લાકડીવાળા પ્રયોગને મળતો આવતો એક વિડીયો અહીં રજુ કર્યો છે. જે જોવાથી વિદ્યાર્થીને પ્રયોગ વિશેની સમાજ સ્પષ્ટ થશે.



16 May 2019

TAT Secondary 2019 Result Declared


         State Examination Board (SEB), Gujarat, Teacher Aptitude Test (Secondary) (TAT-Secondary) Result Declared 2019


      State Examination Board (SEB) , Gandhinagar has published Result Of TAT-Secondary Exam.This Exam Was Taken By SEB On 27th January,2019.
TAT Secondary 2019 Result

‌    State Examination Board (SEB) of Gujarat has announced the Gujarat TAT Result 2019 on 16th May, 2019. The Result has been declared through online mode only. Result is displayed on the official website that is http://gujarat-education.gov.in  After successfully conducting the Gujarat TAT Secondary 2019 exam, SEB has released the Gujarat TAT Secondary Exam Result 2019. Before the announcement of final result, Answer Key is issued on the official website. Candidates had already got an estimation of their probable score for Gujarat TAT Secondary Exam Result 2019 through the Answer Key. The Result for Gujarat TAT secondary Exam 2019 contains status of qualifying or not qualifying the exam. With the help of this article, applicants will be able to gain all the necessary information about the Result of Gujarat TAT Secondary 2019.


Exam Name: Teachers Aptitude Test ( Secondary) (TAT-Secondary).

TAT Secondary 2019 Result

Result Notification:  CLICK HERE



Exam Date: 27-1-2019

પેટનો દુઃખાવો માનસિક પણ હોય


05 May 2019

ફિલ્મ સમીક્ષા - "એક વિલેન"

        ek villain



          એક વિલેનની સ્ટોરી સાધારણ છે. પણ ફિલ્મના દમદાર પાત્ર અને મોહિત સૂરીના સારા પ્રદર્શનને કારણે ફિલ્મ જોતી વખતે સમય સારી રીતે કપાય જાય છે. આ ફિલ્મ કોરિયન મૂવી 'આય સા ધ ડેવિલ"(2010) થી પ્રેરિત છે. જેમા ભારતીય દર્શકોની પસંદ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે.


      ફિલ્મમાં એક હીરો એક હીરોઈન અને એક વિલન છે જેમની આસપાસ બોલીવુડની મોટાભાગની કોમર્શિયલ ફિલ્મો ફરે છે. એક પાત્રે એવુ છે જેનુ મોત નિકટ છે અને મરતા પહેલા તે પોતાની કેટલીક ઈચ્છાઓ જેવી કે વરસાદમાં મોરનુ નૃત્ય જોવુ, એક દિવસ માટે પ્રસિદ્ધ થવુ કોઈની જીંદગી બચાવવી વગેરે પૂરી કરવા માંગે છે તે આશાવાદી છે. મોહિત સૂરીનુ પ્રસ્તુતિકરણ શ્રેષ્ઠ છે. તેમણે ફ્લેશબેકનો સારો ઉપયોગ કર્યો છે. ફિલ્મ અતીત અને વર્તમાનમાં સતત જમ્પ કરતી રહે છે. મોહિતે પોતાના પાત્રોને ઝીણવટોથી સમજ્યા અને તેમની મનોદશાને સ્ક્રીન પર સારી રીતે રજૂ કર્યા. તેમના સારા નિર્દેશનને કારણે જ ફિલ્મ બાંધી મુકે છે. એક ગુંડાના જીવનમાં પ્રેમનુ આગમન અને તેના માનસિક વિચારો બદલવાના અહેસાસને સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. 



          જ્યા સુધી સ્ક્રિપ્ટનો સવાલ છે તો કેટલીક ખામીયો છે જેવી કે વિલેન સુધી ફિલ્મનો હીરો ખૂબ જ સહેલાથી પહોંચી જાય છે. ગાંડાની હોસ્પિટલમાંથી એક વૃદ્ધને ભગાવવાનો સીન કમજોર છે. હોસ્પિટલમાં રિતેશ અને સિદ્ધાર્થની ફાઈટવાળો સીન હાસ્યાસ્પદ છે. આનાથી વધુ ચર્ચા નથી કરી શકાતી કારણ કે સસ્પેંસ ખુલી શકે છે. 

         આઈટમ સોંગની ફિલ્મમાં કોઈ જરૂર નહોતી. કારેલા પર લીમડો ચઢી ગયો હોય એવુ ત્યારે લાગ્યુ જ્યારે આ આઈટમ ગીતમાં પ્રાચી દેસાઈ જેવી ઠંડી અભિનેત્રી જોવા મળી. 

            પ્રોમો અને પ્રચાર દ્વારા ફિલ્મ થ્રિલર હોવાનો આભાસ કરાવે છે. પણ આ ફિલ્મને થ્રિલર કહેવી ખોટી હશે કારણ કે સસ્પેંસ પણ નથી કે વિલન સુધી પહોંચવા માટેની ભાગાદોડી પણ નથી. બધુ જ સ્પષ્ટ છે કે કોણ વિલન છે અને કેમ તે આ બધુ કરી રહ્યો છે. 

         ફિલ્મનુ સંગીત અને પાર્શ્વ સંગીત પ્રસ્તુતિકરણને દમદાર બનાવે છે. મોહિતની ફિલ્મોનુ સંગીત આમ પણ કાયમ હિટ રહ્યુ છે. કહેવાય છે કે તેમના ઘરે જો કરોડો રૂપિયા લઈને ફિલ્મ નિર્માતા આવી જાય તો મોહિત તેમને મળવાનો સમય નથી આપતા પણ જો કોઈ સ્ટ્રગરલ મ્યુઝિશિયન કે સિંગર આવી જાય તો તેઓ તેને તરત જ મળી લે છે. અંકિત તિવારી, મિથુન અને સોચ બૈંડે સારૂ કામ કર્યુ છે અને ગલિયા.. બંજારા જરૂરત જેવા ગીત મધુર બનાવ્યા છે. 

             એંગ્રી યંગ મેનના પાત્રમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જામ્યા છે. તેનુ જે લૂક છે તે પાત્ર પર સૂટ કરે છે. શ્રદ્ધા કપૂરે બબલી ગર્લનો રોલ ભજવ્યો છે. કેટલાક દ્રશ્યોમાં તેના અભિનયનો પ્રયત્ન જોવા મળે છે તો કેટલાક દ્રશ્યમાં તે સહજ છે. રિતેશ દેશમુખ એક લાંબા સમય પછી આવા રોલમાં જોવા મળ્યા. જેમા તેને કોમેડી નહોતી કરવાની અને રિતેશે પોતાના પાત્ર સાથે પુરો ન્યાય કર્યો છે. આ ત્રણેયને છોડીને બીજા કલાકારોની પસંદગી સારી રીતે નથી કરાઈ. આમના શરીફ, રેમો ફર્નાડિસ, પ્રાચી દેસાઈ પોતપોતાની ભૂમિકા સાથે ન્યાય નથી કરી શક્યા. વગેરે પૂરી કરવા માંગે છે તે આશાવાદી છે.