Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

29 July 2022

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંત - એડવર્ડ થોર્નડાઈક



પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન
Trial and Error - Theory of Learning :



પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ.થોર્નડાઈક ( 1874 – 1949 ) પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા છે . તેણે બિલાડી , ઉંદર અને અન્ય પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો હતો . તેમણે ઈ.સ. 1899 થી 1939 સુધી કોલંબિયા યુનિવર્સિટીની શિક્ષક પ્રશિક્ષણ સંસ્થામાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી .

થોર્નડાઈકનો બિલાડી પરનો પ્રયોગ :



          થોર્નડાઈકે એક ભૂખી બિલાડીને કોયડા પેટીમાં પૂરી . આ કોયડા પેટીને માત્ર એક માર્ગ હતો કે જેમાંથી બિલાડી બહાર આવી શકે . પેટીની રચના વિશિષ્ટ પ્રકારની હતી . બિલાડી પેટીના બારણાની કડી અમુક દિશામાં ફેરવે તો બારણું ખૂલી શકે . બિલાડી બહાર નીકળવાના ચોક્કસ પ્રયત્નો કરે તે માટે પેટીની બહાર બિલાડી જોઈ શકે તે રીતે ખોરાક રાખવામાં આવ્યો . પેટીની બહાર રહેલ ખોરાકની વાસ , ભૂખી બિલાડીને બહાર નીકળવા માટે પ્રેરણારૂપ બની રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી . બિલાડી કોયડાપેટીની બહાર નીકળવા પ્રયત્નો કરવા લાગી , બિલાડીએ અનેક પ્રયત્નો કર્યા , જે અસ્તવ્યસ્ત હતા . આ પ્રયત્નો દરમિયાન અચાનક જ બિલાડીથી બારણાની કડીંખૂલી ગઈ . આ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવી ત્યારે પણ બિલાડી ભૂખી જ હતી . આ સમયે બિલાડીને બહાર નીકળવામાં લાગેલો સમય પ્રથમ પ્રયત્ન કરતાં ઓછો હતો . ફરીથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા થોર્નડાઈકે જોયું કે , પછીના દરેક પ્રયત્નોમાં બિલાડી દ્વારા કરાતાં દિશાવિહીન પ્રયાસોમાં તથા તેને બહાર આવવામાં લાગેલ સમયમાં ઘટાડો નોંધાયો છેવટે બિલાડી પ્રથમ પ્રયત્ન જ કોયડા પેટીમાંથી બહાર આવતા શીખી શકી.


પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન પ્રક્રિયાને નીચેનાં સોપાનો દ્વારા વર્ણવી શકાય .
  1. ઇરણ : પ્રસ્તુત પ્રયોગમાં બિલાડી ભૂખી હતી . અને ખોરાકની વાસ દ્વારા તેને પ્રેરિત કરવામાં આવી .
  2. ધ્યેય : બિલાડી માટે કોયડા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવવો આ બાબત અંતિમ ધ્યેય હતું .
  3. સમસ્યારૂપ પરિસ્થિતિ : બિલાડી સમક્ષ કોયડા પેટી એ સમસ્યારૂપ પરિસ્થિતિ હતી . પેટીમાંથી બહાર આવવું એ સમસ્યાના ઉકેલ દ્વારા બિલાડી ખોરાકરૂપ ધ્યેય પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી .
  4. દિશાવિહીન પ્રયત્નો : ધ્યેય પ્રાપ્તિ માટેના માર્ગથી અજાણ બિલાડી બહાર આવવા માટેના અસ્તવ્યસ્ત પ્રયત્નો કરતી હતી .
  5. સાચા માર્ગની પસંદગી : અનેક અસ્તવ્યસ્ત પ્રયત્નો પૈકી ખોટા માર્ગો ત્યજી દેવામાં આવે છે અને સાચી દિશાના પ્રયત્નો જાળવી રાખવા પ્રયત્ન કરાય છે .
  6. અધ્યયન : અંતે સાચા માર્ગનું શિક્ષણ મળે છે કે જેના દ્વારા કોઈ પણ ભૂલ વગર ધ્યેય પ્રાપ્તિ થઈ શકે .

પોતાના દષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા થોર્નડાઈક જણાવે છે “ The cat does not look over the situation much less think it over and then decide what to do . It bursts out at once into the activities . helped by instincts and experiences . "

અધ્યયનના નિયમો :


વિવિધ પ્રયોગોના અંતે થોર્નડાઈકે અધ્યયન પ્રક્રિયા વિશે નીચેના નિયમો આપવામાં પ્રયત્ન કર્યો .

1. તત્પરતાનો નિયમ :

નિયમમાં થોર્નડાઈક અધ્યેતા માટે ( Conduction unit ) શબ્દનો ઉપયોગ કરે છે . તેના જણાવ્યા અનુસાર ,
  • જયારે અધ્યેતા ( વહન - એકમ ) શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું સંતોષપ્રદ બને છે .
  • જયારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર ન હોય ત્યારે શિક્ષણ આપવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે .
  • જ્યારે અધ્યેતા શિક્ષણ મેળવવા માટે તત્પર હોય ત્યારે શિક્ષણ ન આપવું તે બાબત પણ અધ્યયનને નિષ્ફળ બનાવે છે . 
 તેમના મતે જ્યારે બાળક શિક્ષણ મેળવવા ઉત્સુક હોય ત્યારે અચૂક શીખવવું જોઈએ . આ સમયે ઓછા પ્રયત્ન બાળક ઝડપથી શીખી શકે છે . શિક્ષક દ્વારા આ તકનો લાભ લેવાવો જોઈએ , તેમ જ બાળક શીખવા માટે પ્રેરાય તેવી અધ્યયન પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ .


2. અસરનો નિયમ :

થોર્નડાઈકના મતે અધ્યયન ત્યારે જ સાચા અર્થમાં શક્ય બને છે જયારે અધ્યયનમાંથી આનંદ અને સંતોષની લાગણી જન્મે . થોર્નડાઈકે પોતાના શબ્દોમાં આ જ વાત આ પ્રમાણે રજૂ કરેલ છે . “ When a modifiable connection between stimulus and response is made and is accompanied or followed by a satisfying state of affairs , that connection's strength is increased , when made and accompanied or followed by an annoying state of affairs , its strength is decreased . '

બાળક માટે એવી પરિસ્થિતિનું સર્જન થવું જોઈએ કે જેના કારણે બાળક અસંતોષ કે દુઃખની લાગણી ન અનુભવે . અસંતોષ કે દુઃખદ પરિસ્થિતિ અધ્યયન પ્રક્રિયાને અવરોધે છે .

થોર્નડાઈકનો આ નિયમ અધ્યયન પ્રક્રિયામાં બદલો અને શિક્ષાની અસર સમજાવે છે . બાળકને પૂરો પડાયેલ બદલો તેને નવું શીખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે . જ્યારે શિક્ષા બાળકને અધ્યયન માટે હતોત્સાહ કરે છે.


3. પુનરાવર્તનનો નિયમઃ ( The law of exercise )

પુનરાવર્તનનો નિયમ અધ્યયનપ્રક્રિયામાં મહાવરાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે . પુનરાવર્તનને કારણે ઉદ્દીપક પ્રતિચાર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બને છે . પુનરાવર્તનના નિયમના બે પેટાનિયમો છે .

  1. ઉપયોગનો નિયમ : ઉત્તેજક અને પ્રતિચારનું જોડાણ તેના વારંવારના ઉપયોગને કારણે વધુ સુદઢ થાય છે . વારંવાર ઉપયોગમાં લેવાતી બાબતો સરળતાથી યાદ રહે છે . ટાઇપ શીખનાર વ્યક્તિ , વાહન ચલાવતાં શીખનાર વ્યક્તિને મહાવરાની જરૂર પડે છે . વારંવાર તે ક્રિયા કરવાથી વધુ સારું અધ્યયન થઈ શકે છે .
  2. અનુપયોગનો નિયમઃ થોડો સમય સુધી ઉપયોગમાં ન લેવાનાર બાબત ભૂલાઈ જાય છે એટલે કે ઉત્તેજક – પ્રતિચારનું જોડાણ નબળું પડે છે . ઘણા સમય સુધી ઉપયોગમાં ન લેવાતો ફોન નંબર ભૂલાઈ જાય છે . બાળકે એક સમયે મોઢે કરેલ કાવ્ય જો ફરી ફરીને તેની પાસે બોલાવવામાં ન આવે તો બાળક તે કાવ્ય ભૂલી જાય છે .
આમ પુનરાવર્તનનો નિયમ મહાવરાને મહત્ત્વ આપે છે . બાળકને જરૂરી કૌશલ્યો શીખવવા માટે પુનરાવર્તનની જરૂર પડે છે .

4. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થઃ

શિક્ષણનાં ક્ષેત્રમાં થોર્નડાઈકના પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનું પ્રદાન ઘણું છે . વિવિધ શોધ એ પ્રયત્ન અને ભૂલનું જ પરિણામ છે .

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના ફલિતાર્થ નીચે મુજબ છે .
  1. શીખનાર વ્યક્તિએ સૌપ્રથમ શિક્ષણનું મહત્ત્વ સમજી લેવું જોઈએ . શિક્ષકે વિદ્યાર્થીઓને વિષયવસ્તુની ઉપયોગિતા સમજાવી તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન કરવી જોઈએ .
  2. બાળકની શીખવાની ઇચ્છા , પરિપક્વતા વગેરે બાબતોને સમજીને અધ્યયન માટેના પ્રયત્નો કરાવવા જોઈએ .
  3. થોર્નડાઈકના મતે માત્ર મહાવરો પૂરો પાડવાથી અધ્યયન શક્ય બનતું નથી . મહાવરાની સાથે સાથે બાળકને તેનાં પરિણામ / પ્રગતિ વિશેની માહિતી પૂરી પાડવાથી બાળક વધુ શીખવા માટે પ્રેરાય છે . અધ્યયન પ્રક્રિયાને વેગ મળે છે .
  4. શિક્ષકે બાળકને સમગ્ર અધ્યયન પરિસ્થિતિની સમજ આપવી જોઇએ . તેમ જ વિવિધ વિષયમુદ્દાની સમગ્ર સમજ આપી તેમાં રહેલ સામ્ય અને તફાવત સમજાવવો જોઈએ .
  5. બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ .
  6. નવા વિષયમુદ્દાની શરૂઆત સમયે તેને બાળકના પૂર્વજ્ઞાન સાથે ખસેડવાથી શિક્ષણ સંક્રમણનો લાભ મળે છે .
ટૂંકમાં , થોર્નડાઈકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો નિયમ સમગ્ર અધ્યયન પ્રક્રિયામાં પ્રેરણા , બદલો અને મહાવરાનું મહત્ત્વ દર્શાવે છે.

26 July 2022

શું તમને ખબર છે, ડિપ્રેશનનું કારણ આહાર પણ હોય શકે છે...

શું તમને ખબર છે, ડિપ્રેશનનું કારણ આહાર પણ હોય શકે છે...

ધી જર્નલ ઓફ જેરોન્ટોલોજી (The Journal of Gerontology) મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં ડિપ્રેશન, ખોરાક અને નબળાઈના ઉદભવ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે.
ન્યુઝ ડેસ્ક: 10-15% વૃદ્ધ વ્યક્તિઓને અસર કરતી, નબળાઈ એ વિવિધ શારીરિક પ્રણાલીઓના કાર્યમાં (Function of body systems) ખોટને કારણે ઉન્નત નબળાઈની ઓળખી શકાય તેવી સ્થિતિ તરીકે દર્શાવવામાં આવે છે. તે અવારનવાર અન્ય તબીબી સમસ્યાઓ સાથે થાય છે, જેમ કે ડિપ્રેશન. નબળાઈનો વિકાસ આહાર દ્વારા નોંધપાત્ર રીતે પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. આહારની બળતરા નબળાઈ અને હતાશા વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરવા માટેનો આ પ્રથમ અભ્યાસ છે.

ચરબી અને નબળાઇ વઘવાના જોખમ: અગાઉના અભ્યાસોએ દાહક આહાર વચ્ચેનો સંબંધ (correlation between an inflammatory diet) દર્શાવ્યો છે, જેમાં કૃત્રિમ ટ્રાન્સ ચરબી જેમ કે આંશિક રીતે હાઇડ્રોજનયુક્ત તેલ, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને સંતૃપ્ત ચરબી અને નબળાઇ થવાના જોખમનો સમાવેશ થાય છે. ફ્રેમિંગહામ ઓફસ્પ્રિંગ સ્ટડીના પરિણામોનો ઉપયોગ ડિપ્રેસિવ લક્ષણો (Depressive symptoms) સાથે અને વગર પુખ્ત વયના લોકોમાં ફ્રેલ્ટી શરૂઆત સાથે બળતરા તરફી આહારનું જોડાણ શીર્ષકના અભ્યાસમાં કરવામાં આવ્યું હતું, જે એ ખાતરી કરવા માંગે છે કે, શું ડિપ્રેસિવ લક્ષણો ધરાવતા લોકો આહારના પ્રતિભાવમાં નબળાઈ વિકસાવવા માટે વધુ સંવેદનશીલ છે કે કેમ.
ડિપ્રેસિવ લક્ષણો ધરાવતા લોકો: અભ્યાસમાં ફ્રેમિંગહામ હાર્ટ સ્ટડી (Framingham Offspring Study's) ઓફસ્પ્રિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1,701 બિન-નબળો સહભાગીઓએ તેમના આહાર અને માનસિક લક્ષણો પર આધારરેખા માહિતી પ્રદાન કરી હતી અને તેમની નબળાઈની સ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તે પહેલાં લગભગ 11 વર્ષ સુધી તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા. અધ્યયન મુજબ, બળતરાયુક્ત ખોરાક નબળાઈના વધતા જોખમ સાથે સંકળાયેલો હતો, અને આ કડી ડિપ્રેસિવ લક્ષણો ધરાવતા લોકોમાં કંઈક અંશે મજબૂત હતી. સંશોધકોના મતે, જે લોકો ડિપ્રેસિવ લક્ષણોનો વારંવાર અનુભવ કરે છે તેઓમાં બળતરાનું પ્રમાણ વધુ હોય છે, તેથી તે સ્તરમાં ખોરાકમાં બળતરા ઉમેરવાથી નબળાઈની શરૂઆત થઈ શકે છે.
શું છે બળતરા વિરોધી પદાર્થો: અભ્યાસના મુખ્ય લેખક કર્ટની એલ. મિલર, પીએચડી, માર્કસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગ રિસર્ચ (the Marcus Institute of Aging Research), હીબ્રુ સિનિયરલાઇફ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પોસ્ટ-ડૉક્ટરલ ફેલોના જણાવ્યા અનુસાર, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બળતરાયુક્ત આહાર ખાવાથી ડિપ્રેસિવ લાગણીઓ લોકોને વધુ નબળા બનાવી શકે છે. આ બતાવે છે કે, બળતરા વિરોધી પદાર્થો જેમ કે ફાઇબર અને છોડ આધારિત રસાયણો જેને ફ્લેવોનોઈડ કહેવાય છે જેનો ખોરાક ખાવાથી નબળાઈની શરૂઆત અટકાવવામાં ફાયદો થઈ શકે છે.
ડિપ્રેશન અને નબળાઈ જોડાણ: સંશોધનાત્મક માહિતી અનુસાર, આધેડ અને વૃદ્ધ વ્યક્તિઓ કે જેઓ બળતરા તરફી ખોરાક લે છે, તેઓ અલગથી આમ કરવા કરતાં એકસાથે નબળાઈ અને હતાશાના લક્ષણો પ્રાપ્ત કરે છે. આ અભ્યાસ ડૉ. મિલર દ્વારા અગાઉના બે અભ્યાસો પર આધારિત છે, જેમાંથી એક દર્શાવે છે કે, ભૂમધ્ય-શૈલીનો ખોરાક ખાવાથી નબળાઈની શરૂઆત અટકાવી શકાય છે અને બીજો જે દર્શાવે છે કે, બળતરા તરફી આહાર નબળાઈના વિકાસનું જોખમ વધારે છે. આ બંને અભ્યાસ અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં (American Journal of Clinical Nutrition) પ્રકાશિત થયા હતા. ડૉ. મિલરના જણાવ્યા મુજબ, "આ અભ્યાસ ખોરાકમાં બળતરા, ડિપ્રેશન અને નબળાઈ વચ્ચેના જોડાણની અમારી સમજમાં વધારો કરે છે. ફળો અને શાકભાજી કે જેમાં ફાઇબર, ફ્લેવોનોઇડ્સ અને અન્ય આહાર એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે તે ડિપ્રેસન ધરાવતા લોકો માટે વધુ નિર્ણાયક બની શકે છે.
સ્ત્રોત :- E TV ભારત 

23 July 2022

કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો વિડીયો

કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો વિડીયો 

                            અંહી કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો એક વિડીયો રજૂ કરવામાં આવ્યો  છે, જેમાં એક વાનર ખોરાક પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલવા માટે બે લાકડીનો ઉપયોગ કરે છે. એક નાની લાકડીથી મોટી લાકડી પાંજરા નજીક ખેચી, મોટી લાકડી વડે તે ખોરાક પ્રાપ્ત કરે છે .


 

22 July 2022

વિશ્વ મગજ દિવસ: જાણો જીવનની ગુણવત્તા પર મગજની ગાંઠની કેવી પડે છે અસર...

વિશ્વ મગજ દિવસ: જાણો જીવનની ગુણવત્તા પર મગજની ગાંઠની કેવી પડે છે અસર...


અમુક જનીનો ખામીયુક્ત બને છે અથવા યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે ત્યારે મગજની ગાંઠ વિકસે છે, તે દર્દીના જીવનની ગુણવત્તાને પણ ઘણી હદ સુધી અસર કરી શકે છે. ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુરોસાયન્સ, એસ્ટર હોસ્પિટલ્સ (Aster Hospitals Bangalore) બેંગ્લોરના લીડ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જરી અને પ્રોગ્રામ ડાયરેક્ટર ડો. રવિ ગોપાલ વર્મા તેના વિશે વધુ સમજાવે છે.

ન્યુઝ ડેસ્ક: મગજની ગાંઠ ત્યારે વિકસે છે, જ્યારે કોષના રંગસૂત્રોમાં અમુક જનીનો ખામીયુક્ત બને છે અને યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે. આ જનીનો સામાન્ય રીતે કોષના વિભાજનના દરને નિયંત્રિત કરે છે અને જનીનોને સુધારે છે ,જે અન્ય જનીનોમાં ખામીઓને સુધારે છે, તેમજ જનીનો કે જે કોષને નુકસાન ન કરી શકે તે માટે સ્વ-વિનાશનું કારણ બને છે.વ્યક્તિ આમાંથી એક અથવા વધુ જનીનોમાં આંશિક ખામી સાથે જન્મી શકે છે. તદુપરાંત, પર્યાવરણીય પરિબળો (environmental factors) પછી વધારાના વિકૃતિનું કારણ બની શકે છે. કેટલાક અન્ય કિસ્સાઓમાં, જો કે, જનીનોને પર્યાવરણીય નુકસાનને એકમાત્ર પરિબળ તરીકે જોઈ શકાય છે. તમારે તેના વિશે વધુ જાણવાની જરૂર છે તે અહીં છે.

મગજની ગાંઠોને કારણે વર્તણૂકીય ફેરફારો: મગજની ગાંઠો અને તેમની સારવાર (Brain tumours and treatments) સામાન્ય રીતે વ્યક્તિના વર્તન અને વિચારવાની ક્ષમતાને બદલી શકે છે. દર્દીઓની વાતચીત, એકાગ્રતા અને યાદશક્તિની કૌશલ્યને અસર થઈ શકે છે અને તેમનું વ્યક્તિત્વ બદલાઈ શકે છે. મગજની ગાંઠો વારંવાર વ્યક્તિત્વમાં ફેરફાર અને મૂડ સ્વિંગનું કારણ બને છે. જો કે આ મૂડ ફેરફારોની તીવ્રતા વ્યક્તિ-વ્યક્તિએ બદલાતી રહે છે, મગજની ગાંઠ ધરાવતી વ્યક્તિ માટે વધેલી આક્રમકતા અને આંદોલનનો અનુભવ કરવો પ્રમાણમાં સામાન્ય છે. મગજની ગાંઠ નબળાઈ, ચક્કર આવવા, ખરાબ સંતુલન અથવા સંકલનનો અભાવ, વ્યક્તિત્વ અથવા વર્તનમાં ફેરફાર, મૂંઝવણ, વાણીની સમસ્યાઓ અને ફિટ આંચકીનું કારણ પણ બની શકે છે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, મગજની ગાંઠની જીવનની ગુણવત્તા પરની અસર એ નક્કી થાય છે કે ગાંઠ સૌમ્ય છે કે જીવલેણ પ્રકૃતિની છે.


  1. 1.સૌમ્ય ગાંઠ:
    સૌમ્ય ગાંઠોના (benign tumours) કિસ્સામાં, દર્દીના જીવનની ગુણવત્તામાં થોડો તફાવત હોય છે. ન્યુરોલોજીકલ ખામીઓ હોઈ શકે છે, જે નિયમિત ફિઝીયોથેરાપી અને પુનર્વસન દ્વારા સુધારી શકાય છે. અમે સીરીયલ ઇમેજિંગનો ઉપયોગ કરીને ગાંઠના પુનરાવૃત્તિ પર નજીકથી નજર રાખી શકીએ છીએ. ફરીથી થવાના કિસ્સામાં, દર્દીને રેડિયેશન અથવા શસ્ત્રક્રિયા કરવામાં આવી શકે છે. એક અંતર્ગત પ્રશ્નનો જવાબ આપવા માટે, એક સૌમ્ય ગાંઠ બિમારીના કરાર પછી જીવનની ગુણવત્તાને બગાડતી નથી. મોટા ભાગની ગાંઠો અવશેષો છોડતી નથી, સમયસર પુનર્વસન અને મનોરોગ ચિકિત્સા સાથે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનું સરળ બનાવે છે.
  2. 2.જીવલેણ ગાંઠ:
    જીવલેણ મગજની ગાંઠનું (malignant brain tumour) પરિણામ ગાંઠના ગ્રેડ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો ગાંઠ ગ્રેડ 1 ની હોય, તો તેની સાથેના લક્ષણો ઓછા કે ઓછા પ્રમાણમાં સૌમ્ય ગાંઠની જેમ વર્તે છે. જો કે, ગ્રેડ 4 ની ગાંઠ માટે કીમોથેરાપી અને રેડિયેશન જરૂરી છે, જે ત્વચાના વિકૃતિકરણ, વાળ ખરવા, થાક અને અન્ય શારીરિક ફેરફારોનું કારણ બને છે. પરિણામે, લોકોના જીવનની ગુણવત્તા પીડાય છે. તેમ છતાં, યોગ્ય સારવાર અને સમય સાથે, આ ફેરફારો સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવું છે.












   
 

યાદ રાખવાની એક વાત, ગાંઠની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વિના,
 બીમારી પ્રત્યે સકારાત્મક વલણ જાળવી રાખવું. મજબુત માનસિકતા દર્દીને કેન્સરગ્રસ્ત મગજની ગાંઠ હોવાના આઘાતને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. જીવન પ્રત્યેનો સર્વગ્રાહી, સકારાત્મક દૃષ્ટિકોણ બિમારી પછીના દર્દીના પુનર્વસન તરફ ઘણો આગળ વધી શકે છે. એ કહેવાની જરૂર નથી કે, કુટુંબનો ટેકો અને શક્તિ દર્દી માટે ફળદાયી અને આનંદકારક જીવન તરફ આગળ વધે છે.

વિશ્વ મગજ દિવસ 22 જુલાઇ 2022:  દરરોજ માથાનો દુખાવો અનુભવવો ખૂબ જ સામાન્ય છે, પરંતુ મગજને કોઈપણ આંતરિક અથવા બાહ્ય નુકસાન શરીરની કામગીરીમાં ખલેલ પહોંચાડી શકે છે. એવો અંદાજ છે કે લગભગ 21.5 થી 2 મિલિયન લોકો દર વર્ષે ઇજાના પરિણામે મગજને નુકસાન (brain damage) પહોંચાડે છે, જેમાં લગભગ 1 મિલિયન લોકો આ જીવલેણ સ્થિતિને કારણે મૃત્યુ પામે છે. મગજના નુકસાનના જોખમો જીવનશૈલીની પસંદગીઓ અને દિનચર્યા દ્વારા ભારે પ્રભાવિત થાય છે. મગજની સંભાળ રાખવી અને કોઈપણ સતત લક્ષણો માટે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. દૈનિક ધોરણે, લોકો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે જે મગજને એક યા બીજી રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો કે એવી ઘણી રીતો છે, જે મગજના કાર્યોને કાયમી ધોરણે નુકસાન પહોંચાડી શકે છે, 5 સૌથી સામાન્ય બાબત વિશે જાણીએ...

  1. 1.ઊંઘનો અભાવ:
    તે ગમે તેટલું સરળ લાગે, ઊંઘની મગજની યોગ્ય કામગીરી પર મોટી અસર પડે છે. કોઈપણ અન્ય અંગની જેમ, મગજને પણ પોતાને પુનઃસ્થાપિત કરવા અને ઝેરને શુદ્ધ કરવા માટે પૂરતા આરામની જરૂર છે. પૂરતી ઊંઘ ન મળવાથી અન્ય સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે. ઊંઘની અછત હિપ્પોકેમ્પસ પર અસર કરે છે, જે યાદશક્તિની સમસ્યાઓ તરફ દોરી શકે છે અને, અમુક કિસ્સાઓમાં, અલ્ઝાઇમર રોગની શરૂઆતની શરૂઆતનું કારણ માનવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરવામાં આવે છે.
  2. 2.માથામાં ઈજા:
    માથામાં કોઈ પણ નાની ઈજા પછી જે પ્રસંગોપાત મુશ્કેલીઓ થાય છે તેને અવગણવાની સામાન્ય વૃત્તિ છે. જો કે, આ ઇજાઓ કેટલાક કિસ્સાઓમાં જીવલેણ બની શકે છે અને મગજને કાયમી નુકસાન પણ કરી શકે છે. આઘાતજનક મગજની ઇજાઓ (TBI) બાહ્ય બળને કારણે થાય છે, જેમ કે માથામાં ફટકો, જે મગજને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, હસ્તગત મગજની ઈજા (ABI), જે કોઈપણ ગાંઠ અથવા કોઈપણ ન્યુરોલોજીકલ બીમારીને કારણે મગજ પરના કોઈપણ દબાણ સાથે સંકળાયેલ ઈજાનું બીજું સ્વરૂપ છે.
  3. 3.બેઠાડુ જીવનશૈલી:
    જીવનશૈલીની પસંદગી મગજની યોગ્ય કામગીરી નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ એ લોહીના પ્રવાહમાં ઘટાડો થવાને કારણે મગજની કામગીરીને નુકસાન પહોંચાડવાનું એક સામાન્ય કારણ છે. વધુમાં, તે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો જેવી અન્ય આરોગ્ય બિમારીઓને (Health ailments) પણ ઉત્તેજિત કરી શકે છે. અમુક કિસ્સાઓમાં, તે ઉન્માદનું કારણ પણ બની શકે છે, એવી સ્થિતિ જે મેમરી, વિચાર અને સામાજિક ક્ષમતાઓને અસર કરે છે. તેથી, મગજને સક્રિય રાખવા માટે દૈનિક દિનચર્યાના ભાગરૂપે અમુક પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  4. 4.તણાવ અને હતાશા:
    જીવનશૈલી અને કાર્ય સંસ્કૃતિમાં બદલાવને કારણે, મોટાભાગના લોકો તણાવ, ચિંતા અને હતાશાથી પીડાય છે. જો કે, ઘણા લોકો જાણતા નથી કે આ ક્રોનિક બની શકે છે અને મગજને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે. અતિશય તાણ સિનેપ્સ નિયમનને વિક્ષેપિત કરી શકે છે, પરિણામે સામાજિક ઉપાડ અને અન્ય લોકો સાથે ક્રિયાપ્રતિક્રિયાઓ ટાળવામાં આવે છે. આપણી વિચાર પ્રક્રિયાઓને કાર્યાત્મક નુકસાન કોઈપણ ભૌતિક નુકસાન જેટલું જ ખતરનાક છે. યેલ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, ક્રોનિક સ્ટ્રેસ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને સંકોચાય છે, જે મગજમાં મેમરી અને શીખવા માટે જવાબદાર છે.
  5. 5.ધૂમ્રપાન:
    જો કે ઘણા લોકો જાણે છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ઘણા લોકો જાણતા નથી કે તેનાથી મગજ સંકોચાય છે. ધૂમ્રપાન યાદશક્તિને સીધી અસર કરે છે અને નિકોટિનની હાજરીને કારણે અલ્ઝાઈમર રોગ સહિત તમારા ડિમેન્શિયાના જોખમમાં નોંધપાત્ર વધારો કરે છે. નિકોટિન વિકાસના અમુક તબક્કાઓને વિક્ષેપિત કરી શકે છે, પરિણામે મગજને કાયમી નુકસાન થાય છે. તદુપરાંત, તે મગજના ભાગને વિક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે જે ધ્યાન, શીખવાનું, મૂડ અને આવેગ નિયંત્રણને નિયંત્રિત કરે છે.



20 July 2022

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ

કેમ વધી રહી છે વિશ્વભરમાં મનોવૈજ્ઞાનિકોની માંગ 


         છેલ્લા કેટલાક વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં મનોવૈજ્ઞાનિકો (Psychologists)ની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. કોરોના (corona)મહામારીના કારણે લોકોમાં માનસિક સમસ્યાઓ વધી રહી છે. પરંતુ દવા અને શિક્ષણ સિવાય, ઉદ્યોગ (Industries), રમતગમત, રાજકારણ, મનોરંજન વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં મનોવૈજ્ઞાનિક નિષ્ણાતોની માંગ અને ભરતીમાં જબરદસ્ત વધારો થયો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં મનોવિજ્ઞાન (Psychology)ને એટલું મહત્વ આપવામાં આવતું નથી જેટલું મળવું જોઈએ. કોવિડ-19 મહામારી (corona pandemic)ના કારણે લોકોના શારીરિક સ્વાસ્થ્ય (physical health)ને જ અસર નથી થઈ, પરંતુ તેને ઘણી માનસિક (mental health) આડઅસર પણ કરી છે. શું આ જ કારણ છે કે, આખી દુનિયામાં મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે કે પછી વિશ્વમાં ઝડપથી વધતી જતી માનસિક સમસ્યાઓનું કારણ છે.

જે મહામારીના કારણે બહાર આવી છે અથવા તો આજનું આધુનિક જીવન જ એવી સ્થિતિમાં છે કે જ્યાં દિવસે દિવસે અનિશ્ચિતતા વધી રહી છે. સત્ય એ છે કે, તાજેતરના વર્ષોમાં વિશ્વમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા ઘણી વધી રહી છે. અને મનોવૈજ્ઞાનિકો પણ વિશ્વના ઘણા ક્ષેત્રોમાં દખલ કરી રહ્યા છે. તેનું કારણ આ ટ્રેન્ડમાં જ દેખાય છે.

ઘણા વિસ્તારોમાં ઝડપથી વધી રહી છે માંગ

મનોવિજ્ઞાન નિષ્ણાતો હવે ઘણી મોટી ભૂમિકામાં દેખાઈ રહ્યા છે અને તે પણ સરકાર, મીડિયા, રાજકારણ, કોર્પોરેટ જગત, ફેક્ટરીઓ, ફિલ્મ સેટ્સ, ટેક સ્ટાર્ટઅપ્સ જેવી ઘણી જગ્યાએ. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન માટેના એક લેખમાં, સાયકોલોજિસ્ટ અને સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ જસ્ટિન એન્ડરસન, જેમણે કોલેજના ઘણા વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે કામ કર્યું છે, તે કહે છે કે પરંપરાગત રમતવીરો પણ સાયકોથેરાપ્યુટિક સલાહ લેવા લાગ્યા છે.

વિસ્તરી રહ્યો છે મનોવિજ્ઞાનનો વ્યાપ

વિશ્વભરના ઘણા ઉદ્યોગોમાં તણાવ ઘટાડવાના મહત્વને માન્યતા આપવામાં આવી રહી છે. આ સાથે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે આ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે. હવે મનોવૈજ્ઞાનિક તાલીમ ઘણી રીતે સક્ષમતા પર ભાર મૂકે છે જેની ઉદ્યોગોમાં માંગ વધી રહી છે. આ ઉપરાંત, ડેટા વિશ્લેષણથી બહુ-શિસ્ત કાર્યકારી ટીમો બનાવવા જેવા કાર્યો પણ તેમના કાર્યક્ષેત્રમાં આવવા લાગ્યા છે. એ દિવસો ગયા જ્યારે મનોવિજ્ઞાન માત્ર તબીબી માધ્યમથી જ સુલભ હતું. હવે શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.



ઇક્વિટી, વિવિધતા અને સમાવેશ (EDI)

જે ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકોની સૌથી વધુ માંગ છે તે છે “સમાનતા, વિવિધતા અને સમાવેશ” એટલે કે “ઇક્વિટી, ડાઈવર્સિટી અને ઈન્ક્લૂજન” (EDI). છેલ્લા પાંચથી છ વર્ષમાં વિવિધ સંસ્થાઓમાં EDIની ભૂમિકામાં 71 ટકાનો વધારો થયો છે. તે બધામાં મનોવૈજ્ઞાનિકો નથી, પરંતુ મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ સાથેની કુશળતા ખૂબ મૂલ્યવાન સાબિત થઈ છે.

ઓફિસના વાતાવરણને સમજવું જરૂરી

ફ્લોરિડામાં સ્થિત ઔદ્યોગિક અને સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક ડૉ. કિઝી પાર્ક્સ માને છે કે ઓફિસના વાતાવરણમાં ટીમો કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ઓફિસ પોલિટિક્સ અને વ્યક્તિત્વના પાત્રની અસરો શું છે તે સમજવું હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સંસ્થાઓ પણ પ્રક્રિયાઓ પર વધુ ધ્યાન આપી રહી છે. EDIના મહત્વને જોતાં, મનોવૈજ્ઞાનિકોની માંગ વધી છે કારણ કે આ વિષય પરની નિપુણતા સાથે, તેઓ આ નિષ્ણાત સંસ્થાઓ અને સંસ્થાઓને અન્ય ઘણી રીતે મદદ પણ કરી શકે છે. જેના કારણે કર્મચારીઓના સ્તરમાં ઘણો વધારો થઈ શકે છે.


જાહેર જીવનમાં પણ

અમેરિકામાં મનોવૈજ્ઞાનિકો પણ જાહેર જીવનમાં નવી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ઓબામાથી લઈને બિડેન વહીવટીતંત્ર સુધી વિવિધ સલાહકાર પદો પર મનોવૈજ્ઞાનિકોની નિમણૂક કરવામાં આવી છે. તે જ સમયે, સિન્થિયા એન ટેલ્સ જેવા મનોવૈજ્ઞાનિકોને કોસ્ટા રિકામાં યુએસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં યુએસ કોંગ્રેસમાં મનોવૈજ્ઞાનિકોની સંખ્યા પણ વધી છે.

મોટી ટેક કંપનીઓ પણ પાછળ નથી

આજે મનોવૈજ્ઞાનિકો ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે જેમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓ મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે. તે જ સમયે, મનોવિજ્ઞાનની પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો નવા સ્ટાર્ટ-અપ્સમાં વધુ દેખાય છે. ટેક કંપનીઓ તેમના ઉત્પાદનોની લોકપ્રિયતા ચકાસવા, તેમને લોકપ્રિય બનાવવા અને લોકોની માંગને સમજવા માટે મનોવૈજ્ઞાનિકોની ભરતી કરી રહી છે.

અને મનોરંજન પણ

આ સિવાય મનોરંજનમાં પણ મનોવૈજ્ઞાનિકોની માંગ વધી રહી છે. મીડિયા, દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ વગેરે મનોવૈજ્ઞાનિકોને તેમના સ્પેશિયલાઇઝેશન પ્રોગ્રામ્સ અને પ્રોજેક્ટ્સમાં લાવી રહ્યા છે. મનોવિજ્ઞાન પૃષ્ઠભૂમિને મનોરંજનમાં પણ ઉપયોગી માનવામાં આવે છે, સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને અભિનેતાઓ સુધી. નિર્માતાઓએ તેમના કલાકારોના માનસિક સ્વાસ્થ્ય માટે વધુ મનોવૈજ્ઞાનિક સમર્થન માંગવાનું શરૂ કર્યું છે.


Published by:Riya Upadhay                                                 First published: January 09, 2022, 10:37 IST

10 July 2022

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ - પરિવારના સભ્યને માનસિક હેરાન કરવાની વિકૃતિ

કુટુંબની અંગત અને ખૂબ નજીકની વ્યક્તિને દુઃખી અને ટોર્ચર કરવાની વિકૃતિ: ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ કેસ સ્ટડી


સાંભળી ને નવીન લાગે કે શું કોઈ વ્યક્તિ પોતાની અંગત અને ગમતી વ્યક્તિને પણ દુઃખી કરી ટોર્ચર કરી શકે? જવાબ છે હા..જેને મનોવિજ્ઞાનની ભાષામાં ડોમેસ્ટિક સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન માં એક કેસ સ્ટડીનું વિશ્લેષણ પુરોહિત અમી દ્વારા કરવામાં આવ્યું. કેસ 90 વર્ષના દાદા દ્વારા તેના 63 વર્ષના પુત્ર પર સતત ટોર્ચર, દવાઓ પણ જરૂરિયાત મુજબ પૂર્ણ ન કરવા દેવાની માનસિકતા, ત્યાં સુધી કે તે પુત્રની પત્ની પર નજર બગાડી માટે તેઓ 10 વર્ષ પેલા ઘર છોડી જતા રહ્યા, તેમના દીકરાને બે સંતાન એક દીકરી એક દીકરો, દાદા દીકરાના દીકરા પાસે પોતાના પિતાને માર મારવા લાલચ આપે. 63 વર્ષના પિતાને પોતાના બાળકો અત્યાચાર કરે દીકરી પાપાને પકડી રાખે અને દાદા મારે. પ્રેમ લાગણીનો છાંટો ઘરમાં નહીં બસ એકબીજાને પીડે, ઘરમાં કંકાસ ભર્યું જ વાતાવરણ જેમાં ઘરના સભ્યો આ સિન્ડ્રોમથી પીડાતા હતા. દાદા અને દાદી સ્ટોકહોલ્મ સિન્ડ્રોમની સાથે સ્કીઝોઆઇડ પર્સનાલિટીના રોગી છે તેજ બાબતો દીકરા અને પૌત્રોમાં વારસાગત ઉતરેલી જોવા મળેલ.


શુ છે સ્ટોકહોલ્મ સિન્ડ્રોમ?

એક એવી માનસિક સ્થિતી નું નામ છે કે જેમાં અંગત વ્યક્તિ અથવા ઘણી વખત કોઈનું અપહરણ કરેલ હોય તેવી વ્યક્તિ સાથે એક પ્રકારનો સહાનુભૂતિ ભર્યો આવેગ વિકસે છે. આ માનસિક જોડાણ ઘણા દિવસો અઠવાડિયાઓ કે વર્ષો દરમિયાન વિકસે છે. તે એક સંપૂર્ણ ભાવનાત્મક પ્રતિભાવ છે. એક રીતે જોઇએ તો આ પ્રકારની માનસિક પ્રતિક્રિયા ત્યારે જ ઉદભવે છે કે જ્યારે અપહરણ કરનાર પીડિત કે પીડિતા પર સીધી હિંસા ન કરે ઉપરાંત તેમની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જેને લીધે પરિણામે બંધક ના મનમાં આવા આવેગો ઉદ્દભવે છે.

આ એક તીવ્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જેમાં પીડિતને તેમના ત્રાસ આપનારાઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મે છે. તે કોઈ ન્યુરોલોજીકલ રોગ નથી.

ડોમેસ્ટિક સ્ટોકહોમ સિન્ડ્રોમ

આ પ્રકારના સિન્ડ્રોમમાં ઘરેલુ હિંસાનો સમાવેશ કરી શકાય.જેમ કે ઘરેલુ હિંસા કોઈ પતિ તેની પત્નીને પ્રેમ કરે છે. છતાં પણ તેનું શોષણ, માર મારવો કે માનસિક ટોર્ચરીંગ જેવા નિષેધાત્મક વર્તન દાખવે છે. જેમાં તેની પત્ની પણ તેના સામે કોઈ પગલાં લેવા કે સામે આક્રમકતા દેખાડવાના બદલે તેના પર સહાનુભૂતિની લાગણી રાખે છે. તે એવું માને છે કે પોતે પણ તેને ચાહે છે અને હંમેશા તેની સાથે જ રહેવાનું છે.

શારીરિક શોષણના પણ ઘણા કિસ્સાઓ બહાર આવે છે અને તેની વિરુદ્ધ ઘણા હુલ્લડો પણ થાય છે. છતાં બધા જ કિસ્સાઓને આવો વેગ મળી શકતો નથી. ક્યારેક નાના બાળકો કે બાળકી પર કે પછી વૃદ્ધ પર પણ આવા વર્તન થતા હોય છે. ત્યારે તેને પોતે જ છુપાવી રાખે છે અથવા તો તેઓને ગુપ્ત રાખવા માટે માનસિક દબાણ આપીને કહેવામાં આવે છે.

પરિવારમાં સિન્ડ્રોમ હોય તો તે આસપાસના વાતાવરણમાં પણ ઘણું નુકસાનકારક નીવડી શકે છે. તેની આસપાસના વાતાવરણના લોકો હિંસા વિશે તો જાણે છે પરંતુ કંઈ કરી શકતા નથી. કારણ કે પીડિત જ પોતાને પીડિત માનતો નથી.ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ આક્રમક ગુનેગાર પર સંપૂર્ણપણે નિર્ભર હોય ત્યારે પણ આ પ્રકારની બધી પ્રક્રિયાઓ તેના પક્ષમાં સ્વીકારી લે છે. આ પ્રકારની માનસિકતા સ્ત્રીઓમાં વઘુ જોવા મળે છે. એક અન્ય કેસ મનોવિજ્ઞાન ભવનમાં આવેલ જેમાં પત્ની પોતાના પતિને ખુબ જ પ્રેમ કરે પણ ટોન્ટ દરેક વાતમાં માર્યા કરે. હજારવાર પતી દ્વારા માફી માંગવામાં આવેલ છતાં જૂની વાતોની ટકટક સતત ચાલુ જ રાખે જેને કારણે તેમનું દાંમ્પત્ય જીવન બરાબર ચાલે નહીં. દાંમ્પત્ય જીવનમાં ફેરફાર આવ્યો તો પત્નીને બીજી શઁકા જાગી કે જરૂર ક્યાંક અફેર છે. આમ જ શંકા અને આ સિન્ડ્રોમને કારણે અનહદ પ્રેમ હોવા છતાં આ પતિપત્ની દુઃખી છે.


કારણો 

  • પીડિતો પ્રત્યે ની વફાદારી
  • માનસિક બંધન,
  • ક્યારેક ધમકી,શારીરિક અને માનસિક શોષણ
  • દબાણમાં જરૂરિયાતો પૂર્ણ કરવા અતિશય દબાણ.
  • પોતાના સ્વભાવની વાસ્તવિકતા જાણ્યા પછી અપરાધ ભાવને કારણે આવું વર્તન ઉદ્દભવે. – પરિવારમાં વારસાગત લક્ષણોને કારણે

દૂર રહેવાની કે સર્વાઇવલ યુક્તિઓ

  • ઘરેલુ હિંસા અને આવા સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ ઘરેલુ ઘેલછાના સારા હેતુઓને જાણી-સમજી ઘરમાં શાંતિમય,પ્રેમ,પ્રોત્સાહન વગેરે જેવા વર્તનો કરી પોતાની લાગણીઓને જાગૃત કરી શકે.
  • જ્યારે પુરુષ-આક્રમણ કરનાર સારા મૂડમાં હોય ત્યારે તેની પત્ની તેના આ વર્તનો વિશે જાગૃત કરવા માટે તેમજ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી શકે.
  • પ્રિયજન કે મિત્રની મદદ લઈ શકે.
  • મનોચિકિત્સકની મદદ લઈ શકાય.
સ્ત્રોત :- OOT ઈન્ડિયા 

04 July 2022

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી

મનોરોગને સ્વીકારવો મુશકેલ:સાઇકોલોજીસ્ટ પાસે જતા 69.32% શરમ અનુભવે છે, 97.10%ના મતે શાળા - કોલેજમાં કાઉન્સેલર હોવા જરૂરી


મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા


માણસના મનની સમસ્યા અને તકલીફોને સમજવા માટે મનોવિજ્ઞાનનો ખ્યાલ આજના સમયમાં પ્રસ્થાપિત થયો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિત દ્વારા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાનની માન્યતા અને 1241 સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકવનારા તારણો સામે આવ્યા હતા.

મનોવિજ્ઞાન વિશેની ખોટી માન્યતા

શૈક્ષણિક ક્ષેત્રે જોવા મળતા ઘણા વિષયોમાં મનોવિજ્ઞાન પણ એક વિષય છે, જે રીતે વિદ્યાર્થીઓને અન્ય વિષયોનું જ્ઞાન પોતાના જીવનમાં પોતાના વ્યવસાયમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી બની રહે છે તેવી જ રીતે મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓના જીવનમાં સાથે સાથે જ દરેક લોકોના જીવનમાં ઘણી રીતે ઉપયોગી બને છે. પોતાના રોજિંદા વ્યવહારમાં, વ્યવસાયમાં, અભ્યાસમાં, લગ્ન જીવનની સમસ્યા, કુટુંબ સમસ્યા તથા અન્ય ઘણી બાબતોમાં મનોવિજ્ઞાનનું જ્ઞાન દરેક માટે ઉપયોગી બની રહે છે. સામાન્ય રીતે મનોવિજ્ઞાન વિશેની માન્યતા ઘણી ખોટી થાય છે કે જે લોકો માનસિક રીતે બીમાર હોય છે તેના માટે જ મનોવિજ્ઞાન છે પરંતુ માત્ર અસાધારણ વ્યક્તિઓ જ નહીં સાધારણ વ્યક્તિઓના સમાયોજનમાં પણ તથા વિદ્યાર્થીઓ અને સમાજના કોઈપણ લોકો બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા માટે મનોવિજ્ઞાન વિષય ઉપયોગી બને છે.


મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે

આજનાં સમયમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણ અતિશય વેગવાન બન્યું છે આ સમયગાળામાં યંત્રોની બોલબાલા વધી છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ વગેરે ખૂબ વધી રહ્યું છે પરિણામે વ્યક્તિગત રીતે સામાન્ય લોકોમાં મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સોશિયલ નેટવર્કના લીધે મોટા સમૂહમાં જોડાયેલો તો છે છતાં એકલતા અનુભવે છે. બધી જ જાતની સુખ સુવિધા સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી, આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજવા માટે તેની આંતરિક બાબતોને ઓળખવી અને યોગ્ય દિશામાં લોકોના જીવનને વધારે શાંતિ તરફ લઈ જાય તેવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદભવી છે. જેના માટે મનોવિજ્ઞાન ખૂબ ઉપયોગી બની રહે છે. માનવ જાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે.

મનોવિજ્ઞાન વિશેની સમજૂતી

મનોવિજ્ઞાન વિષય એ સામાન્ય રીતે માનવીના બાહ્ય વર્તનનો અભ્યાસ કરે છે. તેમજ મનોવિજ્ઞાનમાં માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયમાં માનવીના વર્તનનું વર્ણન કરવું છે, વર્ણન કર્યા બાદ સ્પષ્ટીકરણ કરવું, માનવીના વર્તન વિશે આગાહી કે ભવિષ્યકથન કરવું એ મનોવિજ્ઞાન વિષયના મુખ્ય ધ્યેયો તો છે જ સાથે સાથે માનવીના વર્તનને નિયંત્રિત કરવું અને યોગ્ય વર્તન દ્વાર વ્યક્તિ સમાયોજન સાધી શકે તેટલું યોગ્ય બનાવવું છે. આ ઉપરાંત માનવીના જીવનમાં ઉપયોગી બની શકે એ રીતના વર્તનમાં સુધારણા કરવી તે પણ મનોવિજ્ઞાનનું એક મુખ્ય ધ્યેય છે.



મનોવિજ્ઞાન : એક સાયન્સ

મનોવિજ્ઞાન એ પહેલાં તત્વજ્ઞાનની એક શાખા હતી પરંતુ આગળ જતા મનોવિજ્ઞાનમાં ઘણા વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યા તથા મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો જેથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો મનોવિજ્ઞાનના અભ્યાસમાં ઘણી વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓ જેવી કે નિરીક્ષણ પદ્ધતિ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ મનોવૈજ્ઞાનિક કસોટી વગેરે જે ઉત્તમ વિશ્વસનીયતા અને યથાર્થતા ધરાવે છે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓથી મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે.

સ્તોત્ર :- દિવ્ય ભાસ્કર