Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
31 December 2020
30 December 2020
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ શૈક્ષણિક વર્ષ 2020-21 પ્રશ્નપત્રનું પરિરૂપ
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ શૈક્ષણિક વર્ષ 2020-21 પ્રશ્નપત્રનું પરિરૂપ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર દ્વારા સુચિત ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે
સુધારેલ અભ્યાસક્રમ મેળવવા નીચે આપેલ વિષય પર ક્લિક કરો
29 December 2020
ધોરણ ૧૦ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે પેપર સ્ટાઇલ, નમુનાના પ્રશ્નપત્રો
ધોરણ ૧૦ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે પેપર સ્ટાઇલ, નમુનાના પ્રશ્નપત્રો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર દ્વારા સુચિત ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે
સુધારેલ અભ્યાસક્રમ મેળવવા નીચે આપેલ વિષય પર ક્લિક કરો
28 December 2020
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ શૈક્ષણિક વર્ષ 2020-21 પ્રશ્નપત્રનું પરિરૂપ
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ શૈક્ષણિક વર્ષ 2020-21 પ્રશ્નપત્રનું પરિરૂપ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બૉર્ડ, ગાંધીનગર દ્વારા સુચિત ફક્ત શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે
સુધારેલ અભ્યાસક્રમ મેળવવા નીચે આપેલ વિષય પર ક્લિક કરો
27 December 2020
26 December 2020
25 December 2020
24 December 2020
23 December 2020
22 December 2020
21 December 2020
20 December 2020
19 December 2020
18 December 2020
17 December 2020
16 December 2020
15 December 2020
14 December 2020
13 December 2020
12 December 2020
11 December 2020
10 December 2020
09 December 2020
હેપ્પીનેસ તમારા હાથમાં છે તમારા રડ વધારો
હેપ્પીનેસ તમારા હાથમાં છે તમારા રડ વધારો
- વિશ્વખ્યાત મનોચિકિત્સક ડો. ડેવિડ હોકિન્સે Kinesiologyની મદદથી પૂરવાર કર્યુ હતુ કે હકારાત્મક કે ઉર્જાવાન વ્યક્તિના આંદોલનો અને આભામંડળ તેજસ્વી હોય છે
- હોરાઈઝન- ભવેન કચ્છી
- ડૉ. ડેવિડ હોકિન્સના પુસ્તક 'Power Vs Force'નો વિશ્વની ૨૫ ભાષાઓમાં અનુવાદ થયો છે
- પાવર વ્યક્તિની અંદરથી આવે છે જ્યારે ફોર્સ કે જે નેગેટિવ છે તે શરીરની બહારથી આવે છે
આ પણે અત્યાર સુધી પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પ્રવચનોમાં જ સાંભળતા આવ્યા છીએ કે હકારાત્મક વિચાર કરો તો આપોઆપ તમારામાં આગવી ઉર્જા ઉત્પન્ન થશે અને ધ્યેય પ્રાપ્તિ માટેનો માર્ગ સહજ રીતે ખુલવા માંડશે.
પ્રેરણાત્મક પ્રવચન આપનારાઓ એવી વાત પર પણ ભાર મૂકે છે કે પ્રત્યેક વ્યક્તિ જેવા વિચારો ધરાવે છે અથવા તો તેની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે તેની આજુબાજુ વ્યક્તિ પોઝિટિવ હોય તો તેજસ્વી અને નેગેટિવ કે તામસી હોય તો નિસ્તેજ પૂંજ કે પ્રકાશનો ગોળો કે આવરણ રચાયેલું હોય છે જે નરી આંખે જોઇ શકાતું નથી. જૈન ધર્મના તત્વ દર્શનમાં તો પ્રત્યેક વ્યક્તિની આજુબાજુ આવા પ્રકાશ પૂંજના રંગના આધારે તે વ્યક્તિ કેવી હોઇ શકે તેને વર્ગીકૃત પણ કરવામાં આવી છે.
આવી બધી 'ઓરા', તેજપૂંજ, 'હેલો', આંદોલનો અને 'વાઈબ્રેશન'ની થિયરીમાં તર્કવાદીઓને શ્રધ્ધા નથી હોતી.
પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પ્રવચન કરનારાઓ આ આખી થિયરીને મહ્દઅંશે મનોવિજ્ઞાાન કે શ્રધ્ધાના આધારે જ સમજાવે છે. બહુ તો અજ્ઞાાત મન (સબ કોન્સિયસ માઇન્ડ)ની થિયરીથી વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવે છે.
ખરેખર તો વ્યક્તિના વિચારોની તેના પર અને તેની આજુબાજુના વાતાવરણ પર અને તેનાંથી પણ આગળ જઇએ તો પૃથ્વીના અવકાશમાં ફીલ ગૂડ વિચારો ભરી દઇએ તો પૃથ્વીવાસીઓ પર પણ તેની સુખદ અસર પડે જ છે.
આપણા શાસ્ત્રો, સંતો કે ગેબી શક્તિ ધરાવતા મહાત્માઓએ સુક્ષ્મ વિચારો, ઉર્જાવાન વ્યક્તિત્વ અને તેજોપૂંજની મહત્તા બતાવી છે તે ૧૦૦ ટકા સત્ય છે પણ તેઓ કે આપણા વિજ્ઞાાનીઓ તેને આધારભૂત રીતે પૂરાવા નથી આપી શક્યા ત્યારે અમેરિકાના મનોવિજ્ઞાાની, સંશોધક અને દેહની સ્થૂળ ગતિવિધીથી સુક્ષ્મ શું રચાય છે, બને છે તેનો ટેકનોલોજી વડે અભ્યાસ કરીને જગવિખ્યાત બનેલા ડો. ડેવિડ આર હોકિન્સે 'Power Vs Force' નામનું બેસ્ટ સેલર પુસ્તક છેક ૧૯૯૫માં ભેટ આપ્યું છે જેની આજે તો દસ આવૃતિ અને ઓડિયો બુક બની ચૂકી છે. વેયન ડાયર, માઇગ્યુએલ રૂઇઝ, એકાર્ટ ટોલ, દિપક ચોપ્રા, લિઝા નિકોલસ, 'ધ સિક્રેટ' પુસ્તકથી જગવિખ્યાત બનેલ રોન્ડા બર્ન અને ટોની રોબિન્સથી માંડી રોબિન શર્મા જેવા પ્રેરણાત્મક લેખકો અને વક્તાઓ 'Power Vs Force'નો સહારો લઇને જ હકારાત્મક ઉર્જા અને પ્રગતિશીલ, અનુકંપા અને કરૂણા જગવતા વિચારોની તાકાત સમજાવે છે.
ડો. ડેવિડ આર હોકિન્સે વિજ્ઞાાનની એરણ પર આ આખી પ્રક્રિયા કઇ રીતે પૂરવાર કરી હતી તેની સીધી સાદી ભાષામાં સમજ મેળવીએ તે પહેલા આ મહાન મનોવિજ્ઞાાનીનો આછેરો પરિચય મેળવીએ.
ડો. ડેવિડ હોકિન્સનો (૧૯૨૭-૨૦૧૨) જન્મ અમેરિકાના વિસ્કોન્સિનમાં થયો હતો. ૧૭થી ૧૯ વર્ષની વય દરમ્યાન તેમણે અમેરિકન નેવીમાં રહી બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન ન્યુયોર્ક શિપયાર્ડમાં જૂનિયર કેટેગરીમાં સેવા આપી હતી. ૧૯૫૩માં વિસ્કોન્સિન મેડિકલ કોલેજમાંથી તેણે તબીબી ડીગ્રી મેળવી. તે પછી ૨૫ વર્ષ ન્યુયોર્કમાં રહી અમેરિકાના ટોચના મનોચિકિત્સક તરીકે તેણે પ્રેકટિસ કરી, તે પછી ૨૫ વર્ષ સંશોધન, બર્કલી યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પ્રદાન આપ્યું. ૧૯૯૫માં તેમણે કોલમ્બિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું ત્યારે તેમની વય ૬૮ વર્ષની હતી અને મજાની વાત એ હતી કે વિશ્વના જે પણ મનોવિજ્ઞાાનીઓ અને ચિકિત્સકો ટોચ પર પહોંચ્યા કે પીએચડી બન્યા તે તેમના હાથ નીચે અભ્યાસ કરી ચૂક્યા છે. પોતે પીએચડી કરવા કરતા મનોવિજ્ઞાાન અને સુક્ષ્મ દેહના પ્રભાવ અને તે આભા મંડળો, તેજોપૂંજ અને વિચારોની વાતાવરણ પર અસર કઇ રીતે સર્જાય છે તેના અભ્યાસ અને સંશોધનોમાં જ ગળાડૂબ રહ્યા.
હોકિન્સે ૨૦ જેટલા પુસ્તકો લખ્યા જે મનોવિજ્ઞાાનીઓ અને ચિકિત્સકો માટે બાઇબલ સમાન છે. 'Power Vs Force' વિશ્વની ૨૫ ભાષાઓમાં અનુવાદ થયું છે અને તેની ૧૦ લાખથી વધુ કોપી વેચાઇ છે. એ જ પુસ્તક છે જેમાં તેણે વિજ્ઞાાનિક અને Kinesiology ટેકનોલોજીથી પૂરવાર કર્યું છે કે સ્થૂળ શરીર જેટલું કે વધુ યોગદાન સુક્ષ્મ શરીરનું છે. સ્થુળ શરીર આપણને માત્ર જીવાડે છે જ્યારે સુક્ષ્મ શરીર કઇ રીતે જીવવું, દુનિયાને મૂલવવી, કયા ગૂણો કેળવવા તે નક્કી કરે છે. આપણા હૃદયના ધબકારા, શ્વસન પ્રક્રિયા, સ્નાયુ શરીરમાં દરેક વ્યક્તિને મળેલા હોર્મોન્સ, રસાયણ, તેનો સ્ત્રાવ, ઈન્દ્રિયો પ્રત્યેક વ્યક્તિમાં ઓછી-વધતી પ્રબળતા, ઈચ્છા શક્તિ આ બધું કોણ સંચાલન કરે છે ? હૃદય પણ આખરે સ્વયં સંચાલિત વીજ પ્રવાહની જેમ ધબકતું રહે છે.
તમામ અંગો લોહીનું ભ્રમણ, બારિક રેષા જેવી નલિકાઓમાં રહેલું પ્રાણ તત્વ અને તેનો અવિરત સંચાર ઉર્જાને આભારી છે. તેની કેળવણી કરીને આપણે હકારાત્મક, ઉર્જાવાન અને પ્રજ્ઞાા કે સિક્સ્થ સેન્સના માલિક બની શકીએ છીએ. જેમ કાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી કે જુદા જુદા સ્કેન આખરે તો સ્થુળ દેહ તેના કુદરતી ક્રમ પ્રમાણે કાર્યરત છે કે કેમ તે ઝીલી શકે છે તો આ કુદરતી ક્રમ એટલે શું ? હૃદય રોગમાં મૃત્યુની નજીક જઇ રહેલા દર્દીને ઝાટકા આપીને પુન: હૃદય ધબકતું કરવાનો જે પ્રયત્ન છે તે જ્યારે વ્યક્તિ જીવંત હોય ત્યારે કઇ શક્તિ કાર્યરત રાખે છે. ચયાપચયની પ્રક્રિયાને સ્થુળ સિસ્ટમ તબીબી જગત સમજાવે છે પણ દવા આખરે તો સુક્ષ્મ થકી સ્થુળને સમતોલ બનાવવાનો પ્રયત્ન છે.
ડો. ડેવિડ હોકિન્સે બે વખત મનોચિકિત્સના નોબેલ પ્રાઇઝ મેળવી ચૂકેલા ડો. લાઇનસ પોઉલિંગે સાથે મળીને મહત્તમ સંશોધન કર્યા છે.
Kinesiology સાદી સમજ પ્રમાણે આપણે ટ્રેડ મિલ ટેસ્ટ કરાવીએ ત્યારે આપણને જે રીતે છાતી, ખભા કે પેટની ઉપરના ભાગમાં પ્લગ જેવું ચીપકાવી ક્રમશ: ઝડપ અને ઢોળાવ વધારીને મશીન પર દોડાવાય છે અને તેના આધારે હૃદયની કાર્યક્ષમતાનો ગ્રાફ બનતો જાય છે તે જ રીતે બ્રેઇન, ઓર્થોપેડિકસને અન્ય ટેસ્ટ થાય છે એક એથ્લેટને જુદા જુદા પ્લગ અને સેન્સર લગાવી જુદી જુદી કસરતોની તીવ્રતા વધારતા જવાય છે અને તેની ક્ષમતાનું લેવલ આપી શકાય છે. આ તો શારિરીક (ફિઝીયોલોજીકલ) માપન થયું તે જ રીતે ઇલેકટ્રો ફિઝિયોલોજીની મદદ વ્યક્તિ કે પ્રાણીના મનોવર્તનને પણ પામી અને માપી પણ શકાય છે. ન્યુરોસાયસન્સમાં પણ Kinesiology મહત્વની ટેકનોલોજી છે.
સંશોધનનો ટેકનોલોજીક ભાગ તો જટીલ છે પણ ડૉ. ડેવિડ હોકિન્સે જે તારણ મેળવ્યા તે રસપ્રદ છે. મનોચિકિત્સક તરીકે તેમણે તેના મનોબીમાર દર્દીઓના જે Kinesiology ટેસ્ટ કર્યા તેમાંથી એ ફલિત થયું કે જે દર્દીમાં કારણ વગર
ડરની માત્રા છે તેઓના મશીનમાં વાઇબ્રેશન ૦.૧ થી ૨ hz (હર્ટઝ-વિદ્યુત તરંગ) છે. યાદ રહે વ્યકિતના hz ઓછા તેમ તે વધુ નકારાત્મક કે મનોબીમાર. પીડા અનુભવતા, કારણ વગર કે વાતવાતમાં ચિઢાઈ જતી વ્યક્તિના, ઘોંઘાટના, મિથ્યિાભિમાન કે અહંકારી વ્યક્તિના,ગુરૂતા અને લઘુતાગ્રંથિથી પીડાતા વ્યકિતના, તનાવ-ડિપ્રેશન ધરાવતી વયકિતના વાઇબ્રેશન ૧ થી ૬ hz સુધી જ આવતા હતા.
જ્યારે જે વ્યક્તિ હકારાત્મ, ઉર્જાવાન, અનુકંપાવાન, આભારની લાગણી ધરાવતી, જતુ કરવાવાળી, સમાધાનકારી, ધીરજવાન, સંયમવાન અને સ્વસ્થ ચિત્ત હશે તે વ્યક્તિના ૯૫ થી ૧૫૦ hz આવ્યા હતા.
જેઓ બિનશરતી પ્રેમ કરે છે અને સમગ્ર સૃષ્ટિને ચાહે છે તેવી વ્યક્તિના ૨૫૦ રડ હોય છે.
જો તમારા વાઇબ્રેશનનું લેવલ ઉંચુ લઇ જશો એટલે કે આવા ઉમદા ગુણો ખીલવશો તો નીચા આંકના વાઇબ્રેશન ધરાવતા નાગરિકો જે હતાશા, માનસિકપીડા, ઇર્ષા કે દરેક વાતમાં ફરિયાદ કે સ્વાસ્થ્ય કથળેલું હોય તેવું નહીં અનુભવે.
જેમ કસરત કરવાથી, આહાર નિયમનથી દેહ સૌષ્ઠવ, રોગ મુક્તિ કે રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે તેમ મનને પણ કેળવીને, પ્રેરણાદાયી વાચન, દ્રશ્ય-શ્રાવ્ય જ્ઞાાન-સત્સંગનો ખોરાક આપીને દેહમાંથી એવા સ્ત્રાવો વહેતા કરી શકાય છે કે પછી સુક્ષ્મ શક્તિ બહાર લાવી શકાય છે કે આપણું માનસિક જીવન ધોરણ સ્વાસ્થ્યપ્રદ બને અને આપણા hz વધે.
ડર, શંકા, ફોબિયા, એન્કઝાયટી, તનાવ, ડીપ્રેશન ઇર્ષા, ક્રોધ, ધીક્કાર અને લોભ જેવી મનોસ્થિતિ ધરાવતીના hz ઓછા છે તે ડેવિડ હોકિન્સે માપી બતાવ્યું છે. એટલે સુધી કે હોસ્પિટલ, જેલ, ભંડકિયા, અન્ડરગ્રાઉન્ડ, તનાવ ધરાવતા ઘરો, વેરાન જગામાં જે વાઇબ્રેશન છે તેને hz માં પરિવર્તિત કરતા ઘણો ઓછો સ્કોર જોવા મળ્યો.
હકારાત્મક અને આનંદી, શ્રધ્ધાવાન અને ઉર્જાસભર વ્યક્તિની નજીક બેસતા તમને કારણ વગરનો આનંદ આવતો હોય છે. અમુક અજાણી વ્યક્તિ તમારા હૃદયને સ્પર્શી જાય છે. અમુક વ્યક્તિમાં આગવુ દિવ્ય અને આધ્યાત્મિક તેજ અનુભવી શકાતું હોય છે. તે બોલે નહીં તો પણ તેની હાજરી માત્રથી ઉચાટ ધરાવનારાઓને શાંતિ અનુભવાય છે. આવી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ સમગ્ર પરિવાર, સમાજ કે પરિસર, ઓફિસ માટે નબળા hz સમતોલ કરી આપે છે.
ડેવિડ હોકિન્સે ડીપ્રેશનને લીધે મૃત્યુની ઇચ્છા કરતા મનોબીમારોને કે વ્યક્તિઓને આ hz માપી અને તેનું લેવલ વધારતી સારવાર, દવા અને કાઉન્સેલિંગ પર પૂર્ણતા સમાન પ્રદાન આપ્યું છે.
હળવી કસરત, ઉંડા શ્વાસ, ધ્યાન તાઇ ચી, સૂર્યપ્રકાશમાં ચાલવું, પ્રકૃતિને નિહાળવી, કર્ણપ્રિય સંગીત સાંભળવું, ચિત્રકામ, રંગકામ, કોઇ શોખ, સારૂ શ્રવણ, પ્રાર્થના, નૃત્ય, પૂજા-અર્ચન, સ્મિત સભર રહેવું, ચાહવુ, આભારની લાગણી વ્યક્ત કરવી, મિત્રો, સ્નેહીઓ સાથે બેસવું, ઉજાણી કરવી, જમીનમાંથી ઉગતા તમામ ધાન્યો અને શાકભાજી, ફળો આરોગવા, પાણી કે ફળોના રસ વધુ માત્રામાં પીવા, સરસ કપડા અને સ્વચ્છતા સાથે તૈયાર રહેવું, સ્નાન અને ટુથ બ્રશને બે વખત કરવું, સાત કલાકની નિંદ્રા લેવી, વ્યસ્ત રહેવું અને જક્કીપણુ ત્યજી દઇને ભોળા બની જવાથી hz વધે છે.
ડૉ. ડેવિડ હોકિન્સની વાત સ્પષ્ટ છે કે જેમ આપણું વજન, બીપી, ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ કે તમામ મેડિકલ રીપોર્ટના આંકની મર્યાદા કે આટલુ તો હોવું જ જોઈએ તેમ તબીબી વિજ્ઞાાને સંશોધનો બાદ તારણ કાઢયું છે તે જ રીતે પ્રત્યેક વ્યક્તિના ૧૨૦ થી ૩૫૦ hz હોવા જોઇએ. તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે ૩૫૦ hz ના લેવલે હોવ છો. આ જ રીતે દુનિયામાં સૌથી પ્રસન્ન, સ્વસ્થચિત્ત કે સ્થિતપ્રજ્ઞાતાને વિજ્ઞાાન માપી શકે છે. આ માટે મશીન વ્યક્તિના મસ્તિષ્ક અને હૃદય પર અમુક પોઇન્ટ પર લગાડવાના પ્લગ હોય છે. ક્રોધની, હતાશાની, આઘાતની, નિષ્ફળતાની પળ વખતે કે ઇચ્છેલુ ન મળે ત્યારે એક જૂથમાં બેસેલ તમામના hz જુદા જુદા હોય છે.
ડેવિડ હોકિન્સે તેમના પુસ્તકમાં ગાંધીજીને પાવરના પ્રતિક ગણાવ્યા છે.
પાવર આપણી અંદરથી આવે છે જ્યારે ફોર્સ બહારથી આવે છે. આપણે વધુ ફોર્સ પેદા કરતી વ્યક્તિને શક્તિશાળી માનીને ભૂલ કરીએ છીએ.
'હેપ્પીનેસ ઇન્ડેકસ' પણ હવે પ્રચલિત થતો શબ્દ છે. તો ચાલો શેરબજારના સેન્સેકસ કરતા આપણા hz વધારવાનો ધ્યેય રાખીએ.
એક વ્યકિતની હકારાત્મક હાજરી અને ઉર્જા ૭,૫૦,૦૦૦ લોકોની નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય બનાવી દે છે. આવો, હકારાત્મકતાથી ભરપૂર આભા મંડળ બનાવીએ. કોરોના વાયરસનો hz વાતાવરણમાં ફરતા hz કરતા દમદાર ન હોવો જોઈએ.
ડૉ. ડેવિડ હોકિન્સના સંશોધન જોડે હવે આપણું સુક્ષ્મ જગતનું તત્વજ્ઞાાન જોડી દો.
08 December 2020
07 December 2020
06 December 2020
05 December 2020
04 December 2020
03 December 2020
02 December 2020
ર્ડા.કાર્લ ગુસ્તાવ જંગ : અગોચરની દુનિયામાં થયેલા પેરાનોર્મલ અનુભવો
ર્ડા.કાર્લ ગુસ્તાવ જંગ : અગોચરની દુનિયામાં થયેલા પેરાનોર્મલ અનુભવો
મેમોરી, ડ્રિમ્સ અને રિફ્લેક્શન
ડો.કાર્લ જંગને વિશ્વ સ્વિટ્ઝર્લેન્ડના સાયકીયાટ્રીસ્ટ અને સાયકોએનાલિસ્ટ તરીકે ઓળખે છે. તેમના અભ્યાસના વિષયમાં માનસશાસ્ત્ર, માનવશાસ્ત્ર, પુરાતત્ત્વ, સાહિત્ય, દર્શન અને ધામક અધ્યયનનો સમાવેશ થતો હતો. તેમના આત્મકથાનક પુસ્તકનું નામ છે. 'મેમોરી, ડ્રિમ્સ અને રિફ્લેક્શન'. જેમાં તેમણે પોતાના અનુભવોનું વર્ણન કરેલ છે. માનસશાસ્ત્ર અને મનોરોગ-ચિકિત્સાને એક અલગ ઊંચાઈ સુધી લઇ જવાનું કામ, વિશ્વના સૌથી જાણીતા સાયકોલોજીસ્ટ સિગ્મંડ ફ્રોઈડ અને કાર્લ જંગ દ્વારા કરવામાં આવ્યું છે. સાયકોલોજીસ્ટ સિગ્મંડ ફ્રોઈડની મનોચિકિત્સાનો આધાર, માનસિક રોગીના ભૂતકાળના સેક્સ સંબંધો અને જાતીય સતામણી ઉપર રહેતો હતો. જ્યારે કાર્લ જંગ દ્વારા, એનાલિટિક્સ સાયકોલોજીનો આધાર લેવામાં આવતો હતો. તેઓ 'પાવર ઓફ અનકોન્સીયસ માઈન્ડ'માં પણ માનતા હતા. દરેક વ્યક્તિના અંતર્મુખી અને બહિર્મુખી એમ બે વ્યક્તિત્વલક્ષી પાસા હોય છે' તેવું કાર્લ જંગ માનતા હતા.
મનોરોગની ચિકિત્સા કરનાર, ડો.કાર્લ જંગ 'સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર'નો ભોગ બનેલા હતા. માનસિક રોગની સારવાર કરનાર ડૉ. કાર્લ ગુસ્તાવ જંગ, સ્વપ્નના અર્થઘટન, આત્મા-પ્રેતાત્મા, પેરા સાયકોલોજી, અકળ અને અગોચર વિશ્વમાંંમાનતા હતા? ડૉ. કાર્લ જંગ, તેમની જ થિયરી પ્રમાણે, દુનિયાને બતાવવા માટેનો એક અલગ બાહ્ય વૈજ્ઞાાનિક ચહેરો ધરાવતા હતા. જ્યારે પોતાના વ્યક્તિગત વિચારો અને આંતરિક જગત માટે, અલગ ચહેરો ધરાવતા હતા.
ઈસવીસન ૧૮૭૫માં જન્મેલ કાર્લ જંગ, ૮૬ વર્ષનું ભરપૂર જીવન જીવ્યા હતા. તેમણે જિંદગીમાં પ્રથમ અને દ્વિતીય એમ બંને વિશ્વ યુદ્ધ જોયા હતા. આ ઉપરાંત તેઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સમકાલીન પણ હતા. વિજ્ઞાાન અને તબીબી જગતનું શિક્ષણ મેળવનાર, કાર્લ જંગ એક અનોખા ગ્રાઉન્ડ ધરાવતા કુટુંબમાંથી આવતા હતા. જેના કારણે તેમનું આંતરિક મનોજગત અલગ દિશા તરફ વિકસી ચૂક્યું હતું. તેમના વૈજ્ઞાાનિક ચહેરાથી દૂરના અંતિમ ઉપર રહેલ, અગોચરની દુનિયામાં થયેલા અનુભવોને પૃથક્કરણ કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડેલ, કાર્લ જંગની જિંદગીની વાત કરીએ..
ભવિષ્યનો પૂર્વાભાસ?
કાર્લ જંગ આત્મા અને બીજી દુનિયામાં માનતા હતા. પરંતુ જાહેરમાં ક્યારેય તેમણે પોતાના વિચારો રજુ કર્યા ન હતા. પરંતુ અગોચર વિશ્વ સાથેનો તેમનો સંબંધ તેમના ડી.એન.એ. સાથે જ વણાયેલો હતો. તેમના નાના રેવ. સેમ્યુઅલ પ્રિસ્વર્ક હિબ્રુ ભાષા શીખ્યા હતા. તેઓ માનતા હતા કે સ્વર્ગમાં બોલાતી ભાષા હિબ્રુ હતી. આત્મા પણ ભાષામાં જ વાત કરતો હોય છે. એવું કહેવાય છે કે તેમના નાના સેમ્યુઅલ પ્રિસ્વર્ક તેમની મૃત્યુ પામેલી પત્નીના આત્મા સાથે લાક્ડાની ખુર્શીમાં બેસીને વાત કરતા રહેતા હતા. તેઓ જ્યારે આત્મા સાથે વાત કરતા હોય ત્યારે, દુષ્ટ આત્માઓને દૂર રાખવાનું કામ કાર્લ જંગની માતા ઍમીલીઆને એમણે સોંપ્યું હતું. તેની માતા પણ એક માધ્યમ બનીને અન્ય આત્મા સાથે વાત કરતી હતી. વીસ વર્ષની ઉંમરે તેમની માતા ૩૬ કલાક માટે બેભાનાવસ્થામાં ચાલી ગઈ.
આ ઘટના બાદ તેમની માતા વારંવાર અર્ધબેભાન/ચેતનાવસ્થામાં ચાલી જતી. મૃતાત્મા સાથે વાત કરતી રહેતી હતી. છેવટે માતા ઍમીલીઆ 'સ્પલીટડ પર્સનાલિટી' નામના મનોરોગની શિકાર પણ બની હતી. ૧૨ વર્ષની ઉંમરે કાર્લ જંગને પણ લાગ્યું કે તેના શરીરમાં બે અલગ અલગ વ્યક્તિ જીવી રહી છે. એક વ્યક્તિ બાર વર્ષનો બાળક સ્વયમ્ અને બીજી વ્યક્તિ ૧૮મી સદીની રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતી પર્સનાલિટી હતી. જેના માથા ઉપર સફેદવાળની વિગ હતી. તે ભપકાદાર ઘોડાગાડીમાં મુસાફરી કરતી હતી. જ્યારે કાર્લ જંગ લીલા રંગની ઘોડાગાડી જોતાં ત્યારે તેમને લાગતું કે તે ૧૮મી સદીમાં પાછા પહોંચી ચૂક્યા છે. ૧૮૯૬માં કાલ જંગ ૨૧ વર્ષના હતા ત્યારે, તેમના વૃદ્ધ પિતા તેમના સ્વપ્નમાં આવ્યા હતા. અને કહ્યું હતું કે તેઓ હવે તેમની માતાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય બાદ કાર્લ જંગના માતાનું અવસાન થયું હતું. આ ઘટનાને યોગાનુંયોગ કહેવો કે પછી ભવિષ્યનો પૂર્વાભાસ?
'આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ'
૧૧ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ, ૬૮ વર્ષની ઉંમરે, ડૉ. કાર્લ જંગ બરફ ઉપરથી લપસી પડયા. તેના પગનું હાડકું ભાગી ગયું. તૂટેલા હાડકામાં ઇન્ફેકશન થઇ ગયું. તેમને સારવારમાં કપૂર અને ઓક્સિજન આપવામાં આવ્યો. અચાનક તેવો પોતાની ચેતના ગુમાવી બેભાન બની ગયા. કહેવાય છે આ સમયગાળામાં તેમને 'આઉટ ઓફ બોડી' અથવા જેને 'નિયર ડૅથ એક્સપિરિયન્સ' કહે છે. તેઓ અનુભવ થયો. કાર્લ જંગે પોતાને પૃથ્વીથી ૧,૦૦૦ માઈલની ઊંચાઈ ઉપર ઉડતા નિહાળ્યા. નીચે પૃથ્વી પર અરેબિયાના રણથી માંડી હિમાલયના પહાડો, શિખરો પસાર થઈ ગયા. તેમણે અચાનક એક હિન્દુ મંદિર નિહાળ્યુ. જ્યાં હિન્દુ વ્યક્તિ પદ્માસન લગાવી બેઠી હતી.
કાર્લ જંગને લાગ્યું કે તેમના અસ્તિત્વના રહસ્ય અને તેમની જિંદગીના ઉદેશને જાણવા માટેનો માર્ગ આ મંદિરના પ્રવેશદ્વારમાંથી પસાર થતો હતો. તેઓ મંદિરમાં પ્રવેશ કરવાનું વિચારતા હતા ત્યાં જ, પૃથ્વી પર યુરોપનો પ્રદેશ પસાર થવા લાગ્યો.
તેમની સારવાર કરનાર ડોક્ટર એક સમ્રાટના સ્વરૂપમાં તેમની સામે હાજર થયા. તેણે જણાવ્યું કે પૃથ્વી પરથી જીવન સંકેલવાનો તેમનો સમય હજી પૂરો થયો નથી. કેટલાક લોકો કાર્લ જંગ પાછા ફરે તેની રાહ જોઈ રહ્યા છે. તેથી સમ્રાટ પોતે તેને લેવા માટે આવ્યા છે. આમ તેમનો બેભાનાવસ્થાવાળો અનુભવ પૂરો થયો. થોડા દિવસ બાદ તેઓ હોસ્પિટલમાંથી સાજા થઇ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે, તેમની સારવાર કરનાર બીમાર થઈ હોસ્પિટલની પથારીમાં પડયા. આ પથારીમાંથી પછી ડોક્ટર ક્યારેય ઉઠી શકે નહિ અને તેમનું જીવન સંકેલાઈ ગયું. અનુભવથી કાર્લ જંગ માનતા થયા કે મૃત્યુ બાદ પણ અલગ પ્રકારની જીંદગી હોય છે. મૃત્યુ પામવાથી માત્ર શરીર નષ્ટ થઈ જાય છે. પરંતુ આત્મા તેની ઊર્જા સાથે અમર બનીને બ્રહ્માંડમાં ઉર્જા સ્વરુપે વિહરતો જ રહે છે. આ વાતને સાબિત કરવા માટે તેમની પાસે કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નહતા.
સિગ્મંડ ફ્રોઈડ સામે જ પેરાનોર્મલ અનુભવ
કાર્લ જંગને તેની માતા સાથે જીવન વિતાવતી વખતે બે વાર પેરાનોર્મલ અનુભવ થયા હતા. જ્યારે તેઓ સ્ટડી રૂમમાં બેઠા હતા ત્યારે, તેમણે એક મોટો ધડાકો થયેલ સાંભળ્યો. દોડીને તેઓ તેની માતા જે રૂમમાં હતા. ત્યાં દોડી ગયા. વૉલનટનાં લાકડામાંથી બનેલ ગોળાકાર ટેબલ મધ્યમાંથી બે ટુકડા થઈ અલગ થઈ ગયું હતું. ટેબલની ઉંમર ૭૦ વર્ષની હતી. જ્યાંથી ટેબલ અલગ થયુ, ત્યાં કોઈપણ પ્રકારની તિરાડ ખાંચો કે સાંધો નહોતો. સમગ્ર ટેબલ એક વિશાળ જાડા લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. તેની માતા તંદ્રાવસ્થામાં કંઈક બબડી રહી હતી. બે અઠવાડિયા બાદ એક બીજી ઘટના બની . દિવાલ પાસે રહેલ સાઈડ બોર્ડમાં, મોટા અવાજ સાથે એક મોટી તિરાડ પડી ગઇ. સાઈડબોર્ડનો ઉપયોગ બ્રેડ અને બ્રેડ કાપવાની છરી રાખવા માટે કરવામાં આવતો હતો. સોલિડ સ્ટીલમાંથી બનેલ છરીના ટુકડે ટુકડા થઈ ગયા હતા.
ટુકડા ભેગા કરીને, કાર્લ જંગ કટલરી વેચનાર પાસે લઈ ગયા. તૂટેલા અવશેષો જોઇને દુકાનદારે કહ્યું કે 'છરી એની જાતે તુટે તેમ ન હતી' કોઈ વ્યક્તિએ ખાસ ઉદેશ્ય સાથે તેને તોડી નાખી હતી. કાર્લ જંગ પાસે આ ઘટનાનુ પણ કોઇ સમાધાન ન હતુ. તૂટેલી છરીના અવશેષો, કાર્લ જંગે આખી જિંદગી સુધી સાચવી રાખ્યા હતા.
૧૯૦૯માં કાર્લ જંગ સિગ્મંડ ફ્રોઈડની મુલાકાત લેવા માટે વિએના ગયા હતા. વાર્તાલાપ દરમિયાન તેમણે સિગ્મંડ ફ્રોઈડને પૂછયુંકે 'પેરા-સાયકોલોજી વિશે તેઓ શું માનેછે?. સિગ્મંડ ફ્રોઈડ બોલ્યા 'પેરા-સાયકોલોજી તદ્દન નોનસેન્સ બક્વાસ પ્રકારની વાતો છે. હું તેમાં માનતો નથી.' અચાનક કાલ જંગને લાગ્યું કે તેમની આંખોના પોપચા ચમકદાર બની લાલઘુમ થઇ રહ્યા હતા. અચાનક એક ધડાકો થયો. જે પુસ્તકો રાખવામાં આવેલ કબાટમાં થયો હતો.
કાર્લ જંગે કહ્યું કે 'હજી બીજો ધડાકો થશે.' કાર્લ જંગની વાત સાચી પડવાની હોય તેમ બીજો ધડાકો પણ થયો. આ ઘટના બાદ સિગ્મંડ ફ્રોઈડનો કાર્લ જંગ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમને લાગ્યું કે 'આ અલૌકિક ઘટના બનવા પાછળ કાર્લ જંગ પોતે જવાબદાર હતા'. ઘટના ઉદ્દેશીને કાર્લ જંગે સિગ્મંડ ફ્રોઈડને કહ્યું હતું કે 'આ ઘટના દુષ્ટાત્મા દ્વારા થતી ઉત્પ્રેરક બાહ્ય ઘટના હતી. જેની પાછળ એક ઘોંઘાટિયા, તોફાની દુષ્ટાત્મા જવાબદાર હતો..
- ફયુચર સાયન્સ- કે.આર.ચૌધરી
01 December 2020
મગજનો રોગોથી બચાવ કેવી રીતે કરશો?
મગજનો રોગોથી બચાવ કેવી રીતે કરશો?
૧. શરીરની અને મગજની કસરત કરવી પડશે : તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે માટે તમને ગમતી ૪૦ થી ૫૦ મિનીટની કસરત શરૂ કરી દો. લાફીંગ ક્લબની કસરત શ્રેષ્ઠ છે. નજીકના ગાર્ડનમાં લાફીંગ ક્લબની કસરત ચાલતી હોય તો ત્યાં જઇને શીખી લો અને અનુકુળ સમયે તમારા ઘરમાં કરી લો. નિયમિત કસરત કરવાથી તમારા મગજના કોષને ખૂબ શક્તિ આપનાર પૌષ્ટિક પદાર્થો વાળું લોહી મળશે. આ ઉપરાંત મગજની શક્તિ વધારવા આટલી વધારાની કસરત કરો. ૧. શબ્દ વ્યૂહ ભરો. ૨. સુડોકું ભરો. ૩. કોઇપણ તમને ગમતા લખાણનું એક પાનું બરોબર વાંચી ને પછી એજ લખાણ યાદ રાખી ને કોરા કાગળમાં લખો. ૪. જેટલા સગાવહાલા, મિત્રો, સંબંધીઓ, આડોશીપાડોશી આ બધામાંથી જેમના નામ યાદ આવે તે એક ડાયરીમાં લખો. પછી તમારા પતિ/પત્નીને કે દીકરા/દીકરીને એ ડાયરી આપી અને યાદ કરીને બોલી જાઓ. રોજના અખબારના હેડિંગ મોટેથી બોલી વાંચી જાઓ પછી એ અખબાર અરીસા સામે ધરી વાંચવા પ્રયત્ન કરો. ઉપરની બધી બાબત નિયમિત કરો.
૨. કેફી પદાર્થો લેવાના બંધ કરો : તમાકુ (સિગારેટ કે ગુટકા) અને દારૂ કે બીજા કેફી પદાર્થો લેતા હો તો તે તદ્દન બંધ કરી દો. ચા, કોફી, કોલા, ડ્રીન્ક્સ પીવાનું પ્રમાણ ઓછું રાખો કારણ વધારે પડતા કેફીનથી તમારા મગજની કાર્યશક્તિને નુકશાન થાય છે.
૩. પૂરતી ઊંઘ લો : છ થી આઠ કલાકની ઊંઘ લો : તમારા મગજને જિંદગીભર તંદુરસ્ત રાખવા આ વાતનું ધ્યાન રાખશો. સમયસર સુવાની અને સમયસર ઊઠવાની ટેવ પાડો. તમે સુઇ જાઓ છો ત્યારે તમારા મગજને આરામ મળે છે આ વાત યાદ રાખો. શરૂઆતમાં જરૂર લાગે તો તમારા ઊઠવાનો અને સૂવાનો સમય નક્કી કરવા મોબાઇલ ફોનની મદદ લો.
૪. ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર: વારસાગત કારણોને લીધે તમારા શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો તેનાથી તમારા મગજને નુકશાન થશે માટે બ્લડપ્રેશર અને ડાયાબીટીસ માટે બેદરકાર ના રહેશો. બંને રોગોના સ્પેશિયાલીસ્ટ ડોકટરની સલાહ લઇને યોગ્ય સારવાર કરી બંને રોગને કાબુમાં રાખો. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ટાઇપ-૨ મોટાભાગના કિસ્સામાં વધારે વજન (ઓબેસીટી)ને કારણે થાય છે. માનસિક તણાવથી બ્લડપ્રેશર થાય એની સમયસર કાળજી ના લેવાય તો હાર્ટ એટેક પણ આવે. એજ રીતે ''બોડી માસ ઈંડિક્ષ'' ૨૫ થી વધીને ૩૦ સુધી જાય તો વધારે વજન કહેવાય. આ બંને રોગને લીધે ફક્ત હાર્ટ એટેક જ નહીં પણ મગજના રોગો ''અલ્ઝમર ડીસીઝ'' અને ''સ્ટ્રોક'' થઇ શકે. મગજને નુકશાન કરે તેવા આ બંને રોગ બ્લડપ્રેશર અને ડાયાબીટીસની યોગ્ય સારવાર કરી બંને રોગને કાબુમાં રાખો નહિ તો તમારા મગજની કાર્યશક્તિ ઉપર ઘણી અસર પડશે.
૫. મગજને શક્તિ મળે તેવો ખોરાક લો : સમતોલ, પૌષ્ટિક અને ચોખ્ખો ખોરાક લો. જેમાં ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન, ૨૫૦ થી ૩૦૦ ગ્રામ કોમ્પ્લેક્ષ કાર્બોહાયડ્રેટ અને ૩૦ થી ૪૦ ગ્રામ તેલ અને ઘી જેવા ચરબીવાળા પદાર્થો ઉપરાંત કુદરતી પદાર્થો જેમાંથી તમારા શરીરને જરૂરી વિટામીન, મિનરલ અને ફાઇબર મળે માટે દિવસમાં ૨ થી ૩ તાજાફળો અને ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલા લીલા શાકભાજી ખાઓ. રોજના ખોરાકમાં કોઇ ધાર્મિક બાધ ના હોય તો રોજના ખોરાકમાં બે કે ત્રણ કળી લસણની લેવાથી શરીરમાં સેરોટીનીન નામના ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ વધે છે જેનાથી મગજની કાર્યશક્તિ સુધરે છે. પાલખની ભાજી : પાલખમાં વિટામિન બી-૬, વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ મળે છે જેનાથી મગજની એકાગ્રતા વધે છે. હળદરમાં ઓમેગા - ૩ ફેટી એસિડ છે જે મગજના કોષોને ચેપ લાગતો અટકાવે છે. મગજને શક્તિની ઘણી જરૂર છે કારણ તે આખી જિંદગી દિવસ રાત સતત કાર્યરત છે માટે આગળ જણાવેલી વસ્તુઓ સિવાય લીલી ચા, બદામ, ડાર્કચોકલેટ, નારંગી જાંબુ, શેતૂર, સ્ટ્રોબેરીમાંથી જે મળે તેનો નિયમિત ઉપયોગ કરવાથી મગજને રોગ થતાં અટકશે અને આ બધાંની સાથે રોજનું બેથી અઢી લીટર જેટલું પાણી પીવાનું ભૂલશો નહીં.
૬. કાનની અને આંખોની તપાસ : તમને બરોબર દેખાતું ના હોય કે બરોબર સંભળાતું ના હોય ત્યારે તમારા મગજને બધી જ બાબતો રેકોર્ડ કરવામાં મુશ્કેલી પડશે અને તેને કારણે લોકોની સાથે વાતચીતમાં તકલીફ પડશે માટે તમારા કાનની અને આંખોની તપાસ નિયમિત કરાવો.
૭. બને તેટલી ઓછી દવાઓ લો : તમારા મગજને જીવનભર યોગ્ય રીતે કામ કરી શકે માટે જરૂર પડે તેટલી જ દવાઓ લો. મગજની કાર્ય શક્તિ વધારવા શરીર સાથે કોઇ અખતરા ના કરો.
૮. અકસ્માતથી તમારો બચાવ કરો : અકસ્માત થવાથી અથવા ઘરમાં કે બહાર પડી જવાથી તમારા માથાને ઈજા થાય તો મગજના ઘણા પ્રોબ્લેમ થાય માટે અકસ્માતથી તમારો બચાવ કરો. દાદરા ચઢતી કે ઊતરતી વખતે ધ્યાન રાખો.
૯. તમારી એટીટયુડ પોઝીટીવ રાખો : જેમ જેમ ઉંમર થાય એટલે શરીરની બધી જ સીસ્ટમ ઓછું કામ કરે એવો ખ્યાલ મગજ માટે ના રાખશો. જો આગળ જણાવેલી બધી જ વાતોનું ધ્યાન રાખશો તો તમારા મગજની કાર્યશક્તિ જીવનભર અકબંધ રહેશે. આ બાબતો માટે તમારી એટીટયુડ પોઝીટીવ રાખો.
૧૦. માનસિક તનાવ વધશે તો મગજના રોગો તરત થશે : એક નિયમ કરીને સૂતા પહેલા રોજ ૩૦ મિનિટ મનને શાંત કરવા પ્રાણાયામ કરવાનું ભૂલતા નહીં.
- ફિટનેસ- મુકુંદ મહેતા
- શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો તેનાથી તમારા મગજને નુકશાન થશે માટે બ્લડપ્રેશર અને ડાયાબીટીસ માટે બેદરકાર ના રહેશો
Subscribe to:
Posts (Atom)