Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 January 2021

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.): વ્યસનમુક્તિ તરફ એક ડગલુ

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.): વ્યસનમુક્તિ તરફ એક ડગલુ


“મારા પિતા પણ આલ્કોહોલીક્સ હતા. હું સમજણૉ થયો ત્યારથી મે દારુ પીવાનો શરુ કરી દિધો હતો. શરુઆત માં મિત્રો સાથે પીતો. પરંતુ ધીમે ધીમે આ વ્યસન વધવા લાગ્યું. હું દિવસનો દોઢ બોટલ કોરો દારુ પિતો હતો, કોઇ જ સોડા કે પાણી મિક્ષ કર્યા વિના જ. મારી પાર્ટી કદિ પુરી ના થતી. ઘરે થી દારૂ પીને કોઇ પાર્ટી માં ગયો હોઉ, ત્યા પણ દારુ પીઉ અને પાછા ઘરે આવીને પણ્. મને નશો જ ચડતો ના હતો. બેંક માં નોકરી હતી મારી. શરુઆત માં તો હું નોકરી ના સમયે કદી નશો ના કરતો, ઘરે આવી ને જ પીતો પણ આ લાંબુ ના ચાલ્યું હું દારુ વિના રહી જ શકતો ના હતો. હાથ પગ ધૃજવા લાગે. એક વિચિત્ર પ્રકારની બેચેની થવા લાગે. દારુ પીધા પછી જ શાંતી થાય. પછી એ દિવસ પણ આવ્યો કે જ્યારે હું દારુ વિના એક ક્ષણ પણ રહી શકતો ના હતો. સવારે ઉઠતાવેત જ મારે દારુ જોઇએ. દારુ પીને કામ પર જવાનુ શરુ કર્યુ. અને ત્યા પ્રોબ્લેમ થતા મારી નોકરી પણ છુટી ગઇ. પણ હું લાચાર હતો દારુ સામે. ઘરે થી પૈસા ચોરી ને કે પત્નીના ઘરેણા વેચીને પણ હું દારુ ની વ્યવસ્થા કરી લેતો. રોજ ઘરે પણ ઝઘડા થાય. પત્ની સાથે મારામારી થાય. મારે બસ કદાચ જીવન માં એક જ વસ્તુ જોઇતી હતી દારુ. કદાચ બીજા કોઇ ની મને કદર પણ ના હતી અને બીજા કોઇ વિષે વિચારવાની હાલત માં પણ હું ના હતો. દારુ ના નશામાં હું ગળાડુબ હતો.” વિક્રમભાઇ આલ્કોહોલ એનોનીમસ ની મીટીંગ માં બોલી રહ્યા હતા.

“એક દિવસ વહેલી સવારે આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ ની જાહેરાત મારા પત્ની એ છાપામાં વાચી. અને મને એ મીટીંગ માં જવા કહ્યુ. બહુજ ગુસ્સામાં હતી તે એ વખતે. મારી નશામુક્ત થવાની કદાચ બધીજ આશાઓ તેણે છોડી દીધી હતી. આજ થી બરોબર ૮ વર્ષ પહેલા ૨૫મી એપ્રીલ ૨૦૦૫ ના દિવસે મે આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ મેં પહેલી વખત એટેંડ કરી.”

આલ્કોહોલ એનોનીમસ (એ. એ.) એ એક અજ્ઞાત શરાબી જુથ છે. આ ગૃપના લોકો અન્ય વ્યક્તીઓને દારુ થી દુર રહેવામાં મદદરુપ થાય છે. તેની મીટીંગ દર અઠવાડીએ એક વખત ચોક્કસ મળે છે. કોઇપણ આલ્કોહોલીક વ્યક્તી જે દારુ થી દુર રહેવા માગતી હોય તે આ મીટીંગમાં ભાગ લઇ શકે છે. એ. એ. ની સ્થાપના ઇ.સ. ૧૯૩૫ માં બીલ વિલ્સન અને ડો. બોબ સ્મીથ નામના વ્યક્તીઓ એ કરી હતી. આ સંસ્થા સાથે આજે આશરે ૩૦ લાખ જેટલા લોકો સંકળાયેલા છે. અને દારુ સામે જુથ બનાવી સંઘર્ષ કરી રહ્યા છે.

આલ્કોહોલ એનોનિમસ ની મીટીંગ મા દરેક વ્યક્તી પોતાની ઓળખ એક દારુડીયા તરીકે આપે છે. એ.એ. ના દરેક સભ્યો એક પછી એક એમ પોતાની ઓળખ આપી રહ્યા હતા.

“મારું નામ સંજય છે. હુ એક દારુડીયો છુ.”

“મારું નામ પ્રવીણ છે. હું એક દારુડીયો છુ.”

“એ દિવસે મેં પહેલીવાર સ્વિકાર્યું કે હું એક દારુડીયો છુ. અને મારી ઓળખ એક દારુડીયા તરીકે આપી. મેં મારી આસપાસ એક સંરક્ષણ નું કવચ બનાવી લીધેલુ કે હું કંઇ દારુ નો વ્યસની નથી. અને હું જ્યારે ધારું ત્યારે દારુ છોડી શકું છુ. અને દરેક દારુડીયાને આ કવચ જ તેના વ્યસનમુક્ત થવા માટૅ સૌથી વધુ અવરોધરુપ બનતુ હોય છે. જ્યારે એ. એ. મા તમે તમારી ઓળખ જ એક દારુડીયા તરિકે આપો છો. જે તમારા આ કવચ ને તોડવાનું કામ કરે છે.” વિક્રમભાઇ એ જણાવ્યું.

જેવીરીતે મિત્રો સાથે દારુનુ વ્યસન લાગી જાય છે એવી જ રીતે એ. એ. એ દારુ છોડવા માગતા કે દારુ છોડી ચુકેલા લોકો નું એક ગૃપ છે. જે પોતાના અનુભવો ના આધારે અન્ય વ્યક્તીઓને દારુ થી દુર રહેવામાં મદદ કરે છે. પોતે એક દારુના વ્યસની છે તથા દારુ ના વ્યસન સામે પોતે અસહાય છે એ હકીકત નો સ્વીકાર તેમને ફરીથી પોતે બનાવેલ સંરક્ષણ ના કવચ માં જતા રોકે છે. અને દારુ નુ વ્યસન છોડવાન તેમના મનોબળ ને મક્કમ કરવાનું તથા ટકાવી રાખવાનું કામ કરે છે.

વળી, આ ગૃપ ના સભ્યો એક-બીજા ના સતત સંપર્ક માં રહેતા હોય છે. ક્યારેક કોઇ સભ્ય શરુઆત ના તબક્કામા દારુ ની તિવ્ર તલપ નો અનુભવ કરે તો તે અન્ય સભ્ય નો સંપર્ક કરી શકે છે. અને આ પરિસ્થીતીનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન મેળવી શકે છે. આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તદન નિઃસ્વાર્થભાવે પોતે દારુ થી દુર રહેવા અને અન્યો ને પણ દારુ થી દુર રહેવામાં મદદ કરવાના શુભ હેતુ થી આ એ. એ. ની કામગીરી કરતા રહે છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

28 January 2021

ચયાપચય ક્રિયા

ચયાપચય એ જીવનને ટકાવવા માટે, જીવંત કોષોમાં થતી રસાયણિક પ્રતિક્રિયાઓની શૃંખલાઓ છે.આ પ્રક્રિયા અવયવોનાં વિકાસ અને પુનઃઉત્પાદન,તેની સંરચનાઓને ટકાવી રાખવા તથા તેના વાતાવરણને અનુકુળ થવા માટે જરૂરી છે.

25 January 2021

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા



બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે બાળક ત્રણ વર્ષનુ થતા સુધીમાં પેશાબ પર કાબુ મેળવે છે, પરંતુ જો બાળક પાંચ વર્ષની ઉંમર સુધીમાં પણ પેશાબ પર કાબુ ના મેળવે તો તે “નોક્ચર્નલ એન્યુરેસિસ” તરિકે ઓળખાતી સમસ્યા કહેવાય છે જેની સારવાર દ્વારા બાળક નોર્મલ બાળકો માફક પેશાબ પર કાબુ ઘરાવતુ થાય છે. પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં તેનુ પ્રમાણ ૧૫-૨૦% માલુમ પડ્યુ છે પરંતુ દુર્ભાગ્યે આપણા સમાજમાં તે અંગેની યોગ્ય માહિતીના અભાવે મોટાભાગના કેસોમાં તેની યોગ્ય વૈજ્ઞાનિક ઢબે સારવાર થતી નથી.

વિજય ની ઉંમર અઢાર વર્ષની છે તે બાળપણથી જ રાત્રે ઉંઘમાં પેશાબ થવાની સમસ્યા ધરાવે છે. તે નાનો હતો ત્યારે “હજુ બાળક છે, આજે શિખશે- કાલે શિખશે” કરી મા-બાપે તેના પર ધ્યાન ના આપ્યુ. શરુઆત માં દરરોજ રાત્રે ઉંઘમાં થતા પેશાબ પર થોડો ફાયદો થતા હવે અઠવાડીયે એક કે બે વખત તો હજુ પણ થઇ જાય છે. અરે નાના ભાઇને સમયસર ચાર વર્ષ આસપાસ પેશાબ પર કાબુ આવી ગયો પણ વિજયને તો આ સમસ્યા ઠેરની ઠેર જ રહી. હવે વિજયે બારમુ ધોરણ સાયન્સ સાથે પાસ કરી ઇજનેરીમાં પ્રવેશ મેળવ્યો છે અને તેને હોસ્ટેલમાં આગળ અભ્યાસ અર્થે જવાનુ છે. ત્યાં અન્ય વિધ્યાર્થીઓ સમક્ષ તે મજાક ને પાત્ર બને છે આથી તે સંકોચ સાથે સારવાર માટે મનોચિકિત્સક નો સંપર્ક કરે છે.

આવુજ કંઇક રુઢિચુસ્ત પરિવારમાં ઉછરેલી રેશમા સાથે બને છે. લગ્ન બાદ પણ પથારીમાં પેશાબ ની સમસ્યા રહેતા સાસરીમાં તે ટીકાને પાત્ર બને છે અને ઝધડાઓ વધી જતા તેને પિયર થોડો સમય મોકલવામાં આવે છે, આ દરમિયાન તેની મનોચિકિત્સક ના માર્ગદર્શન હેઠળ સારવાર શરુ કરવામાં આવે છે.

આપણેે એવુ માનીએ છીએ કે બાળકો અને તરુણોમાં પેશાબની સમસ્યા એ માત્ર એક રાત્રે પથારી ગંદી થવાથી ઉત્પન્ન થતી અગવડતા-સુગ પુરતીજ સિમીત છે અને તે ઉંમર જતા ઠીક થઇ જશે. અને ઘણા કેસોમાં એવુ બને છે પણ ખરુ. પરંતુ એવા ઘણા કેસો પણ છે જેમા આ સમસ્યા કુદરતી રીતે ઠીક થતી નથી અને ઉંમર વધતા વિજય કે રેશમા જેવા પરિણામો રહે છે. આ ઉપરાંત રાત્રે પથારીમાં પેશાબની સમસ્યા ઘરાવતા બાળકો માં ચિંતારોગ, ઉદાસીરોગ, આત્મવિશ્વાસ નો અભાવ, લઘુતાગ્રંથી, અતિશરમાળપણુ જેવી સમસ્યાઓ જોવા મળે છે. વળી તે અન્ય બાળકો માફક નિઃસંકોચ પણે અન્ય સગાઓ ના ઘરે રાત્રી રોકાણ તેમજ રાત્રી પ્રવાસ વગેરે કરી શક્તા નથી. વારંવાર થતા આવા ભેદભાવ તેમજ મજાક ના લીધે બાળક્ના સર્વાંગી વિકાસ પર અસર પડે છે. ઘણી વખત બાળકો પરિક્ષા કે અન્ય સ્પર્ધામાં પોતાની ક્ષમતા અનુસાર યોગ્ય પ્રદર્શન કરી શક્તા નથી.

“નોક્ચર્નલ એન્યુરેસિસ” અર્થાત બાળકો તથા તરુણોમાં રાત્રે પેશાબની સમસ્યામાં મનોચિકિત્સકની દેખરેખ હેઠળ દવાઓ તેમજ “બેલ અને એલાર્મ સિસ્ટમ” તરિકે એળખાતી સારવાર પધ્ધતીનો ઉપયોગ થાય છે. આ સારવારનો સિધ્ધાંત રાત્રે ઉંઘમાં જ્યારે મુત્રાશ્ય (પેશાબની કોથળી) ભરાઇ રહે ત્યારે વ્યક્તિની ઉંઘ ઉડી જવી જોઇએ જેથી તે બાથરુમ માં પેશાબ કરી ફરી સુઇ શકે. જ્યારે નોક્ચર્નલ એન્યુરેસિસ બિમારી સમયે વ્યક્તિની ઉંઘ ના ઉડતા રાતે પથારીમાંજ પેશાબ થઇ જતો હોય છે જેના પર કાબુ મેળવી શકાય છે.

ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: ratnaniclinc@gmail.com

24 January 2021

મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય


મનુષ્યમાં ઉદભવતાં કાલ્પનિક ભય

મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભયને વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે

સંબંધ

ભય

ઊંઘ

હિપ્નોફોબિયા

અસફળતા

કાકોરાફિયા ફોબિયા

થાક

કોપો ફોબિયા

કોઢ

લેપ્રો ફોબિયા

ગાંડપણ

મેનિયા ફોબિયા

ગર્ભવતી

માઈમુસીઓ ફોબિયા

ગંદકી

માઈસો ફોબિયા

પગે ચાલવું

બાસી ફોબિયા

ઊંડાઈ

બૈથો ફોબિયા

ઠંડુ

કાઈમાટો ફોબિયા

રંગ

ક્રોમેટો ફોબિયા

સહવાસ

કોશિનો ફોબિયા

કુતરો

માઈનો ફોબિયા

ગતિ

કાઈનેટિકો ફોબિયા

આંખ

ઓમ્મેટો ફોબિયા

સ્વપ્ન

ઓમેએરો ફોબિયા

સાપ

ઓફિયો ફોબિયા

બાળક

પેડી ફોબિયા

ખાધ

ફેગો ફોબિયા

દવા

ફાર્મકો ફોબિયા

ભય

ફોબો ફોબિયા

પ્રાણી

ઝુ ફોબિયા

સંબંધ

ભય

દુર્ઘટના

ટ્રાઉમેટો ફોબિયા

રાત્રી

અચીલુઓ ફોબિયા

ધ્વની

અકાઉસ્ટીકો ફોબિયા

પીડા

અલ્ગો ફોબિયા

ઉંચાઈ

અલ્ટો ફોબિયા

ધૂળ

એમાથો ફોબિયા

સંગીત

મ્યૂઝિક ફોબિયા

મૃત્યુ -મૃતદેહ

નેક્રો ફોબિયા

વાદળ

નેફો ફોબિયા

બીમારી

નોસેમાં ફોબિયા

રોગ

નાસો ફોબિયા

ગંધ

ઓલ્ફેકટો

વરસાદ

ઓમ્બો ફોબિયા

વિદ્યુત

ઇલેક્ટ્રો ફોબિયા

કીડી-મકોડા

એન્ટોમો ફોબિયા

એકાંત

એરીમેટો ફોબિયા

સેક્સ

ગેનો ફોબિયા

મહિલા

ગાઈનો ફોબિયા

બોલવું

હેલો ફોબિયા

સુખ

હેડોનો ફોબિયા

પાણી

હાઈડ્રો ફોબિયા

સ્ત્રોત: જીકે ગુજરાત બ્લોગ

20 January 2021

અલ્ઝાઈમર મગજ અને તેની કામગીરીને કેવી રીતે અસર કરે છે

 

અલ્ઝાઈમર મગજ અને તેની કામગીરીને કેવી રીતે અસર કરે છે

અલ્ઝાઈમર સાથે સંકળાયેલા મગજને લગતા ફેરફારો વ્યક્તિને લક્ષણોનો અનુભવ થાય તે અગાઉ એક દાયકા અથવા વધારે સમયથી શરૂઆત થઈ શકે છે.

- અલ્ઝાઈમરના શરૂઆતી લક્ષણો બિલકુલ સામાન્ય હોય છે, જેમ કે નવી જે માહિતી શીખવામાં આવે છે તેને યાદ કરવામાં મુશ્કેલી પડે, તાજેતરની વાતચીત, ઘટનાઓ અથવા લોકોના નામ યાદ કરવામાં મુશ્કેલી પડે છે

માનવીના મગજનું વજન ત્રણ પાઉન્ડ જેટલું જ હોય છે, તેમ છતાં આપણા શરીરમાં વપરાતી કુલ ઊર્જા પૈકી 20 ટકા ઊર્જાનો મગજ દ્વારા વપરાશ કરવામાં આવે છે. માનવીના મગજને વિશ્વના સૌથી જટિલ માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવીના મગજનો ભાગ ખૂબ જ નાજુક હોય છે. આંતરિક અને બાહ્ય આઘાત શરીરના આ અંગને નુકસાન કરી શકે છે અને તેની કામગીરીને ક્ષતિ પહોંચાડી શકે છે.એક વખત તેને નુકસાન પહોંચી જાય એટલે તેની કાળજી લેવી મુશ્કેલ બની જાય છે. જ્યારે જીવનના નિત્યક્રમ પ્રવૃત્તિ પણ મુશ્કેલ બની જાય છે ત્યારે તેને આપણે ચિતભ્રમ કે ડિમેન્શિયા તરીકે ઓળખીએ છીએ. અલ્ઝાઈમરનો રોગ ચિતભ્રમ અથવા ડિમેન્શિયાનું સૌથી સામાન્ય કારણ છે, જે તમામ કારણો પૈકી 70-80 ટકા જેટલું જવાબદાર હોય છે. અલ્ઝાઈમર એક પ્રગતિશીલ રોગ છે, તે મગજના એક ભાગથી બીજા ભાગમાં પૂર્વ ધારણા પ્રમાણે આગળ વધે છે. અલ્ઝાઈમર મગજના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે, જે રોગના સામાન્ય લક્ષણો માટે કારણો હોઈ શકે છે. ભારતમાં અલ્ઝાઈમર તથા ડિમેન્શિયાને લગતા અન્ય સ્વરૂપના રોગનો આશરે 4 મિલિયન કરતાં વધારે લોકો ભોગ બનેલા છે. વિશ્વમાં આ પ્રકારના કેસ ધારવતા ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમે છે. વર્ષ 2030 ના અંત ભાગ સુધીમાં ડિમેન્શિયા અને અલ્ઝાઈમર ધરાવતા દર્દીની સંખ્યા લગભગ 7.5 મિલિયન પહોંચી જાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે દર્દીઓમાં ખૂબ જ બારીક અસ્થિભંગનું નિદાન કરવામાં આવે છે અથવા તો તેની સારવાર કરવામાં આવે છે. મોટાભાગના ભારતીયો ચોક્કસ બિમારીના લક્ષણ મળવાને બદલે વધતી ઉંમર એટલે કે વૃદ્ધાવસ્થાને લીધે યાદશક્તિ ગુમાવી દે છે. વર્ષ 2017ના વૃદ્ધાવસ્થાને લગતા એક અહેવાલ પ્રમાણે ભારતમાં ત્રણ ટકાના ઝડપી દરથી વૃદ્ધી પામી રહેલી વૃદ્ધોની વસ્તીમાં અલ્ઝાઈમરનો બોજ વધી શકે છે. ભારતમાં 60 વર્ષની ઉંમરે પ્રાથમિક રીતે દર્દીઓમાં આ રોગ જોવા મળતો હોય છે. ટાઉ પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીન ચેતાતંતુની અંદર નિર્માણ પામી શકે છે.

મગજમાં ફેરફારોઃ છેલ્લા પાંચ વર્ષમાં જે સંશોધન થયા છે તેમા અલ્ઝાઈમર વખતે મગજમાં શું ખોટું થઈ રહ્યું છે તે અંગે વધારે ઉંડાણપૂર્વકની જાણકારી પ્રકાશમાં આવી છે. પ્લેક્સની ઉપસ્થિતિ વધે છે, જે ચેતાકોષો વચ્ચે ચોક્કસ જગ્યાનું નિર્માણ કરે છે તેમાં પ્રોટીન જમા થાય છે અને આ સ્થિતિમાં તે મગજમાં આ રોગની શરૂઆત કરે છે અને પ્લેક્સની સંખ્યા સાથે તેમા વધારો થાય છે, જે ચેતાતંતુઓ વચ્ચેના સંપર્કને અટકાવી શકે છે. ચેતાતંતુઓ વચ્ચે સંપર્ક ગુમાવવાનું જારી રહે છે ત્યારે એક એવો તબક્કો આવે છે કે જ્યારે તે મગજના ભાગોમાં લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતા નથી અને તેને લીધે ધીમે ધીમે યાદશક્તિને અસર થવા લાગે છે. આ સંજોગોમાં ચેતાતંતુઓ ધીમે ધીમે નાશ પામવા લાગે છે. વધારે પ્રમાણમાં ચેતાતંતુઓનો નાશ થવાથી તર્ક, ભાષા અને વિચાર કરવાની કૌશલ પર પ્રતિકૂળ અસર થવા લાગે છે. ધીમે ધીમે મગજની પેશીઓ સંકોચાવા લાગે છે.

અલ્ઝાઈમર સાથે સંકળાયેલા મગજને લગતા ફેરફારો વ્યક્તિને લક્ષણોનો અનુભવ થાય તે અગાઉ એક દાયકા અથવા વધારે સમયથી શરૂઆત થઈ શકે છે. અલ્ઝાઈમરના શરૂઆતી લક્ષણો બિલકુલ સામાન્ય હોય છે, જેમ કે નવી જે માહિતી શીખવામાં આવે છે તેને યાદ કરવામાં મુશ્કેલી પડે, તાજેતરની વાતચીત, ઘટનાઓ અથવા લોકોના નામ યાદ કરવામાં મુશ્કેલી પડે છે. અલબત દરેક વ્યક્તિને શરૂઆતમાં યાદશક્તિને લગતી સમસ્યા હોતી નથી, અને કેટલાક લોકોના વર્તણુકમાં ફેરફાર થાય છે, ભાષાને લઈ મુશ્કેલી અનુભવે છે અથવા જોવામાં પણ મુશ્કેલી અનુભવે છે.

અલ્ઝાઈમરના નજીવાથી મધ્યમ સ્વરૂપને લગતા લક્ષણોમાં આ બાબતનો સમાવેશ થાય છેઃ નિવેદન અને પ્રશ્નોને લઈ સતત પુનરાવર્તન કરવું, જે વાતચીત, એપોઈન્ટમેન્ટ અથવા ઘટનાઓને ભૂલી જવાય છે, અને બાદમાં તેને ફરી યાદ કરી શકાતી નથી, વસ્તુઓને અયોગ્ય સ્થાન પર રાખવામાં આવે છે, અનુકૂળ જગ્યાઓ ભૂલી જવાય છે, તમારા પ્રિયજનો તથા દૈનિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુના નામ ભૂલી જવાય છે. કોઈ વસ્તુને શોધવા, વિચારોને અભિવ્યક્ત કરવા અથવા વાર્તાલાપમાં ભાગ લેવા જરૂરી નામ વારંવાર યાદ કરવું પડે. જેમ કે રસોઈ અને મનપસંદ રમત રવી, તથા સ્નાન કરવાનું અથવા તૈયાર થવાનું ભૂલી જવાય છે.

અલ્ઝાઈમર ઉદાસીનતા, હતાશા, અનિંદ્રા, અન્યોની ખલેલ પહોંચવાથી, આભાસ અને ભ્રમણા, ગુસ્સો, આંદોલન અને આક્રોશતા, રહેઠાણો ગુમાવવાથી, મનના આવેગો, સામાજીક બહિષ્કાર, ભટકવાથી વગેરે જેવા મૂડ અને વર્તણૂકના લક્ષણોને લીધે પણ થાય છે. જે લોકો પ્રાથમિક તબક્કામાં અલ્ઝામર ધરાવે છે તેમના મગજની સક્રિયતાને નુકસાન થવાનો તેમ જ તેમની કાળજી માટે અન્યો પર સદ્દંત્તર આધાર રાખતા હોય તેવો અનુભવ કરે છે.

અલ્ઝાઈમર માટે કોઈ એક તપાસ નથી ત્યારે ડોક્ટરો સ્ટ્રોક, ટ્યુમર્સ, થાઈરોડની અસમતુલા અથવા વિટામીનની ઉણપ જેવા લક્ષણોની તપાસ કરી શકે છે કારણ કે તે યાદશક્તિ તથા ગ્રહણ શક્તિને પણ અસર કરી શકે છે. ડોક્ટરો દર્દીના સંતુલન, સ્નાયુની મજબૂતી તથા કો-ઓર્ડિનેશનને લગતું મૂલ્યાંકનથી શારીરિક તપાસ કરી શકે છે તેમ જ મેમરી, લેંગ્વેજ તથા બેઝીક મેથ સ્કીલને લગતા ન્યુરોસાઈકોલોજીકલ તપાસ પણ કરી શકે છે. આ તમામ દર્દીના મેડિકલ ઈતિહાસની સમીક્ષા કરવા સાથે ડોક્ટર પરિવાર અથવા મિત્રોને લગતો સરવે પણ કરી શકે છે,જેના આધારે તેઓ દર્દીની વર્તણુક અને વ્યક્તિગત ફેરફારોને ધ્યાનમાં લે છે.

અલ્ઝાઈમરનો કોઈ જ ઈલાજ નથી, પરંતુ આ રોગના કેટલાક લક્ષણોની સારવાર કરવા માટે કેટલીક દવાઓ ઉપલબ્ધ છે. કેટલાક દર્દીઓને વર્તણૂક સંબંધિત લક્ષણોને નિયંત્રિત કરવા એન્ટીડિપ્રેસન્ટ્સને લગતી દવા આપી શકાય છે. નિષ્ણાતોના મતે દવાઓ ઉપરાંત જીવનશૈલીને લગતા પરિબળો જેવા કે શારીરિક, માનસિક અને સામાજીક રીતે સક્રિય રહેવું તે મગજને તમામ રીતે મદદરૂપ બની શકે છે. ફળો, શાકભાજી અને આખા ધાનથી ભરપૂર ભોજન, માછલી, પોલ્ટ્રી અને ડેરી ઉત્પાદનો પણ મધ્યમ પ્રમાણમાં મદદરૂપ બની શકે છે.

ડો. રાખિલ યાદવ (ન્યુરો ફિઝિશિયન)

17 January 2021

ભારતમાં માનસિક રોગો વિશે ભિન્ન વિચારો – વિજ્ઞાન જાથા

ભારતમાં માનસિક રોગો વિશે ભિન્ન વિચારો – વિજ્ઞાન જાથા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જિલ્લા પંચાયત રાજકોટ, તાલુકા પંચાયત લોધિકા, ગ્રામ પંચાયત નગરપીપળીયાના સહયોગથી શ્રી જે. એચ. ભાલોડિયા વિમેન્સ કોલેજ ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજનાનો શ્રમ, આરોગ્ય, સફાઈ, ગ્રામજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગ્રામજનો જનસમાજ, છાત્રાઓમાં અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં માનસિક રોગો, માનવીનું અસામાન્ય વર્તન સંબંધી ભિન્ન વિચારો – ભ્રમણાઓ સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશમાં શારીરિક રોગો વિશે જાગૃતિ જોવા મળે છે ત્યારે માનસિક રોગો વિશે અજ્ઞાનતા સાથે અંધશ્રધ્ધા, ભૂત, પ્રેત, વળગાડ, છાયો વગેરે ભિન્ન માન્યતા જોવા મળે છે તેના દાખલા આપવામાં આવ્યા હતા. 

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનો સંબોધતા જણાવ્યું કે ભારતમાં માનસિક રોગો વિશે તદ્દન ભિન્ન વિચારો – ભ્રમણાઓ જોવા મળે છે તેમાં આપણી અજ્ઞાનતા ઉપર પ્રકાશ પાડયો હતો. લોકો શારીરિક રોગો – તકલીફો વિશે જાગૃત છે. જયારે માનસિક રોગો વિશે તદ્દન જુના વિચારો બતાવી ભુવા, ભારાડી, મુંજાવરો, અવૈજ્ઞાનિક ઉપચાર કરતા જોવા મળે છે તેનું દુઃખ વ્યકત કર્યુ હતું. આપણા દેશમાં માનસિક અવસ્થાઓ, માનસિક રોગો વિશે સામાન્ય પ્રજા તો સાવ અજ્ઞાત-અજ્ઞાન છે. માનવીનું અસામાન્ય વર્તનમાં કશું જ બહારનું છે તેવી માન્યતા રાખી ખોટા ઉપચાર કરે છે. માનસિક દર્દીને અસહ્ય પીડા, માર મારવામાં આવે છે. કાયમી અપંગ બનાવી મૃત્યુની સમિપ લાવે છે તેમાં જાગૃતિનું કામ જાથા દાયકાઓથી કરે છે. અમુક કટાર લેખકો ભૂત-પ્રેત, ડાકણના વિચિત્ર કિસ્સાઓ રજૂ કરી અગોચરની વાત મૂકી અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરે છે તેની ઝાટકણી કાઢી હતી. અમુક લેખકો પોતે જ અંધશ્રધ્ધાળુ હોવાના કારણે ખોટા વિચારો – ભ્રમણા ફેલાવે છે. રાજય – કેન્દ્ર સરકાર વૈજ્ઞાનિક મિજાજ – અભિગમ કેળવવામાં ઓરમાયુ વર્તન રાખે છે. તેનાથી અંધશ્રધ્ધાનો વ્યાપ વધે છે.


01 January 2021

આજનો નવો રોગ ‘ક્રોનિક-ફટિગ-સિન્ડ્રમ’


આજનો નવો રોગ ‘ક્રોનિક-ફટિગ-સિન્ડ્રમ’


આજના સમયમાં ‘થાક’ એક મોટી સમસ્યા બની રહ્યો છે. આ જ કારણથી શક્તિ-સ્ફૂર્તિ આપતી દવાઓની માગ વધી છે અને તે ખૂબ વેચાઈ રહી છે. સ્ફૂર્તિ આપતા સપ્લિમેન્ટ્સ, પીણાં વગેરે પણ ખૂબ વેચાઈ રહ્યા છે. શરીરમાં સતત રહેતા થાકને ‘ક્રોનિક ફટિગ સિન્ડ્રમ’ એટલે કે સીએફએસ કહે છે.

સી.એફ.એસ.નો ભોગ બનેલી વ્યક્તિ તીવ્ર થાકનો અનુભવ કરે છે. શરીરમાં જાણે ચેતન જ ના હોય એવો અનુભવ તેના દર્દીને થાય છે. તેને કોઈ કામ કરવું ગમતું નથી અને તે આખો દિવસ બેઠેલો જોવા મળે છે. દર્દી ચિંતાતુર, ચીડિયો અને નર્વસ રહે છે. તેના મૂડ્સ સતત ઉપર-નીચે થતાં રહે છે. જેથી તે વ્યક્તિ ઘરમાં કે ઓફિસમાં આપખુદ બની જાય છે.

સી.એફ.એસ.નો એક દર્દી આ તકલીફનું વર્ણન કરતાં કહે છે, ”એઈડ્સ અને સી.એફ.એસ.માં એક જ ફરક છે. એઇડ્સમાં દર્દી મરી જાય છે જ્યારે આ તકલીફમાં દર્દી મોત માગે છે.” આજના સમયમાં મોટા ભાગના લોકો માનસિક રીતે વિક્ષિપ્ત હોય છે. જેઓ નથી તેઓ ટૂંક સમયમાં જ બની જશે તેમાં કોઈ શક નથી. શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે વિક્ષિપ્ત થયેલી વ્યક્તિ ભાવનાત્મક રીતે પણ નબળી પડી જાય છે. સી.એફ.એસ. તેનું પરિણામ છે.

આપણામાંના દરેકે ક્યારેક અચાનક જાગી ઊઠતા થાકનો, સ્નાયુઓના કળતરનો, અસુખનો અનુભવ કર્યો છે. ઘણી વાર તે સમયે ફ્લૂનું નિદાન થાય છે અને તેની સારવાર કરવામાં આવે છે. થાકની સ્થિતિનું એક વાક્યમાં વર્ણન કરવું શક્ય નથી, કારણ કે તે સ્થિતિમાં દરેકને વિભિન્ન પ્રકારનો અનુભવ થાય છે. થાક એ ડ્રાઉઝીનેસ પણ નથી. ડ્રાઉઝીનેસમાં માણસને ઊંઘવાની તીવ્ર ઇચ્છા અને જરૂર હોય છે. ‘થાક’ એ શક્તિ-સ્ફૂર્તિના અભાવનો તેમજ નિષ્ક્રિયતાનો અનુભવ છે. ડ્રાઉઝીનેસ અને એપથી કામો વગેરે તરફ ઉદાસીનતા, નીરસતા) થાકના લક્ષણો હોઈ શકે છે.

લાંબા સમય સુધી રહેતી તીવ્ર થાકની સ્થિતિ સાથે અન્ય તકલીફો પણ હોય છે. ચેપો, હેપિટાઈટિસ, ટી.બી., વાઇરલ-ઇન્ફેક્શન્સ અથવા હાર્ટ-ડિસીઝ તેમાંની કેટલીક તકલીફો છે. ડાયાબિટીસ, હાઇપો-થાઇરોડિઝમ જેવા મેટાબોલિક અને એન્ડોફિન-ડિસોર્ડર્સ સી.એફ.એસ.નાં પરિણામો છે. રક્તાલ્પતા અને કુપોષણ પણ થાક, આળસ, સુસ્તી લાવે છે. ચેપ કે રોગની સારવાર કરવાથી આ લક્ષણો દૂર થાય છે, પરંતુ લાંબો સમય રહે તો તીવ્ર થાક ચેતી જવા જેવું લક્ષણ છે. અન્ય કોઈ રોગ વિના અનુભવાતો તીવ્ર થાક ‘સી.એફ.એસ.’ કહી શકાય.

એક નિષ્ણાતના મત મુજબ સી.એફ.એસ. ખૂબ નબળા બનાવી દેતો, અનેક લક્ષણો ધરાવતો ડિસોર્ડર છે. તે રોગ નથી. તે શારીરિક અને મનોવૈજ્ઞાનિક ચિહ્નો અને લક્ષણોનો સમન્વય છે. શરૂઆતમાં આ તકલીફ મનોવૈજ્ઞાનિક સમસ્યાની જેમ દેખાય છે. તેમાં બેચેની, અનિચ્છા, ચીડિયાપણું, ચિંતા અને ભયનું મોજું, ડિપ્રેશન, ભૂખનો અભાવ, ઊંઘમાં વિક્ષેપ, શારીરિક સુસ્તી, વજનમાં ઘટાડો, વધારે ઝડપી ધબકારા, ગરમી વગરનો પરસેવો, બી.પી.માં વધઘટ, અચાનક થતા દુખાવા અને કળતરનો અનુભવ થાય છે. કોઈ ખાસ કારણ વિના પણ આ સમસ્યા ઊભી થઈ શકે છે છતાં ગંભીર પ્રકારના ચેપોથી થતાં તાવ, ફ્લૂ, ઇજા વગેરે તે થવાની સંભાવના વધારી દે છે.

એક ડોક્ટરના મત મુજબ સી.એફ.એસ. થવાના કારણોમાં ઝડપી બદલાતા સામાજિક સમીકરણોથી લઈને વિભક્ત કુટુંબને કારણે ઉદ્ભવતી તાણનો સમાવેશ થાય છે. ઘરમાં કે ઓફિસમાં પ્રાણવાયુનું ઓછું પ્રમાણ, લોહતત્ત્વ વગરનો આહાર, પ્રોટીન્સ-કાર્બ્સનો આહારમાં અભાવ, ભાવનાત્મક આઘાત, થાઇરોઈડ, હોર્મોનલ-ચેન્જિસ, એલર્જીસ, નબળું પોશ્ચર, રક્તાલ્પતા, કંટાળો, નૈતિક-સ્ખલન, વજન, હાર્ટ-વાલ્વની તકલીફ, વાતાવરણનું પ્રદૂષણ પણ કેટલાંક જવાબદાર કારણો છે. અનિદ્રા, અનિયમિતતા, કેફિનનું વધુ સેવન પણ સી.એફ.એસ.ની તકલીફમાં વધારો કરી શકે છે. યુવાન આઈ.ટી. અને બી.પી.ઓ. પ્રોફેશનલ્સમાં જોવા મળતો ‘ઇન્ટેલેક્ચુઅલ બર્નઆઉટ’ પણ આ સમસ્યા સર્જી શકે છે.

આજના સમયમાં સૌથી વધુ ઉપેક્ષા પામેલો કોઈ રોગ હોય તો તે સી.એફ.એસ. છે. દરેક વ્યક્તિ પોતાની જાતને આ રોગ સાથે જોડી શકે એવો આ સમય છે. નવા હેલ્થ-લિટરેચરને વાંચીને તમે આકર્ષક લાગે તેવા ‘ફાઇબ્રોમાઇલ્જ્યા’, ‘ન્યૂરાસ્થેનિયા’, ‘લાઇમ-ડિસીઝ’, ‘શ્રિન્કર્સ-સિન્ડ્રમ’, ‘ગ્લેન્ડયુલર-ફીવર’, ‘પોસ્ટ-વાઇરલ ડેબિલિટી સિન્ડ્રમ’, ‘યુપ્પી-ફીવર’, ‘માઇલ્જિક એન્થેફેલાઇટિસ’, ‘લ્યુપસ’ જેવા નામો અને લક્ષણો સાથે પણ તમે તમારી જાતને જોડી શકો છો, પરંતુ હવે સી.એફ.એસ. એક આગવી સમસ્યા તરીકે લોકોના ધ્યાનમાં આવી રહ્યો છે.

સી.એફ.એસ. એ એક શહેરી સમસ્યા છે જે ચોવીસથી ચાલીસની વયની વ્યક્તિને વધારે અસર કરે છે. ભારતમાં દર ૧૦૦ વ્યક્તિએ એક વ્યક્તિ તેનાથી પીડાય છે. વિશ્વમાં ૧૦થી ૧૫ ટકા લોકો તેના ભોગ બને છે. યુવાન કોર્પોરેટ કર્મચારીઓમાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે. ‘હાયર એન્ડ ફાયર’ પોલિસીને કારણે યુવાનોમાં કામ અને લક્ષ્ય અંગેનો બોજ ઘણો વધી ગયો છે. તેઓમાં તાણનું પ્રમાણ ઘણું વધેલું હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓ.પી.ડી.માં આવતા દર્દીઓમાંના ત્રીસેક ટકા જેટલા દર્દીઓને આ સમસ્યા હોય જ છે. તેમાંના નેવું ટકા જેટલા દર્દીઓનું જાણકારીને અભાવે નિદાન થઈ શકતું નથી. જાણકારીના અભાવે અને પરીક્ષણો ક્લિયર આવવાને કારણે તેઓની કોઈ સારવાર થતી નથી.

વીસેક વર્ષ પહેલાં આ સમસ્યાની કોઈને જાણ ન હતી, પરંતુ જ્યારે જાણીતી વ્યક્તિઓ આ સમસ્યાનો ભોગ બની ત્યારે ઇ.સ. ૧૯૮૦માં સી.એફ.એસ.ની હાજરી નોંધવામાં આવી. તે થવા પાછળના કારણોને શોધીને તેમને દૂર કરવાની કોઈ સારવાર શોધાઈ નથી. કેટલીક દવાઓ લક્ષણોમાં રાહત આપે છે. સંશોધનકર્તાઓના મત મુજબ આ બીમારી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં વંશાનુગત બાબતો, પ્રદૂષણ, ટોક્સિન્સ અને શારીરિક-માનસિક ઇજાઓ-આઘાતોનો સમાવેશ થાય છે.

અભ્યાસોના તારણો સી.એફ.એસ.ની શરૂઆતને લાઇન-સિન્ડ્રમ, ઓ-ફીવર, રોડ-રિવર-વાઇરસ, પાર્વોવાઇરસ, મોનોન્યૂક્લીયોસિસ તેમજ અન્ય ચેપી રોગો સાથે જોડે છે.

સી.એફ.એસ. કેટલાક મહિનામાં અદૃશ્ય થઈ જાય છે, પરંતુ કેટલાંક લોકોમાં તે જીવનભર રહે છે. મોટાભાગે તેની સારવાર ધીમી અને ખાસ કોઈ સુધારા વિનાની હોય છે. ‘કોગ્નિટિવ બિહેવિયરલ-થેરપી’ અને કાઉન્સેલિંગ દર્દીઓેને તકલીફનો સામનો કરવામાં મદદ કરે છે. આયોજન મુજબની કસરત, ધ્યાન, સારું પોષણ અને સામાજિક મેળ-મિલાપ તેમાં મદદરૂપ થાય છે. જિનસેન્ગ, અશ્વગંધા જેવી ષધીઓ પ્રયોજી શકાય. યોગ અને કલા, સંગીત વગેરે થેરપી ઉપયોગી છે. એક્યુપ્રેશર એનર્જી-બ્લોકેજને દૂર કરે છે. પાંદડાંવાળા શાક અને આખા અનાજનું સેવન લાભ આપે છે. કેફિન, મદ્યપાન, ધૂમ્રપાન, ખાંડ, ચરબી, એલર્જન્સથી દૂર રહેવાથી ફાયદો થાય છે.

થાક જ્યારે રોજિંદા કાર્યોમાં તેમજ સંબંધોમાં અવરોધો ઊભા કરે ત્યારે તેને ગંભીરતાથી લો. સી.એફ.એસ. શ્રમને કારણે નથી ઉદ્ભવતો. તે આપણી વેરવિખેર બનેલી ઊર્જાને કારણે ઉદ્ભવે છે. આજનો સમય એકાગ્રતાનો નથી. વિવિધ બળો આપણને વિવિધ દિશાઓમાં ખેંચે છે. આપણે એકસાથે ઘણું કરવાના મનસૂબા રાખીએ છીએ. એક સમયે એક જ કામ ધ્યાનપૂર્વક કરવાની ટેવ કોઈને રહી નથી. જીવનને પ્રાકૃતિક રીતે જીવવાની જરૂર છે. જીવનમાં શિસ્ત લાવવાની જરૂર છે.

ડોક્ટરની સલાહ મુજબ એન્ટિડિપ્રેસન્ટ્સ લઈને ઊંઘની ઊણપ કરી શકાય છે. અન્ય દવાઓ લઈને દુખાવામાં રાહત મેળવી શકાય છે. મૂડ-સ્ટેબિલાઈઝર્સ, કેટલાંક એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફ્રી-રેડિકલ સ્ક્વેન્જર્સ પણ ઉપયોગી છે. એક ડોક્ટર સલાહ આપતા કહે છે, ‘સમસ્યાને સ્વીકારો, ‘જીવનશૈલી બદલો’, ‘તાણસર્જક તત્ત્વોને દૂર કરો’ અને ‘સ્ટિમ્યુલન્ટ્સ લેવાનું ટાળો.’

સી.એફ.એસ.ના ઓળખાયેલા કેટલાંક લક્ષણો

‘યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ના કહેવા મુજબ જો તમે નીચે દર્શાવેલા લક્ષણોમાંના ચાર કે તેથી વધુ લક્ષણોથી પીડાતા હોવ તો અને આ સ્થિતિ છ મહિના કરતા વધુ સમયથી હોય તો ચોક્કસ તમે સી.એફ.એસ.થી પીડાઈ રહ્યા છો.
  • અલ્પ સમયનો સ્મૃતિભ્રંશ અને ધ્યાન કેન્દ્રિત કરવાની તીવ્ર તકલીફ.
  • શ્રમ કર્યા બાદ એક દિવસથી વધારે દિવસ થાકનો અનુભવ થવો.
  • શરીરના સાંધાઓમાં સોજા કે લાલાશ વગર દુખાવો થવો.
  • તાજગીવિહીન નિદ્રા.
  • ગળામાં સોજો.
  • સૂઝેલા લીમ્ફ-નોડ્સ.
  • સ્નાયુઓમાં દર્દ.
  • તીવ્ર શિરઃશૂળ.
હેલ્થ । મમતા પંડયા