Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

30 September 2020

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો


“છેલ્લા પાંચ વર્ષ માં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મારુ માથુ ના દુખ્યુ હોય. અરે એક પણ દિવસ શાંતી નહી. માથુ એવુ ભારે થઇ જાય કે ના પુછો વાત. ક્યારેક તો માથા પછાડવા નું મન થાય.શરુ શરુ માં તો દુખાવા ની દવાઓ મેડીકલ સ્ટોર માંથી લઇ આવીએ એટલે થોડી રાહાત થતી. પણ હવે તો રાહાત નું નામ જ નહીં. કોઇ દવા અસર કરતી નથી. કેટલાયે ડોક્ટર ને બતાવ્યુ પણ વ્યર્થ. કોઇની દવા લાગુ પડતી નથી” અંજલી આવતાજ બોલવા લાગી.

“આ સિવાય કોઇ તકલીફ ખરી?” મે પુછ્યુ.

“હા… રાત્રે ઉંઘના આવે. કંઇ ગમે નહી. કોઇ કામ ના થાય. કોઈ સાથે વાત કરવી ના ગમે. અરે, એવુ લાગે કે જાણે શરિર માંથી બધી શક્તી જતી રહી છે. થોડી જ વાર માં થાકી જવાય. બેચેની જેવુ લાગ્યા કરે.એવુ લાગે કે ક્યાંક જતી રહુ. અરે ડોક્ટર સાહેબ આ બીમારી કરતા તો મોત સારુ.” અંજલી એ પોતાની વ્યથા ઠાલવી.

અંજલી ના લગ્ન ને પાંચેક વર્ષ થયા હ્શે. લગ્ન ના છએક મહીના માં જ માથા નો દુખાવો શરુ થઇ ગયો. પતિ ને દારુ નુ વ્યસન. શરુ માં તો દિવસે કામ પર જતો અને સાંજે દારુ પીતો. પણ લગ્ન નાં થોડાજ મહિનાઓ માં કામે જવાનુ બંધ કરી ઘરેજ ફુલટાઇમ દારુ શરુ દરી દિધો. અંજલી એ જ નાનુ મોટુ કામ શોધી ઘર ચલાવ્વુ પડાતુ. એક પછી એક એમ બે દિકરી ઓ ના જન્મ પછી સાસુ એ પણ તેની સાથે ખરાબ વ્યવહાર શરુ કર્યો. સાસુ ને દિકરો જોઇએ અને પતિ ને પૈસા. જો પૈસા ન મળે તો માર-ઝુડ થાય, પિયર માં મોકલી દેવાની અને છુટાછેડાની ધમકી મળે. પિયરમાં વિધવા માતા પાસે જઇ ને તેની મુશકેલી વધારવા નહોતી માંગતી… બે વર્ષ પહેલા ઉદર મારવાની દવા પી કરેલ આપઘાત નો પ્રયાસ. પણ સમયસર સારવાર મળતા બચી ગઇ.

“બસ ડોક્ટાર સાહેબ, આ છે મારી જીવન કથા.બસ બે દિકરીઓ માટે જીવુ છુ.” અને અંજલી ધ્રુસકે – ધ્રુસકે રડવાં લાગી.

અંજલી “ટેન્શન ટાઇપ હેડએક” અર્થાત, સ્નાયુ ના ખેંચાંણ થી થાતા માથા ના દુખાવા સાથે સાથે ડિપ્રેશન થી પીડાય છે.

‘ઇન્ટરનેશનલ હેડએક સોસાયટી’ ના સર્વેક્ષણ મુજબ “ટેન્શન ટાઇપ હેડએક” એ માથા નાં દુખાવાના બધાજ કારણો માં નંબર ૧ કારણ છે. માથાના દુખાવાની તકલીફ ધરાવતા દર્દિઓ માં ૬૦ થી ૭૦ % દર્દિઓ “ટેન્શન ટાઇપ હેડએક” થી પિડાય છે. જ્યારે “માઇગ્રેન” નુ પ્રમાણ ૨૫ થી ૩૦% છે.

“ટેન્શન ટાઇપ હેડએક” માં ‘ટેન્શન’ શબ્દ આવે છે. જે ‘મસ્લસ ટેન્શન’ અર્થાત સ્નાયુ ના ખેંચાળ નો નિર્દેશ કરે છે. દરેક દર્દિઓ માં અંજલી ની માફક જીવન માં ટેન્શન હોવુ જરુરી નથી.

ડિપ્રેશન ના મોટાભાગ નાં દર્દિઓ માથાનો દુખાવો કે અન્ય શારિરિક સમસ્યા લઇને ડોક્ટર પાસે આવે છે. કદાચ આપણૉ સમાજ મન ની ઉદાસી, થાક, ચિડિયાપણુ કે જીવન માં નીરસતાને બિમારી ગણતો નથી.પણ શારિરિક દુખાવા ને બિમારી ગણે છે. અરે, સતત આપઘાત નાં વિચારો અને એક વાર ના આપઘાત ના પ્રયત્ન ને ગંભીર ગણી અંજલી દવાખાને આવતી નથી. પણ માથાના દુખાવા ની સારવાર માટૅ આવે છે.

ડિપ્રેશન ઉપરાંત, ચિંતારોગ, ધુન રોગ, સોમેટોફોર્મ ડિસઓર્ડર જેવી બીમારીઓ માં પણ માથાનો દુખાવો જોવા મળે છે. જો આ બિમારીઓ ને સમયસર ઓળખીને તેની સારવાર કરવામાં ના આવે તો આ બિમારીઓ વધુ જટિલ થઇ જવાનુ જોખમ છે. આ ઉપરાંત માથાના દુખાવાની સારવાર માં પણ જોઇએ તેટલી સફળતા મળતી નથી.

“ટેન્શન ટાઇપ હેડએક” પ્રકાર ના માથાં ના દુખાવાની સારવાર માટૅ ટ્રાઇ સાઇક્લિક એન્ટિ ડિપ્રેશન્ટ, જેવી કે ઇમીપ્રામીન કે એમીટ્રીપટીલીન જેવી દવાઓ વાપરવામાં આવે છે. પરંતુ સાથેસાથે ડિપ્રેશન કે અન્ય માનસિક તકલીફો ની પણ સારવાર કરવી ઉત્તમ પરિણામ મેળવ્વા માટે અત્યંત જરુરી છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

27 September 2020

મનોવ્યાધિ : માનસિક સ્વાસ્થ્યને કોતરી ખાતી અદ્રશ્ય ઉધઈ!

મનોવ્યાધિ : માનસિક સ્વાસ્થ્યને કોતરી ખાતી અદ્રશ્ય ઉધઈ!

         શેક્સપિયરના નાટકોની માફક બોલિવૂડમાં વધુ એક કરૂણાંતિકા ગઈકાલે બની. ‘છિછોરે’ જેવી ફિલ્મ, જેમાં બાપ પોતાના સંતાનને આત્મહત્યા ન કરવા સમજાવતો હોય એમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકેલા સુશાંતસિંહ રાજપૂતનો જીવનદીપ બૂઝાયો. 2020ની સાલના શરૂઆતના છ મહિના અત્યંત દુષ્કર અને ભયાવહ પૂરવાર થયા છે. આપણે એ ભૂલી ગયા છીએ કે, શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ કરોડો લોકોના માનસિક સ્વાસ્થ્ય પણ જોખમમાં છે.


‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન’ના આંકડા મુજબ, ભારતની 6.5 ટકા વસ્તી ગંભીર માનસિક રોગથી પીડાઈ રહી છે. દર 1 લાખ વ્યક્તિમાંથી 10.9 વ્યક્તિ માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરે છે. જેમાંથી મોટાભાગના લોકો 44 વર્ષથી નીચેના હોય છે! પાછલા બે મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કુલ 8 સેલિબ્રિટીઓએ આત્મહત્યા કરી છે. ટેલિવિઝન એક્ટર્સ મનપ્રિત ગ્રેવાલ, મનજોત સિંહ, અને પ્રેક્ષા મહેતા; કન્નડ ટીવી એક્ટર ચંદના તેમજ બે તમિલ એક્ટર્સ શ્રીધર તથા જયા કલ્યાણી ઉપરાંત સેલિબ્રિટી મેનેજર દિશા સલિયન અને હવે સુશાંતસિંહ રાજપૂત!

‘લેન્સેટ’ મેડિકલ જર્નલ દ્વારા ભારતની મેન્ટલ હેલ્થ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. દોઢેક વર્ષ પહેલા સામે આવેલા વાર્ષિક આંકડામાં, ભારતના અંદાજે 20 કરોડ જેટલા લોકો મનોરોગથી પીડાઈ રહ્યા છે. જેમાંના 4.5 કરોડથી વધુ લોકો ડિપ્રેશનને લગતી સમસ્યા અને પાંચેક કરોડ જેટલા લોકોને બેચેની-ચિંતા-માનસિક તાણનો ભોગ બન્યા છે. તદુપરાંત સ્ક્રિઝોફેનિયા, ઑટિઝમ, ADHD(અટેન્શન ડિફિસિટ હાઇપર-એક્ટિવિટી ડિસઑર્ડર) સહિતની મનોવ્યાધિ પણ ખરી! ચોંકાવનારી બાબત એ છે કે, ભારતમાં દર સાતમી વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના મેન્ટલ ડિસઑર્ડરનો સામનો કરી રહી છે!

10 ઑક્ટોબર, 1964ના રોજ ગુરૂ દત્તે પેડર રોડ ખાતેના પોતાના એપાર્ટમેન્ટમાં જ્યારે આત્મહત્યા કરી ત્યારે પણ ભારત હચમચી ગયું હતું. ઊંઘની ગોળી અને આલ્કોહોલના મિશ્રણને કારણે આમ થયું હોવાનો ખુલાસો થયો. જોકે, આત્મહત્યા કરવા માટે ગુરૂ દત્તનો આ ત્રીજો પ્રયાસ હતો. કુશલ પંજાબી, જીયા ખાન સહિત, ભૂતકાળમાં બિગ-બોસ પ્રતિસ્પર્ધી અને બાલિકા વધુ ફેમ પ્રત્યુષા બેનર્જીએ પણ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી. દીપિકા પદુકોણ પણ આનો શિકાર બની ચૂકી છે. મુદ્દો એ છે કે, સેલિબ્રિટીની આત્મહત્યાને આપણે ટવીટર પર ટ્રેન્ડિંગ બનાવીને નોંધારી મૂકી દઈએ છીએ. માનસિક સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે જે પગલાં લેવા જરૂરી છે, એ લેવાતાં નથી.

આલેખન - પરખ ભટ્ટ : સુશાંતસિંહ રાજપૂતની કરિયર અને અંગત જીવન વિશે લખવાની કોઈ જ ઇચ્છા નથી, કારણકે પ્રત્યેક ન્યુઝ ચેનલ અને અખબારોમાં એ જ બધું ચાલી રહ્યું છે. તેણે કેટલી ફિલ્મો કરી, બોક્સ-ઑફિસ પર કેટલી સફળ થઈ, અંગત જીવનમાં કેવા ચડાવ-ઉતાર આવ્યા, ટેલિવિઝનથી ફિલ્મ સુધીની સફર કેવી રહી, એન્જિનિયરમાંથી એક્ટર કઈ રીતે બનવાનું થયું વગેરે વગેરે બાબતો ઑલરેડી તમારી આંગળીના ટેરવે છે. મારે જે વાત કરવી છે, એ આત્મહત્યાની સમસ્યાના મૂળિયાની છે.

માણસનાં જીવનને સ્થિરતા અપાવવા માટે ઘણાં-બધાં પરિબળો કામ કરતાં હોય છે. પરિવારજનોનો સાથ, મિત્રોનો સંગાથ, સહકાર્યકરોનો સહકાર આ બધી જ લાગણીઓનો સરવાળો કરીએ તો પરિણામસ્વરૂપે વ્યક્તિ એક સુખી અને સમતોલ જીવન જીવી શકે! જીવનરૂપી રથને દોડાવવા માટે તેનાં બે પૈડાંનું સમતોલન આવશ્યક છે.

એક પણ પૈડું નબળું પડ્યું તો તેની અસર બીજા પૈડાં પર પણ થાય જ છે. આજે જે વાત કરવી છે એ વાતનો મુદ્દો આપણને બધાંને ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક દિવસે તો સ્પર્શ્યો જ છે. એ પ્રકારની મનોદશામાંથી આપણે સૌ એકવાર તો પસાર થઈ જ ચૂક્યાં જ છીએ. મુદ્દો છે ‘ડિપ્રેશન’!

આપણાં સમાજમાં વ્યાપક માન્યતા પ્રવર્તે છે કે ડિપ્રેશનનો ભોગ બનનાર વ્યક્તિ કાંં તો આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ હોય છે કાંં તો નિષ્ફળતાથી! મનોવૈજ્ઞાનિક (સાઈકોલોજિસ્ટ) અને કાઉન્સેલરનાં મત પ્રમાણે, આ બધાં ફેક્ટર્સ તો પ્રમાણમાં ઓછા જવાબદાર છે.

એવું બિલકુલ નથી કે ડિપ્રેશન માત્ર ગરીબોમાં કે મધ્યમવર્ગીય લોકોમાં જ જોવા મળે! અત્યંત અમીર અને સફળતાનાં શિખર પર બિરાજેલાં માણસને પણ ક્યારેક આ સ્થિતિનો સામનો કરવાનો વખત આવે છે. વધુ પડતી સફળતા પણ સારી નથી અને વધુ પડતી નિષ્ફળતા પણ નહિ!

જ્યાં અતિની ગતિ થાય છે ત્યાં દરેક વખતે એ અતિ, અનેક આડઅસરો લઈને આવે છે. દીપિકા પદુકોણ અને રેપ સિંગર યો યો હનીસિંહ આ તબક્કામાંથી બહાર નીકળ્યાં છે. તમાશા એક્ટ્રેસ દીપિકાની વાત કરીએ તો, તે જ્યારે જીવનનાં સૌથી સફળ તબક્કામાં હતી ત્યારે જ ડિપ્રેશનનો શિકાર બની! ‘ગોલીયોં કી રાસલીલા - રામલીલા’ રીલિઝ થઈ ચૂકી હતી.

અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘પીકુ’નું શુટીંગ કોલકાતામાં ચાલી રહ્યું હતું. હવે સવાલ ત્યાં પેદા થાય છે કે આટલી સફળ અભિનેત્રીનાં જીવનમાં કોઈ કમી ન હોવા છતાં પણ તે ડિપ્રેશનનો ભોગ કઈ રીતે બની?

એ વાતમાં જરા પણ તથ્ય નથી કે સફળ વ્યક્તિ ક્યારેય ડિપ્રેશનનો ભોગ ન બની શકે. સફળતા પોતાની સાથે ઘણી બધી ચુનૌતીઓ લઈને આવે છે. જે લોકો સફળતાને પચાવી જાણે છે તેઓ કદાચ પોતાની જાતને ડિપ્રેશનથી દૂર રાખી શકતાં હશે! દીપિકા એક મહિના સુધી ડિપ્રેશનથી પીડાતી હતી.

જાહેર સ્થળોએ અચાનક રડી પડવું, એકલતા અનુભવવી, ખાલીપો લાગવો, મનનું બેચેન થવું, આકુળ-વ્યાકુળ થવું, કોઈ પ્રવૃત્તિમાં ચેન ન પડવું, કોઈ સાથે વાત કરવાનું પસંદ ન પડવું આ બધાં ડિપ્રેશનનાં લક્ષણો છે. આપણાં બધાં સાથે આમાંની કોઈક વસ્તુઓ થઈ ચૂકી છે. પરંતુ એ સમયે કદાચ આપણને જ્ઞાન નહોતું કે આ ડિપ્રેશનની ચુંગાલમાંથી કઈ રીતે છૂટી શકાય!

દરેક માણસ દીપિકા પદુકોણ કે હનીસિંહ જેટલો નસીબદાર નથી હોતો કે રિહેબ સેન્ટરમાં જઈ મનોવૈજ્ઞાનિક પાસે પોતાની વાત રજૂ કરી સારવાર કરાવી શકે. આપણાં દેશની ઉપરાંત વિદેશની કંઈકેટલીય હસ્તીઓએ ડિપ્રેશન અને ટેન્શનનો ભોગ બનીને આત્મહત્યાઓ કરી લીધી છે.

સ્કિઝોફ્રેનિયા એક એવો માનસિક રોગ છે જેમાં માણસ પોતાની જાતને નુકશાન કરવા માટે પ્રેરિત થાય છે. ડિપ્રેશનનો ભોગ બનેલ વ્યક્તિને જો સમયસર સારવાર ન મળે તો તેને સ્કિઝોફ્રેનિક બનતાં વાર નથી લાગતી!

ભારતની વાત કરીએ તો હિટ ફિલ્મમેકર ગુરુ દત્ત ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. તે સમયની ઉત્તમ અભિનેત્રી વહિદા રહેમાન સાથેનાં પ્રણયસંબંધનો દુ:ખદ અંત આવતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ઉપરાંત, સાઉથ ઈન્ડિયન સેક્સ સિમ્બોલ એક્ટ્રેસ સિલ્ક સ્મિતાની સાથે પણ આવી જ કરૂણાંતિકા ઘટી હતી. જેના પરથી તો વિદ્યા બાલનની ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ પણ બની ચૂકી છે.

અમર અકબર એન્થની તથા ધરમવીર જેવી સુપર સક્સેસફુલ ફિલ્મ આપનાર પ્રોડ્યુસર-ડિરેક્ટર મનમોહન દેસાઈએ પણ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. હાઉસફુલ એક્ટ્રેસ જીયા ખાન, 19 વર્ષની દિવ્યા ભારતી, ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નફીસા જોસેફ, પરવીન બાબી અને બાલિકાવધુ ફેમ પ્રત્યુષા બેનરજી આ બધાં એવાં નામો જે એક સમયે સફળતાની ટોચ પર હતાં અને છતાંય જેમણે ડિપ્રેશનનો શિકાર બની મોતને વ્હાલું ગણ્યું.

6 ઓગસ્ટ, 1962ની સવાર સમગ્ર ન્યુયોર્ક માટે ઘણી જ આઘાતજનક રહી. ત્યાંના સ્થાનિક અખબાર ‘ન્યુયોર્ક મીરર’નાં ફ્રન્ટ પેજ પર મેરેલિન મનરોનાં સ્યુસાઈડ (આત્મહત્યા)નાં સમાચાર છપાયેલાં હતાં. 1950નાં જમાનાની સફળત્તમ હિરોઈન તથા સેક્સ સિમ્બોલ ગણાતી મેરેલિન મનરોએ પોતાની 36 વર્ષની જિંદગીમાં એવો મુકામ હાંસિલ કર્યો હતો જે સામાન્ય વ્યક્તિ માટે કદાચ અશક્ય લાગે! ‘નાએગ્રા’, ‘બસસ્ટોપ’, ‘ધ સેવન યર ઇચ’ જેવી બોલ્ડ ફિલ્મો આપનાર મેરેલિન મનરો પોતાનાં અંગત જીવનમાં ખૂબ દુ:ખી હતી.

ડ્રગ્સનું બંધાણ, કરિયરની ચિંતા, પ્રેમની ઉણપ, માનસિક બેચેની, અને ડિપ્રેશન જેવાં કારણોને લીધે તેણે ઘેનની દવા ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી નાખી! અન્ય એક કિસ્સા તરફ નજર ફેરવીએ તો, ’બેટમેન:ધ ડાર્ક નાઈટ’ શ્રેણીમાં જોકરનું પાત્ર નિભાવતાં હિથ લેજરએ ડિપ્રેશનમાં આવીને આ જ ઘટનાનું પુનરાવર્તન કર્યુ! મશહુર કોમેડિયન રોબીન વિલિયમએ પંખા સાથે લટકીને પોતાની જાન આપી દીધી..!

ઘણાં લોકો એવું માને છે કે સાઇકિયાટ્રીક (મનોવૈજ્ઞાનિક) કે કાઉન્સેલર પાસે એવાં જ વ્યક્તિને મોકલવામાં આવે છે કે જે પાગલ-ગાંડો-ધૂની હોય! જે ખરેખર મિથ્યા છે. હાર્ટથ્રોબ વરૂણ ધવન, સંજય દત્ત, રોમાન્સ કિંગ શાહરૂખ ખાન, ધર્મેન્દ્ર જેવાં તમામ કલાકારોએ પોતાની સારવાર મનોવૈજ્ઞાનિક પાસે કરાવી છે.

મશહૂર ફિલ્મ ‘હેરી પોટર’ની લેખિકા જે.કે.રોલિંગ એક સમયે ગંભીર રીતે એન્ઝાઈટી(બેચેની) અને ડિપ્રેશનનો શિકાર બની હતી. ઓસ્કર વિજેતા અદાકારા અન્જેલિના જોલી તથા બ્રાડ પીટનો સમાવેશ એવાં લોકોમાં કરી શકાય જેણે પોતાની આ બીમારી સામે ખૂબ ધીરજપૂર્વક અને હિંમતથી બાથ ભીડી. વર્લ્ડ ફેમસ કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ એલનએ 1997માં પોતાની લેસ્બિયન હોવાની જાહેરાત કરી, ત્યારબાદ લોકોનાં નકારાત્મક પ્રતિભાવોને કારણે તે 3 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી હતી.

ઘણાં બધાંએ ‘બાર બાર દેખો’ ફિલ્મ જોઈ હશે. તેમાંનો એક સંવાદ અહીં યાદ કરવા જેવો છે:- લાઈફ ઈઝ લાઈક મેથ્સ. ગણિતનાં દરેક સમીકરણો માટે ડાબી બાજુ અને જમણી બાજુ એકસમાન થઈ જવી જરૂરી છે, તો જ સમીકરણ બેલેન્સ્ડ(સંતુલિત) ગણાય. જીવનનું સંતુલન પણ આ રીતે જળવાતું રહેવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં મનને સંતુલિત રાખીને લેવામાં આવતાં નિર્ણયો ક્યારેય ખોટાં નથી પડતાં.

દીપિકા પદુકોણ હાલમાં ડિપ્રેશન વિશે લોકોને જાગૃત કરી રહી છે. આ માટે તેણે એક NGO (નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કર્યુ છે. આ ઉપરાંત બીજા ઘણાં કલાકારો સામાજિક કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. જીવનનો હાર્દ સમજવા માટે એક નિશ્ચીત લક્ષ્ય સુધી પહોંચવું જરૂરી છે.

નિશ્ચીત લક્ષ્ય સુધી પહોંચવા માટે એક નિશ્ચિત ધ્યેય બનાવવું પડે છે. અંધાધૂંધ ટ્રાફિક જેવી જિંદગી જીવવા કરતાં એક ચોક્કસ લક્ષ્યવાળી જિંદગી જીવવાનો અનેરો આનંદ છે.

23 September 2020

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

ડિમેન્શિયા વિષે જાગૃત બનીએ

          છેલ્લાં થોડાં વર્ષોથી માનસિક રોગ વિષે જાણકારી વધુ ઉપલબ્ધ થતી જાય છે, અને લોકો તે વિષે જાગૃત પણ થતાં જાય છે. તેમાંની એક બીમારી છે ડિમેન્શિયા. એ શબ્દ સાંભળતાં તમને કયો વિચાર આવે, તેમ પૂછો તો સહુ અલગ અલગ જવાબ આપશે; કોઈ કહેશે વિસ્મૃતિ, તો કોઈને વૃદ્ધાવસ્થા યાદ આવે, કોઈ તેને આલ્ઝાઈમર સાથે પણ સરખાવે. આ પ્રતિભાવો સ્વાભાવિક છે.

           દર વર્ષે 21મી સપ્ટેમ્બરનો દિવસ આલ્ઝાઈમર જાગૃતિ માટે ફાળવવામાં આવ્યો છે. આલ્ઝાઈમર ડિમેન્શિયા થવા માટેનું ઘણામાંનું એક કારણ પણ છે. લગભગ સોએક વર્ષથી આલ્ઝાઈમર રોગનાં કારણો માટે સંશોધનો થતાં રહ્યાં છે, પરંતુ તેનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી હાથ નથી લાગ્યું. યુનાઇટેડ કિંગ્ડમમાં આશરે 8,50,000 લોકોને ડિમેનશિયા છે, અને દુનિયામાં લગભગ 40 કરોડથી વધુ લોકોને આ રોગનો ભોગ બનવું પડ્યું છે. એટલે કે દુનિયામાં ઘણાં લોકોને આ બીમારીથી મુક્ત કરવા, એ મોટો પડકાર છે. 

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું?


           તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. જેમ કે યાદશક્તિ ખોઈ બેસવી, સમસ્યા ઉકેલતી વખતે કે ભાષાનો ઉપયોગ કરતાં મુશ્કેલી અનુભવવી, અને મૂડ, આસપાસનાં વાતાવરણને સમજવાની દ્રષ્ટિ અને વર્તનમાં ફેરફાર થવો. શરૂઆતમાં આ ફેરફાર સામાન્ય લાગે તેવા હોઈ શકે, પણ રોજિંદા જીવનને બહુ ખરાબ અસર કરી શકે. મગજના સામાન્ય કોષોમાં અસાધારણ એવા એમિલોઈડ અને ટાઉ નામના પ્રોટિન જમા થાય, જેથી મગજના કોષો એકબીજા સાથે સંદેશની આપ લે ન કરી શકે અને તેમાં વિકૃતિ આવે.

ડિમેન્શિયાના મુખ્ય ચાર પ્રકારો છે:

         આલ્ઝાઈમર, વાસ્ક્યુલર, લુઇ બોડી અને ફ્રન્ટોટેમ્પોરલ. ડિમેન્શિયા થયેલ વ્યક્તિઓની કુલ સંખ્યામાંથી 60-70%ને આલ્ઝાઈમર કારણભૂત હોય છે, 20%ને વાસ્ક્યુલર ડિઝિઝ જવાબદાર હોય છે, 5-10%માં લુઇબોડી અસરકર્તા હોય છે, તો 10-15%ને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા લાગુ પડેલો હોય છે.

આલ્ઝાઈમરમાં મગજમાં પ્રોટિનના ફેરફારને કારણે મગજના જ્ઞાનતંતુઓ સંદેશ ન આપી શકે. સ્ટ્રોક થયા બાદ, લોહીનું પરિભ્રમણ ઓછું થાય, જેથી પ્રાણવાયુ ઓછો મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થાય. લુઈબોડીમાં ચેતા કોષોમાં નાના ગઠ્ઠા જમા થતા હોય છે, જે કેમિકેલ સંદેશવાહકોનું પ્રમાણ ઘટાડે છે, જેમ કે પાર્કિન્સન્સમાં લુઈબોડી જમા થતા હોય છે. ફ્રન્ટોટેમ્પોરલ પ્રકારમાં વર્તન, ભાવાત્મકતા અને ભાષા કૌશલ્ય પર અસર થતી જોવામાં આવે છે.

ડિમેન્શિયાનો રોગ કોને લાગુ પડી શકે?

              આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. યુનાઇટેડ કિંગ્ડમમાં એ સંખ્યા 42,000ની છે. ભારતમાં પણ આ બીમારીનો આંક ઊંચો ચડતો જાય છે. ખરા અર્થમાં આ એક વૈશ્વિક સમસ્યા બનતી ચાલી છે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને તેમનાં માતા કે પિતાને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દરદી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતાં હોય છે.

ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે:

              
      “ડિમેન્શિયા એ એક એવી બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટે વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે જે મગજના કોષોના સતત અને રોકી ન શકાય તે
વા નાશને પરિણામે બનતું હોય છે.”

            સ્મૃિતભ્રંશ એટલે વારંવાર કોઈ વાત ભૂલી જવી એમ આપણે માનીએ છીએ. તો શું સ્મૃિતભ્રંશ એટલે જ ડિમેન્શિયા? કેટલીક વાતો ક્યારેક ભુલાઈ જાય તે સ્થિતિ છે જે વધતી ઉંમરને કારણે બની શકે. જ્યારે તાજેતરમાં બનેલ ઘટના કે વાત વારંવાર ભૂલી જઈએ એ ડિમેન્શિયાનું એક લક્ષણ છે. એવાં બીજાં અનેક લક્ષણો છે. રોજબરોજનાં કાર્યો જેવાં કે જાતે તૈયાર થવું, ચા બનાવવી કે રોજિંદા કાર્યો કરવામાં ભૂલ થાય. ઘણી વખત વ્યક્તિ ખોટા ક્રમમાં એ કામ કરે જેમ કે નાહ્યાં પહેલાં દિવસનાં કપડાં પહેરી લે અથવા લીધેલ કામ પૂરું ન કરે, જેમ કે શાક સમારીને વઘારતાં ભૂલી જાય. એ જ રીતે જે કહેવું હોય તે માટેના યોગ્ય શબ્દો ભુલાઈ જાય અથવા કોઈ કઇં કહે તે બરાબર સમજી ન શકે; વળી કેટલાકને સમય અને સ્થળનો ખ્યાલ ન રહે, જેમ કે રાત્રે ત્રણ વાગે નાહવાં જતાં રહે અથવા તૈયાર થયાં પછી બહાર જવાને બદલે પથારીમાં સૂઈ જાય. મોટી મુશ્કેલી ત્યારે જણાય જ્યારે નિર્ણય શક્તિ નબળી થવા લાગે, જેમ કે શિયાળામાં ઉનાળાના કપડાં પહેરી બહાર જવાં લાગે અને જો તેમ કરતાં કોઈ રોકે તો નારાજ થાય. બીમારી આગળ વધે ત્યારે ટ્રાફિકના જોખમનો ખ્યાલ ન રહે એવું પણ બને. બીજું ઉદાહરણ, ન જોઈતી વસ્તુઓની વધુ પડતી ખરીદી કરે અને બીજાંને દાન આપી દે કે બેંકમાં પૈસા ન હોય તો પણ ચેક લખી આપે અથવા બે વખત ચુકવણું કરી બેસે.

            આ બીમારીના ભોગ બનેલને એવું પણ બનવા લાગે કે પોતાની વસ્તુઓ ક્યાં મૂકી છે તે ભુલાઈ જાય, જેમ કે ચશ્માં, દવા, બેટરી વગેરે અને તેમ થવાથી નારાજ થઇ જાય, વસ્તુઓ ગમે ત્યાં મુકાઈ જાય અને પરિણામે મૂંઝવણ થાય. અધૂરામાં પૂરું બીજા પર શક કરવા લાગે અને પોતાની પાસે જે વસ્તુ ન હોય તે પણ શોધવા લાગે. એવું પણ જોવામાં આવે કે એ વ્યક્તિનાં મૂડ અને વર્તનમાં બદલાવ આવે. કોઈ વ્યક્તિ કે વસ્તુ ઓળખવામાં મુશ્કેલી પડવાં લાગે. છેવટ દરદીની નોકરી અને સામાજિક સંબંધો પણ છૂટી જાય તેવું બને. આવાં લોકો ધીમે ધીમે વધુને વધુ એકલાં રહેવા લાગે, સૂતાં રહે અને કશામાં રસ ન લે. ગુસ્સો, ઉદાસી અને ભય તેમને ઘેરી વળે.

          ડિમેન્શિયા થવાં માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં પરિબળો છે; જેવાં કે ધુમ્રપાન, પ્રમાણ કરતાં વધુ આલ્કોહોલનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા, બહેરાશ, સમાજ સાથે સંબંધ છૂટી જવો અને શિક્ષણનો નીચો આંક. 35થી 65 વર્ષની ઉંમરમાં જીવન પદ્ધતિ પ્રતિકૂળ હોવાને કારણે આ બીમારી થતી હોય છે. જોવાનું એ છે કે ડિમેન્શિયાનાં નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જ ડિમેન્શિયાની તકલીફ શરૂ થઇ હોવાનું સૂચવે છે.

તો શું ડિમેન્શિયા થતું અટકાવી શકાય?


           ઉપર જે પરિબળો જોયાં તેમાંના 35% વિષે આપણે કઇંક કરી શકીએ તેમ છીએ. શરીર અને મગજને વૃદ્ધવસ્થાની અસર ઓછી થાય કે મોડી થાય તે માટે સક્રિય બનવું જરૂરી છે, કેમ કે હવે સામાન્ય આયુષ્ય મર્યાદા વધી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આ બાબતમાં પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે ધુમ્રપાન અને આલ્કોહોલ જેવાં માદક દ્રવ્યોનાં વ્યસનથી મુક્ત થવું, શારીરિક પ્રવૃત્તિઓ અને કસરત તથા યોગાસન કરતાં રહેવું, જેથી મગજ તેનાં કાર્યો સારી રીતે કરી શકે; તથા સમતોલ આહાર લેવો જેથી ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બ્લડ પ્રેશરને દૂર રાખી શકાય. બેઠાડું જીવનને બદલે પ્રવૃત્તિમય રહેવાથી રોજિંદાં કાર્યો કરવાની શક્તિ જળવાઈ રહે, હતાશાનો ભોગ ન બની જવાય અને બીજાં સાથે સંપર્કમાં રહેવાથી પ્રસન્નતા જળવાઈ રહે જે આવા શારીરિક અને માનસિક રોગને નિવારવા ઘણું ઉપયોગી થાય. આપણાં જેવાં લોકો પોતાના જીવનના અનુભવો સહેલાઈથી વ્યક્ત કરે છે, કુટુંબ અને સમાજમાં હળતાં મળતાં રહે છે અને ઊંઘ કે ભૂખના દરદોથી ઓછાં પીડાય છે તે ચાલુ રાખવું જોઈએ. પરંતુ શરીરને સક્રિય રાખવું, કોઈ જાતનાં દબાણ અને ચિંતાથી દૂર રહેવું, નવું નવું શીખવાની અને બનાવવાની ટેવ પાડવી અને મગજને સતેજ રાખે તેવી રમતો રમવી. આ બધું જ કરવાથી મગજના તંતુઓનાં જોડાણ સારાં રહે અને તેનાથી cognitive કાર્યો સારી રીતે થતાં રહે છે. આમ તો એક સૂત્ર યાદ રાખવા જેવું છે “જે તમારાં હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે.”

         એટલું ચોક્કસ છે કે આવાં જોખમો ઊભાં કરતાં પરિબળો વિષે પગલાં લેવામાં ઉંમરનો બાધ નથી અને તેનો ફાયદો થવા માટે કયારે ય મોડું નથી થતું હોતું. તમને અનુકૂળ હોય તેવા ફેરફારો કરવા ફાયદાકારક હોય છે. પરિવારનાં સભ્યોના સાથ સહકારથી જરૂરી ફેરફારોનો અમલ કરી શકાય.

 હવે સવાલ એ પણ થાય કે ડિમેંશિયાના નિદાન પછી સારી રીતે જીવન જીવી શકાય?

        જરૂર, સારી રીતે જીવન જીવી શકાય. ડોક્ટરનો સંપર્ક જરૂરી છે જેથી તેમની સાથે ચર્ચા કરવાથી જરૂરી મદદ મળતી હોય છે. સામાન્ય સ્વાસ્થ્ય સારું રાખવું પણ મદદરૂપ થઇ પડે જેમ કે નિયમિત રીતે આંખ અને કાનની તપાસ કરાવવી અને દર વર્ષે ફ્લુનું ઈન્જેકશન લેવું. યાદશક્તિ નબળી પડી હોય તો ચાવી અને ચશ્માં એક જગ્યાએ દેખાય તેમ રાખી શકાય કે દવાનું વિકલી પેક વગેરે થઇ જ શકે. મનને સ્વસ્થ રાખવા જેનો આનંદ માણી શકતાં હોઈએ તેવી પ્રવૃત્તિ કરી શકીએ તે પણ ચાલુ રાખી શકાય. હતાશા થાય તો ટોકિંગ થેરપી જરૂર મેળવી શકાય. રોજિંદાં કાર્યો જો ન થતાં હોય, તો ઓક્યુપેશનલ થેરપિસ્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે. ઘરને સુરક્ષિત બનાવવું જરૂરી છે જેમ કે સ્મોક એલાર્મ અને કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર હોવાં સલામતી માટે જરૂરી છે. ઘરમાં વ્યક્તિ સલામત રહીને સહેલાઈથી હરીફરી શકે તેવી વ્યવસ્થા કરવાથી જોખમ ટાળી શકાય.

         ડિમેન્શિયા વિશેના અભ્યાસો પરથી એવું પુરવાર થયું છે કે નાનાં લાગતાં એવાં સાત પગલાં લેવાથી એ બીમારીના ભોગ બનેલને ઘણો ફાયદો થતો હોય છે. તેમની સાથે વાતો કરવી, તેમની વાતો ધીરજથી સાંભળવી, તેમને આપણા વાર્તાલાપોમાં સામેલ કરવાં, બને તેટલી વધુ વાતચીત અને પ્રવૃત્તિઓમાં તેમને સાથે લેવાં, કોઈ મદદની જરૂર છે કે નહીં તે પૂછવું, કઈં કામ કરતાં વાર લાગે તો ધીરજ ધરવી, તેમને થયેલ ડિમેન્શિયા વિષે પ્રશ્નો પૂછવા અને તેમની સંભાળ રાખતાં સ્વજનની પણ દરકાર કરવાથી દરદી અને તેમનાં સ્વજનને ખૂબ જ રાહત મળતી હોય છે.

અત્યાર સુધી આપણે જે વાતો કરી તેના પરથી એટલું સમજાયું હશે કે

ડિમેન્શિયા થવું એ વૃદ્ધાવસ્થાનું કુદરતી કારણ નથી.

ડિમેન્શિયા મગજના રોગને પરિણામે આવતી બીમારી છે.

ડિમેન્શિયાનો એક સામાન્ય પ્રકાર તે આલ્ઝાઈમર રોગ છે.

ડિમેન્શિયાની સ્થિતિ બદતર થતી જાય અને તેનાં ચિન્હો વધુને વધુ ગંભીર થતાં જાય.

આલ્ઝાઈમરના રોગમાં સામાન્ય રીતે વ્યક્તિની ટૂંકા ગાળાની સ્મૃતિ પર અસર થાય છે

ડિમેન્શિયા એ માત્ર સ્મૃતિભ્રંશ જ નથી.

ડિમેન્શિયાને કારણે માણસનો દ્રષ્ટિકોણ પણ બદલાતો હોય છે.

ડિમેન્શિયાનો ભોગ બનેલ વ્યક્તિ બીજાં સાથે સારી રીતે વાતચીત પણ કરી શકે તેવું બને.

દર ચૌદમાંથી એક વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બનેલ હોય છે, તેવું મનાય છે.

ડિમેન્શિયાની પાછળ એક આદરણીય વ્યક્તિ પણ હોય છે.

‘ડિમેન્શિયા મિત્ર’ બનવું એટલે પોતાની સમજણ અને જાણકારીને અમલમાં મુકવી.

         આ બીમારી વિષે વધુ જાણકારી મેળવી પરિવાર અને સમાજનાં લોકોને મદદરૂપ થઇ શકાય અને બ્રિટનમાં વસતાં પૂરેપૂરા ગુજરાતી સમાજને ‘ડિમેન્શિયા ફ્રૅન્ડલી બનાવી શકાય


[માન્ધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિેયેશન, વેમ્બલી સંચાલિત ‘ડે સેન્ટર’માંની રજૂઆત; 28 નવેમબર 2018]

22 September 2020

રાશન કાર્ડ – આધાર કાર્ડ લિંક

રાશન કાર્ડ – આધાર કાર્ડ લિંક

દેશમાં લગભગ ૨૪ કરોડ રાશન કાર્ડધારકોને લઈને મોટા સમાચાર આવ્યા છે. દેશમાં રાસન કાર્ડને આધારથી લીંક કરવાની સમયસીમા ખતમ થવા આવી છે. આ માટે હવે માત્ર થોડા દિવસનો જ સમય રહ્યો છે. આ દિવસોમાં તમે રાશન કાર્ડ અને આધાર સાથે લિંક કરાવી શકશો, નહીં તો આવનારા દિવસોમાં રેશનકાર્ડ ધારકોને સરકારી યોજનાઓનો લાભ મળી શકશે નહીં.

તો 30 સપ્ટેમ્બર પહેલા તમારું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી લો તે જરૂરી છે. રાશનકાર્ડ હોલ્ડર જો તેનો કાર્ડ આધાર સાથે લિંક નહીં કરે તો તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી લેવામાં આવશે. હજી સુધી આ કામ કર્યું નથી તેઓ 30સપ્ટેમ્બર પહેલાં તેને લિંક કરાવી લે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે આ નિયમને લઈને રાજ્ય સરકારને એલર્ટ જાહેર કરી દીધું છે.

દેશમાં અત્યારે 23.5 કરોડ રાસન કાર્ડ ધારકો છે. તેમાંથી90 ટકા લોકોએ આધાર અને પાન સાથે લિંક કરી રાખ્યા છે.

૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરી લો આધાર સાથે લિંક

લોકો સાર્વજનિક વિતરણ પ્રણાલીના આધારે યોગ્ય દરની દુકાનોથી ખાદ્ય બજારમૂલ્યથી ઓછા રૂપિયામાં મેળવી શકે છે.

જાણો આધાર સાથે રેશન કાર્ડને લિંક કરવા તમારે કયા પાંચ કામ કરવાના રહેશે?

1. આધાર સાથે લિંક કરવા માટે પીડીએસ સેન્ટર પર રાશન કાર્ડની કોપી અને પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની કોપી જમા કરાવો.

2. પરિવારના મુખ્ય વ્યક્તિનો પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે.

3. બાયોમેટ્રિક મશીન પર આંગળી રાખીને ડેટા મેળવી શકાશે.

4. અધિકારી તમારી વિગતો અને આધાર નંબર મેચ કરશે.

5. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર રાશન કાર્ડથી આધાર લીંકનો મેસેજ આવતા તમારી પ્રોસેસ પૂર્ણ ગણાશે.

આધાર સાથે રાસન કાર્ડ લીંક નહીં હોય તો નહીં મળે આ સેવાનો લાભ

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના વન નેશન વન રેશન કાર્ડ માં26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જોડાયેલા છે. આ રાજ્યોમાં પોર્ટેબિલિટી સેવા શરૂ કરાઈ છે. દેશમાં માર્ચ 2020સુધી ૮૧ કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાય તેવી શક્યતા છે. આ યોજના સાથે જોડાવા માટે દેશની અડધી વસ્તીને લાભ મળશે. કેન્દ્ર સરકારની કોશિશ છે કે 31 માર્ચ2020 સુધીમાં દેશના દરેક રાજ્યને રાશન કાર્ડ યોજનાનો લાભ મળે.

21 September 2020

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ


૧. માથાનો દુઃખાવો:

માઇગ્રેન, આઘાશીશી, માથુ ભારે લાગવુ, બળતરા થવી, અનિદ્રા, વારંવાર થતા શારીરીક દુઃખાવાઓ

૨. ડિપ્રેશન:

ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, નિષ્ક્રિયતા, અનિદ્રા ખોરાક પ્રત્યે અરુચી, બેધ્યાનપણુ, અપરાધભાવ, આપઘાતના વિચારો, નકારાત્મક વિચારો, વધુ પડતો થાક, બેચેની, ગુસ્સો, નબળાઇ, હાડમાં તાવ રહે, યાદશક્તિમાં ઘટાડો, કંટાળૉ વગેરે

૩. ગભરાટ-મુંજારો-બેચેની:

અચાનક ધબકારા વધવા કે ઘટવા, ખુબ પરસેવો થવો, અકળામણ, બેચેની, ચક્કર, છાતીમાં દબાણનો હુમલો તથા દરેક રિપોર્ટસનુ નોર્મલ આવવુ આ સમસ્યા માનસિક હોવાનુ સુચવે છે.

૪. વિચારવાયુ (ધુનરોગ):

સતત એકના એક વિચાર કે ચિત્રનુ મનમાં ધુમવુ, નિર્ણય શક્તિનો અભાવ, વારંવાર હાથ ધોવા, સફાઇ કરવી, પૈસા ગણવા, માનતાઓ માનવી.

૫. પેટમાં ગેસ-વાયુ અપચો:

વારંવાર પેટમાં ભરાવો થવો, વજન લાગવુ, દુઃખાવો થવો, ચુક આવવી, ટોયલેટ જવુ, તથા દરેક રિપોર્ટસનુ નોર્મલ આવવુ આ સમસ્યા માનસિક હોવાનુ સુચવે છે.

૬. શારિરીક દુઃખાવાઓ:

શરિરના જુદા-જુદા ભાગમાં થતા દુઃખાવાઓ, સ્નાયુ ની તોડ થવી, કમર-ડોકમાં દુઃખાવાઓ, પગના તળીયામાં બળતરા થવી.

૭. અનિદ્રા:

ઉંઘ આવવામાં તકલીફ થવી-વાર લાગવી, વહેલા ઉંઘ ઉડી જવી કે ઉંઘના કટકા થવા, દિવસે બગાસા તથા થાક અનુભવાવો.

૮. પથારીમાં પેશાબ:

પાંચ વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો તથા તરુણોનુ પથારીમાં પેશાબ કરવુ.

૯. ઉન્માદ (મેનિયા):

દર્દી દેખિતા કારણ વિના ખુબ આનંદમાં રહે, ગજા બહારનો ખર્ચ કરે, મોટા-મોટા અવાસ્તવિક પ્લાન બનાવે, દેખિતા ખોટા નાણાકીય નિર્ણયો લે જે તેના મુળ સ્વભાવને અનુરુપ ના હોય.

૧૦. સ્કિઝોફ્રેનિયા:

અન્યો હેરાન કરવા કે મારી નાખવા માગે છે. તેવા વ્હેમ-શંકા-કુશંકાઓ, એકલા-એકલા હસવુ, બોલવુ, હિંસા કરવી કે જીવનસાથી ના ચારિત્ર્ય પર શંકા કરવી

૧૧. આંચકી-વાઇ-હિસ્ટેરીયા:

શરીર જકડાઇ જાય, હાથ-પગમાં તીવ્ર ખેંચ આવે, મોં માં ફીણ આવી જાય, ક્યારેક જીભ કચડાઇ જાય કે કપડામાં પેશાબ થઇ જાય.

૧૨. સેક્સ સમસ્યાઓ:

ઇન્દ્રિયમાં ઉત્તેજના નો અભાવ, નપુંસકતા, શિધ્રપતન, સેક્સ પ્રત્યે અરુચી, વારંવાર આવતા સેક્સ ના અણગમતા વિચારો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

19 September 2020

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન



પચાસેક વર્ષના કમલભાઈ સરકારી ખાતામાં કલાર્ક ની નોકરી કરે છે. હમણા ઘણા સમય થી તેમને કામકાજ માં ખુબજ મુશકેલી પડે છે. છેલ્લા પાંચેક વર્ષથી તો અત્યંત વધારે. કમલભાઇ ને કામ માં ખુબજ્ વાર લાગતી હતી. આમતો તેનુ કામ પહેલેથીજ ચોક્સાઇવાળુ. પરંતુ હવે તો હદ થઇ. તે દરેક કામ માં વાર લગાડૅ. કોઇ નાના કાગળનો જવાબ કરવાનો હોય તો પણ તેમને મુશકેલી પડે. લખી લીધા પછી વારંવાર શંકા રહ્યા કરે. કે આ જવાબ યોગ્ય છે કે નહી? કોઇ ભુલ તો નથી રહી ગઇ ને? મોટાભાગે તેને બીજા કે ત્રીજા પ્રયત્ને તેને પત્ર થી સંતોષ થાય. ઘણી વખત તો પત્ર પોસ્ટ કરી દિધા પછી પણ ચિંતા રહ્યા કરે કે, મેં પત્ર બરાબર તો લખ્યો હતો કે નહીં? પોતે જે કહેવા માગે છે તે સામી વ્યક્તી સમજી શકશે કે નહી? આમતો તેમને ખ્યાલ હતો કે તેનો લખેલ પત્ર વ્યવસ્થીત જ છે. પણ આ શંકાને મન માંથી દુર કરવી તેમના માટે લગભગ અશક્ય હતી.

કોઇ પણ કામ માં તેને આ શંકાતો અવશ્ય રહેતી કે,તેણે કરેલું કામ વ્યવસ્થીત છે કે નહીં? તેણે કાગળ તેને યોગ્ય ફાઇલ માંજ મુક્યો છે કે નહીં? તેણે ફાઇલ પાછી તેની મુળ જગ્યાએ જ મુકી છે કે કેમ? તેનાથી કામમાં કોઇ ભુલ તો નથી થતીને? આવી ઘણી ચિંતાઓ તેમને રહ્યા કરતી. ફરી થી કબાટ માંથી ફાઇલ નિકાળીને ચેક કરે પછી જ તેમને શાંતી થાય.

ઘરે પણ પરિસ્થિતી કંઇક સરખી જ હતી. હાથ ધોઇ લીધા પછી પણ તેને વાર્ંવાર થયા કરે કે હાથ વ્યવસ્થીત ધોયેલા નથી. અને વારંવાર હાથ ધોયા કરે. ન્હાવામાં પણ બહુ જ વાર લાગે. શરિર પર વારંવાર પાણી ઢોળ્યા કરે. એક વાર પૈસાગણી લીધા હોય તો પણ એમ થયા કરે કે કંઇક ભુલ તો નથી રહી ગઈને? બે ત્રણ વાર પૈસા ગણી લે ત્યારે જ સંતોષ થાય. બાઇક ને લોક કરી લીધા પછી એમ થયાકરે કે લોક વ્યવસ્થીત કર્યુંતો છે કે નહીં? ઘણી વખત તો પાછા જઇ ને લોક ચેક કરી આવે પછી જ સંતોષ થાય.

“સાહેબ, ખબર નહીં છેલ્લા ચારેક વર્ષ થી આ શું થઇ ગયું છે. હું કોઇ કામજ નથી કરી શકતો. ઉપરી અધીકારી આક્ષેપ કરે છે કે મારે કામ કરવું નથી માટે હું ઢોગ કરું છુ. મારી મુશકેલી કોઇને કહુ તો કોઇ માનવા તૈયાર નથી. હવે મારે નોકરી માં રાજીનામુ મુકવું છે. રાજીનામુ આપી પણ દિધુ હતુ, પણ ત્યા બીજા સાહેબ બદલી થી આવી ગયા, એમણે મારું શરુઆતના સમય નું કામ જોયેલું અને તેમણે મને થોડૉ સમય રજા લઇ આપ ને મળવાની સલાહ આપી.” કમલભાઇ એ આવતા જ પોતાની બધી તકલીફ ની વાત કરી.

“સાહેબ, એક તો હમણા પાણી ની તંગી અને આ પાણી ઢોળ્યા કરે. કલાક કલાક સુધી બાથરુમમાંથી બહાર જ ના નિકળે. અરે બીજાએ તો ન્હાવાનુ હોય કે નહીં, છોકરાને સ્કુલે જવાનુ મોડુ થાય, તોય શેય વાતે બહાર જ ના આવે.” કમલભાઇ ના પત્નીએ પોતાની ફરિયાદ કરી.

કમલભાઇ ઓબ્સેસિવ કમ્પલ્ઝીવ ડિસઓર્ડર અર્થાત ધુનરોગ નામે ઓળખાતી બિમારી થી પિડાય છે. આ બિમારી ખુબજ સામાન્ય છે. સમાજ માં તેનુ પ્રમાણ આશરે ૩ થી ૪ ટકા જેટલું માનવામાં આવે છે.

આ તકલીફમાં વ્યક્તી ને વારંવાર શંકા પડ્યા કરે છે કે પોતે કરેલ કામ વ્યવસ્થીત છે કે નહીં. અને તે એ શંકાનું સમાધાન કરવા વારંવાર ચેક કર્યા કરે છે. જેમકે કમલભાઇ ના કેસમાં તેને વારંવાર શંકા પડે છે કે પોતે લખેલો કાગળ વ્યવસ્થીત છે કે નહીં? પોતે જે કહેવા માગે છે તે સામી વ્યક્તી સમજશે કે નહીં? પોતે કાગળો વ્યવસ્થીત ફાઇલ કર્યા છે કે નહીં? ફાઇલ વ્યવસ્થીત કબાટમાં મુકી કે નહીં? હાથ વ્યવસ્થીત સાફ થયા છે કે નહીં? લોક વ્યવસ્થીત બંધ થયું છે કે કેમ? અને આ શંકા ના સમાધાન માટૅ તે આ વસ્તુઓને વારંવાર ચેક કર્યા કરે છે.

મોટાભાગે આ બિમારી કમલભાઇ ના કેસ જેટલી ગંભીર હોતી નથી. વ્યક્તી પોતે પોતાનુ કામ ગમેતેમ મેનેજ કરી લે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ તકલીફ ઘણી વધી જાય છે અને મનમાં થતી શંકાઓ અને તેના સમાધાન માં વ્યક્તી એટલોબધો સમય પસાર કરે છે કે ઘણી વાર તેના અગત્યના કામો અટકી પડે છે. જ્યારે વ્યક્તી દિવસમાં એક કલાક કરતા વધુ સમય આવી વિવિધ શંકાઓ અને તેના સમાધાનમાં પસાર કરે અથવા વ્યક્તીને પોતાને આ વારંવાર થતી શંકાઓ અને તેનુ ફરજીયાત પણે કરવું પડતુ સમાધાન મુશકેલી રુપ લાગે ત્યારે આ બિમારી ની સારવાર આવશ્યક બને છે.

વ્યક્તી પોતે પણ જાણતો જ હોય છે કે આ બધી જ શંકાઓ તર્કવિહિન છે. અને તેના સમાધાન માટે વારંવાર ચેક કરવું કે હાથ ધોવા બિલકુલ જરુરી નથી. પરંતુ આ વિચારો પર તેનો કાબુ હોતો નથી. અને જ્યા સુધી આ વિચારો નુ સમાધાન ના થાય ત્યા સુધી આ વિચારો મન માંથી દુર થતા નથી અને વ્યક્તી ને માનસિક ત્રાસ આપ્યા કરે છે. અને આ શંકાનુ સમાધાન કરવાથી તત્કાલીન આ વિચારો નુ જોર ઘટે છે પણ બિમારી લંબાયા કરે છે.

ડિપ્રેશન ની માફક આ બિમારી પણ “સિરોટોનીન” નામના રસાયણ ની ઉણપ થી થાય છે, એવું માનવામાં આવે છે. અને સિલેક્ટીવ સિરોટોનીન રિઅપટેક ઇનહીબિટર ગુપની દવાઓ જેવી કે ફ્લુઓક્ષેટીન, પેરોક્ષેટીન, સરટાલીન આ બિમારી માં ઉપયોગી નિવડે છે. ટ્રાઇ સાઇક્લિક એન્ટીડિપ્રેશન્ટ ગ્રુપની “ક્લોમીપ્રામીન” પણ કેટલાક કિસ્સાઓ માં ઉપયોગી નિવડી શકે છે. ઉપરોક્ત દવાઓનો ઉપયોગ નિષ્ણાત મનોચિકિત્સકની દેખરેખ હેઠળ કરવો આવશ્યક છે.

દવાઓ ઉપરાંત “એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન” થી ઓળખાતી બિહેવીયર થેરાપી (કે જેમાં શંકાઓ ના સમાધાન ના રોકવાં પર ભાર મુકવામાં આવે છે.) નો ઉપયોગ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સારવાર પર વધુ ચર્ચા આગળ ઉપર કરશું.



ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.


જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

13 September 2020

ઓનલાઇન શોપિંગની લત એ માનસિક આરોગ્ય માટે ખતરો

ઓનલાઇન શોપિંગની લત એ માનસિક આરોગ્ય માટે ખતરો



આજકાલ ઓનલાઇન ખરીદીનો જમાનો છે. ઘરબેઠાં તમારે જે ચીજો જોઇતી હોય એ મળી જાય છે. અરે, હવે તો ભોજન અને નાસ્તા પણ ઓનલાઇન મળતા થઇ ગયા છે, ઘરબેઠાં મળતા થઇ ગયા છે. સરળતાથી થઇ શકતી આ ખરીદી હવે તમારામાં એક લત લગાડી દેતી હોય છે. જો કે તેને માનસિક વિકાર ગણવામાં આવતો નથી. પરંતુ હવે જ્યારે ઇન્ટરનેટના યુગમાં આ પ્રકારની ખરીદીની લત વ્યાપક બની રહી છે, ત્યારે તેને માનસિક વિકૃતિ તરીકે સ્વીકારવી જોઇએ એવું સંશોધકો માને છે.

ઓનલાઇન શોપિંગની લત લાગી જાય એ ખરેખર તો માનસિક વિકાર તરીકે ગણાવું જોઇએ એવી મનોચિકિત્સકોની દલીલ છે. સંશોધકો કહે છે કે તેઓ આ સ્થિતિના વિશેષ લક્ષણો અને લાક્ષણિકતાનો નિર્દેશ કરી કહી શકે છે કે ઓનલાઇન ખરીદીની લતથી મગજને કેવી અસર પડે છે. એમ તો બાઇંગ – શોપિંગ ડિસઓર્ડર (BSD) વર્ષોથી જાણીતો ડિસઓર્ડર છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ઇન્ટરનેટના આજના યુગમાં તેનો નવો અર્થ છે અને એ ડિસઓર્ડર ૨૦માંથી એકને જોવા મળે છે. ઓનલાઇન ખર્ચ કરવાની લત ધરાવતા લોકો જે ચીજનો ઓર્ડર આપે છે, તે ઘણી વખત બિનજરૂરી હોય છે, તેથી નકામી જ પડતી હોય છે, જે દેવામાં ડુબાડી દઇ શકે છે અને પ્રિયજન સાથે દલીલમાં ઉતારી દે છે અને આત્મનિયંત્રણ સંપૂર્ણ ગુમાવી દે છે. જર્મનીમાં હેનોવર મેડિકલ સ્કૂલ ખાતેના સાયકોથેરાપિસ્ટ ડો. અસ્ટ્રીડ મૂલર કહે છે કે હવે ખરેખર સમય પાકી ગયો છે કે BSD ને અલગ માનસિક આરોગ્યની સ્થિતિ ગણવી જોઇએ અને ઇન્ટરનેટ પર આ ડિસઓર્ડર અંગે વધુ માહિતી મેળવવી જોઇએ. ડો. મૂલર અને તેમના સાથી કહે છે કે આ સ્થિતિ લાંબા સમયથી બિનમાન્યતા પ્રાપ્ત છે.


શોપેહોલિકનું ઇન્ટરનેટના જમાનામાં નવું રૂપ

ઓનલાઇન ખરીદીની લતમાંથી છૂટવા માટે મદદ ઇચ્છતા ૧૨૨ દર્દીઓ પાસેથી મળેલા પુરાવાની ચકાસણી અભ્યાસમાં તેઓએ કરી હતી, જેમાં જણાયું હતું કે, તેઓમાં સામાન્ય કરતાં બેચેની અને ડિપ્રેશનનું પ્રમાણ ઊંચું હતું. તેઓ એવી દલીલ કરે છે કે ઓનલાઇન સ્ટોરો, એપ અને હોમ ડિલિવરીનું પ્રમાણ વધતાં શોપેહોલિકના સંદર્ભને એક નવું જ પરિમાણ ઉમેર્યું છે.

ઓનલાઇન સુવિધા ખરીદીની લત લગાડી દેનારી

ઇન્ટરનેટને કારણે ખરીદી વધુ સરળ, ગજવાને પોસાય તેવી બની છે. ઓનલાઇન ખરીદી ચોવીસે કલાક થઇ શકે છે અને લોકો દુકાનદાર પાસે ગયા વિના કે ખરીદેલી ચીજોનું વજન ઊંચકીને ઘરે લઇ ગયા વિના એમેઝોન કે બીજા ઓનલાઇન સ્ટોર પરથી ઓછા ભાવે ખરીદી કરી શકે છે. આ કારણથી જ યુવાનોમાં શોપિંગ ડિસઓર્ડર જોવા મળે છે, એમ ડો. મૂલર કહે છે.

ઓનલાઇન ખરીદીની સાથે સાથે સંબંધમાં તિરાડ પડવી કે દેવુંની સમસ્યા પણ વેઠવી પડે

સંશોધકો સમજાવે છે કે BSD અને ખાસ કરીને ઓનલાઇન દ્વારા ચીજો ખરીદવાની એક આદત પડી જાય છે અને નાણાં ખર્ચો તો જ સંતોષ મળે છે. તેને કારણે આત્મનિયંત્રણ રહેતું નથી. સાથે સાથે ખૂબ જ તકલીફ પડવી, અન્ય સાયકિયાટ્રીક સમસ્યાઓ, સંબંધોમાં મુશ્કેલી અને શારીરિક અવ્યવસ્થિત અને દેવું થઇ જાય એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પાંચ ટકા લોકોને ગંભીર અસર

હાલમાં BSD ને વિકૃતિ તરીકે ગણવામાં આવતું નથી, પરંતુ કેટલીક બાબતોને અધર સ્પેસિફાઇડ ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. વસ્તીના પાંચ ટકા લોકોને ગંભીર માનસિક અસર થતી હોય છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે એમ સંશોધકો કહે છે.

શોપિંગનું વ્યસન થઈ ગયું હોય એવી વ્યક્તિનાં લક્ષણ કયાં ?

  • ખરીદીના ડિસઓર્ડરની સાથે સાથે બેચેની કે ખાવાની વિકૃતિ અથવા ચીજોનો દુરુપયોગ જેવી સ્થિતિ પણ જોવા મળે છે. તે ઘણી વખત પાછલી કિશોરાવસ્થા કે વીસીના પ્રારંભે જોવા મળે છે, સામાન્ય રીતે સમય જતાં તે વધુ બગડે છે.
  • આ બીમારીનાં લક્ષણોમાં દેવું થઇ જવું, પ્રિયજનથી ખરીદેલી ચીજો સંતાડવી, મિત્રો, પરિવારમાં સબંધોમાં તણાવ કે ભંગાણ, નકારાત્મક લાગણીના જવાબરૂપે ખરીદી, ખરીદી નહીં કરવાનો પ્રયાસ છતાં બંધ કરી શકાતી નથી.

11 September 2020

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?


લગભગ દરેક ધર્મ/સંપ્રદાય ના લોકો માં માનતા માનવાની પ્રથા જોવા મળે છે. જ્યારે પણ કોઇ તણાવયુક્ત પરિસ્થિતી હોય ત્યારે લોકો માનતા નો આશરો લે છે. ઘણા ધાર્મિક લોકો માનતા ન માનવાની સલાહ આપે છે અને કહે છે કે આતો ઇશ્વર સાથે સોદાબાજી છે. પરંતુ આપણે આ ચર્ચા માં ન પડતા માનતા માનનાર ની માનસિક સ્થિતી પર ચર્ચા કરીએ

રેખાબેન પતિના મૃત્યુ પછી પુત્ર સાથે મુંબઇ રહેવા જાય છે. પણ તે લગભગ દર પંદર – વિસ દિવસે પોતાના વતન ની મુલાકાત અવશ્ય લે છે. કારણ છે તેણે માનેલી પુષ્કળ માનતાઓ. ‘જો આમ થશે તો હુ મંદિરે નારિયેળ ચઢાવીશ અને તેમ થશે તો હુ દર્ગા પર ચાદર ચઢાવીશ.’ દરેક નાની-નાની વાત માં રેખાબેન ને માનતાઓ માનવી પડતી, રોજબરોજ ની દરેક વાતો માં તે મંદિરે કે દર્ગા પર કંઇક દાન કરવાની માનતા માનતા. અને તે મંદિર પોતાના ઘરથી નજીક જ હોય તે પુરી પણ કરી શકતા. પરંતુ તેમણે માનેલી અસંખ્ય માનતાઓ અધુરી રહી ગઇ અને તેમણે પુત્ર સાથે શહેર માં આવવુ પડ્યુ. અને આ મુશકેલી શરુ થઇ.

ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.) અર્થાત ધુનરોગ તરિકે ઓળખાતી બિમારી માં વ્યક્તિને પોતાના કરેક કામ અંગે શંકાઓ ઉદભવે છે. તથા દરેક નાની નાની વાત માં તેનુ મન અસંખ્ય સંભાવનાઓ અંગે વિચારી લે છે. જેમકે, “મેં તાળુ વ્યવસ્થિત બંધ કર્યું હશે કે નહીં?”, “મોન્ટુ તેના રોજીંદા સમય કરતા અરધો કલાક મોડુ થઇ ગયુ પણ હજુ સુધી ઘરે પહોચ્યો નથી. કંઇ અજુગતુ તો નહી બન્યું હોય ને?” વગેરે વગેરે. અને આવી શંકાઓ તિવ્ર એંક્ષાયટી/તણાવ ઉત્પન્ન કરે છે. અને આથી વ્યક્તી માનતા માને છે કે જો આમ ના થાય તો તે કંઇક દાન-ધાર્મિક કાર્ય કરશે.

ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.) ના દર્દિઓ ના વર્તન/વિચારો માં અને સમાન્ય વ્યક્તિ ના વર્તન/વિચારો માં ક્વોન્ટીટૅટીવ ફર્ક હોય છે, ક્વોલીટેટીવ નહી. અર્થાત રોજબરોજ ની પરિસ્થિતીમાં તણાવ સામાન્ય વ્યક્તિ પણ અનુભવે છે. પણ તેની તિવ્રતા ઓ.સી.ડી ના દર્દિઓ કરતા ઘણી જ ઓછી હોય છે. અને હાથ ધોવા, માનતાઓ માનવી, શંકા જતા ફરી પૈસા ગણવા કે ફરી તાળુ ચેક કરવુ. વગેરે ક્રિયાઓ સામાન્ય વ્યક્તિઓ માં પણ જોવા મળે છે પણ તેની માત્રા ઓ.સી.ડી. ના દર્દિઓ કરતા ઘણી જ ઓછી હોય છે. 

પરંતુ જો આ માનતાઓ નું પમાણ ઘણુ જ વધારે હોય, અને તેના લિધે જો રોજ-બરોજ ની પ્રવૃતીઓ માં મુશકેલીઓ પડતી હોય. અને દિવસ નો નોંધપાત્ર સમય આ માનતાઓ માનવા માં અને પુરી કરવામાં જ જતો હોય તો આ બાબતે સાવચેત થવું જોઇએ અને સારવાર લેવી જોઇએ.

વળી માનતાઓ સાથે ધાર્મિક લાગણી જોડાયેલી હોઇને જો પરિવાર માંથી કોઇ તેનો વિરોધ કરે તો તેને અધર્મી કે નાસ્તિક માનવામાં આવે છે. અને પોતાની શંકાના સમાધાન માટૅ ઇશ્વર ની કથિત મદદ ચાલુ રાખવામાં આવે છે. આ સંજોગો માં વ્યક્તિ પોતેજ આ લક્ષણૉ ને ઓળખી તેમાથી મુક્ત થવા આગળ આવે તે ખુબ જ જરુરી છે.

આ બિમારી ની સારવાર અન્ય ઓબ્સેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓ.સી.ડી.)/ ધુનરોગ ના દર્દિઓ ની માફક જ કરવામાં આવે છે. જેમા દવાઓ તથા બિહેવીયર થેરાપી મુખ્ય છે.

ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.

જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો ratnaniclinic@gmail.com પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે ratnaniclinic@gmail.com પર ઇમેલ મારફતે સંપર્ક કરો.

ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695

09 September 2020

મનોરોગ પ્રત્યે સતત જાગૃતિ જરૂરી

મનોરોગ પ્રત્યે સતત જાગૃતિ જરૂરી


ઉદાસીનતાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડીપ્રેશનથી પીડાય છે

જેટલી શારિરીક સ્વાસ્થ્યની જરૂર છે, તેટલી જ માનસિક સ્વાસ્થ્યની હોવી જોઇએ. આજકાલ ઘણાબધા લોકોને માનસિક તકલીફ થઇ રહી છે, જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલતી હોય છે - જેમકે ''ટેન્શન વધી ગયું છે'', ''કાંઇ ગમતું નથી'', ''વારંવાર મન અપસેટ થઇ જાય છે.'' ભલભલા લોકોને ડીપ્રેશન આવી જાય છે.

આજના જ એક સમાચાર મુજબ વર્તમાન ભારતીય ક્રિકેટના કપ્તાન અમુક વર્ષો પહેલાં ખૂબ જ ડીપ્રેશનમાં આવી ગયા હતા. આ ઉપરાંત અનેક મહાપુરૂષો, સેલીબ્રીટીઝ ઉદાસીનતાના ઝપટમાં આવી ગયેલ હતાં. આમ શરીરની તંદુરસ્તી તો જરૂરી છે જ, પરંતુ મનની તંદુરસ્તી પણ સાથે સાથે હોવી જોઇએ.

અગાઉના લેખમાં જણાવ્યું હતું કે સ્ટ્રેસ પણ વધી ગયો છે - આજના લેખમાં ડીપ્રેશન વિષે વિગતથી ચર્ચા કરીએ.

વાંચક મિત્રો, ડીપ્રેશન અથવા હતાશા (ઉદાસીનતા) પણ એક પ્રકારની માનસિક બીમારી છે. આ બીમારી એવી છે કે શરૂઆતના તબક્કામાં મોટાભાગની વ્યક્તિઓ ક્યાં તો ગણકારતા નથી અથવા જાણકારીનો અભાવ હોય છે. થોડા દિવસ ઉદાસ રહેવાય તો કોઇ ડોકટર પાસે દોડી જતું નથી- એવું વિચારે છે કે હશે, થોડા દિવસમાં બધું બરાબર થઇ જશે.

શું તાવ આવે કે ઝાડા થઇ જાય ત્યારે તેની દરકાર નથી લેતાં ? આવી જ રીતે મન ઉદાસ રહેતું હોય, અને તે પણ છેલ્લા ઘણા દિવસથી, સાથે સાથે શરીરમાં અકારણ થાક લાગતો હોય, જુદા જુદા ભાગમાં દુખાવો રહ્યા કરતો હોય, વિચારો વધી ગયાં હોય, તો જેમ બને તેમ જલદીથી ડોકટરની સલાહ લેવી જોઇએ - શક્ય છે કે ડોકટર નિદાન કરીને કહે કે આ માનસિક તકલીફ છે.

આ સિવાય ઘણી વ્યક્તિઓને શરૂઆત શારીરિક તકલીફથી જ હોય. જુદા જુદા ડોકટરોને બતાવીને જાત જાતના ટેસ્ટ કરાવ્યા હોય. ડોકટરનો અભિપ્રાય એવો હોય કે શરીરની કોઇ જ બીમારી નથી- ત્યારે સ્વાભાવિક સવાલ ઊભો થાય કે તો પછી શું છે ? તકલીફ તો રહ્યા જ કરે છે. ટેસ્ટના રીપોર્ટ નોરમલ આવે છે. આવા સમયે પણ શક્ય છે કે તેઓને ડીપ્રેશનની માનસિક બીમારી હોઇ શકે.

આ ઉપરાંત ક્યારેક વ્યક્તિને ખબર હોય છે કે પોતે ડીપ્રેશનથી પીડાઇ રહ્યા છે. છતાંપણ માનસિક બીમારી પ્રત્યેની સુગ અથવા 

''જો હું મનોચિકિત્સક પાસે જઇશ તો લોકો શું વિચારશે ?'' આવું વિચારીને નિષ્ણાતની સલાહ લેવાનું માંડી વાળે છે.

વાંચક મિત્રો, આજે ડીપ્રેશન વિષે વિગતથી લખવાનું એટલે રાખ્યું કે, ઉદાસીનતાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડીપ્રેશનથી પીડાય છે. આ ઉપરાંત આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે જેટલી ઝડપથી ડીપ્રેશનની સારવાર કરાવવામાં આવે તો ગંભીર બીમારીને રોકી શકાય છે. અને જીંદગી બચાવી શકાય છે.

ઘણીવાર તો ક્લીનીકમાં દર્દીઓ એવું પણ કહેતાં હોય છે કે ''જીવીને શું કરવું છે, આના કરતાં તો મોત આવે તો સારું.'' આ પ્રકારના વિચારો પણ ડીપ્રેશનની જ નિશાની છે. દરેકને ખબર હોય છે કે જન્મ અને મરણ આપણા હાથમાં નથી. છતાંપણ જીંદગીથી હારી આત્મહત્યા તરફ વળતાં હોય છે. જ્યારે હતાશાથી નિરાશ થઇ જવાય, ત્યારે વ્યક્તિ આપઘાતના વિચારો કરે છે.

ટૂંકમાં જો પહેલેથી જ માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવામાં આવે અને જેવી તકલીફની શરૂઆત થાય ત્યારે જ યોગ્ય સલાહ, સારવાર લેવામાં આવે તો અન્ય બીમારીની માફક માનસીક બીમારીથી પણ છુટકારો મળી શકે છે.
                                                                          ચેતના - હિતેન્દ્ર ગાંધી

06 September 2020

દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે

દર સાતમાંથી એક વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે

આજના સમયમાં માનસિક તણાવનું પ્રમાણ વધતું જાય છે


          શરીરને સમતોલ અને સ્વસ્થ બનાવવા માટે કેટ-કેટલા ઉપાયો, કસરત અને ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ખરા? આજના સમયમાં માનસિક તણાવનું પ્રમાણ એટલું  બધું  વધી ગયું છે કે દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પિડાતી હોય છે. જેના અનેક ગંભીર પરિણામો આવે છે.

             જાનકીને વારંવાર ગુસ્સો આવતો અને થોડા સમય પછી જાતે રડવા લાગતી. રાત્રે મોડા સુધી જાગવું, વગર કારણની ચિંતા કરવી, કોઈ પણ જગ્યાએ મન ન લાગવું, પતિ, બાળકો અને પરિવાર સાથે માથાકૂટ કરવી જેવી અનેક ઘટનાઓ તેના જીવનમાં જાણે રોજિંદા કાર્યની જેમ વણાઈ ગઈ હતી. સતત બેચેની રહ્યા કરતી. છતાં પણ ડૉક્ટર પાસે જવાના નામથી ડરતી અથવા તો ગભરાતી હતી. તેને લાગતું કે મારી આ સમસ્યા માટે જો હું ડૉક્ટર પાસે જઈશ તો બધા મને પાગલ સમજશે અથવા તો મને ડિપ્રેશન છે એમ ના માની બેસે. જો એમ બને તો પતિ, બાળકો અને પરિવાર સામે કદાચ હું હાસ્યનું પાત્ર બની બેસીશ અને સમાજ.. તેનું શું, કોઈ પણ પ્રસંગમાં જઈશ ત્યારે લોકોની ખોટી નજરોનો સામનો કરવો પડશે. દેરાણી, જેઠાણી માટે ગૉસિપનો વિષય બનીને રહી જઈશ. ના..ના.. મારે નથી જવું ડૉક્ટર પાસે. મને કશું જ નથી થયું. આવું તો ચાલ્યા કરે. એ તો ટેન્શનવાળો સ્વભાવ છે માટે. જાનકી આ રીતે પોતાની જાત સાથે વાત કરી જાતને સમજાવી લેતી, પરંતુ હકીકતમાં જાનકી ગંભીર માનસિક રોગમાં સપડાઈ ગઈ હતી. જેનાથી તે સંપૂર્ણપણે અજાણ હતી અથવા તો મહદ્અંશે જાણતી હતી છતાં સમાજ, પરિવાર અને લોકો શું કહેશે વિચારીને જાતને સમજાવી લેતી. આજે દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ જાનકી છે. એટલે કે ગંભીર માનસિક રોગના સકંજામાં સપડાયેલી છે. કેટલીક વ્યક્તિ જાણીને તો કેટલીક અજાણતા જ પોતાની આ બીમારીને અણદેખી કરે છે. જે આગળ જઈને ગંભીર સ્વરૃપ ધારણ કરે છે, પછી તે વ્યક્તિ પાસે નિસાસા સિવાય કશું  જ રહેતું નથી, પરંતુ જો પ્રયત્ન કરવામાં તો આ બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા કલાકારો પણ આ બીમારીનો સામનો કરી ચૂક્યા છે. દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા, શાહરુખ ખાન, કરણ જોહર, ટાઇગર શ્રોફ જેવા અનેક કલાકારો એક સમયે ડિપ્રેશનનો ભોગ બન્યા હતા, પરંતુ યોગ્ય સમયે બીમારી સામે લડ્યા અને આજે સફળ જીવન જીવી રહ્યા છે.

            ઇન્ડિયા સ્ટેટ લેવલ ડિસિઝ વર્ડન ઇનિશિએટિવે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે દેશમાં દર સાત વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગંભીર માનસિક બીમારીથી પીડિત છે. આ અભ્યાસ પ્રમાણે ડિપ્રેશન અને એન્ગ્જાઇટી એટલે કે બેચેની સૌથી કોમન માનસિક બીમારીઓ છે. દેશભરમાં આ બે સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. ભારતમાં ૨૭ વર્ષના આંકડાના આધારે આ અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેશમાં ૧૯.૭ એટલે કે લગભગ ૨૦ કરોડ લોકો માનસિક બીમારીનો સામનો કરી રહ્યા છે, જે આપણી કુલ વસ્તીનો ૧૪.૩ ટકા ભાગ છે. જેમાંથી ૪.૬ કરોડ લોકો ડિપ્રેશન અને ૪.૫ કરોડ લોકો એન્ગ્જાઇટીથી પીડિત છે.

          ડિપ્રેશન અને એન્ગ્જાઇટી બંને સમસ્યાઓનું મુખ્ય કારણ સ્ટ્રેસ (તણાવ) છે. બાળકોમાં પણ આ બીમારીઓ જોવા મળે છે. વારંવાર ડરાવવા કે ધમકાવવાના કારણે તેમને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત પણ સમાજમાં આવી રહેલા બદલાવના કારણે પણ માનસિક બીમારીઓ વધી રહી છે. પહેલા સંયુક્ત પરિવાર હતા માટે લોકો પોતાનો સ્ટ્રેસ અને સમસ્યાઓ પરિવાર સાથે શેઅર કરી મન હળવું કરી લેતા, પણ હવે વિભક્ત અને એકલ પરિવારમાં આ સંભવ નથી.

          આ ઉપરાંત અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે વયોવૃદ્ધ લોકો ડિપ્રેશનનો સામનો વધારે કરી રહ્યા છે. એટલું જ નહીં, પણ અભ્યાસ દરમિયાન એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતમાં જે પ્રમાણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળ પણ મહદ્અંશે ડિપ્રેશન જ છે. કુલ બીમારીમાં માનસિક બીમારીઓનું પ્રમાણ છેલ્લાં ૨૭ વર્ષમાં બેગણુ વધી ગયું  છે.

             સાઇકિયાટ્રિસ્ટ અનિકેત અધ્યારુ કહે છે, ‘માનસિક બીમારી એટલે માત્ર ડિપ્રેશન નથી. તેને લગતી જુદી-જુદી ૨૦૦ જેટલી બીમારીઓ છે જેને સમયસર ઓળખી નિદાન કરવું  અનિવાર્ય છે. મારી દ્રષ્ટિએ બેચેની-ડિપ્રેશન આજે દર ત્રીજી વ્યક્તિમાં હોય છે, પરંતુ તેનું પ્રમાણ વધારે નથી હોતું માટે તે અંકુશમાં રહે છે અથવા તો એમ પણ કહી શકાય કે, તે સમયાધીન હોય છે. મતલબ કે પરિસ્થિતિ પ્રમાણે તેમાં વધઘટ થતી રહે છે, પણ જો તે સતત રહે તો તેની માટે જાગૃત બની ડૉક્ટરની મદદ લેવી અનિવાર્ય છે. અન્ય બીમારીઓની જેમ જ માનસિક બીમારી પણ ગંભીર છે જેની અસર જીવન પર થતી હોય છે અને આત્મહત્યા જેવા પગલાં પણ લેવાતા હોય છે. માટે સમય રહેતા જાગૃત બની આ બીમારીને મા’ત આપવી વ્યક્તિના હિતમાં છે.’

                  ૪૫ વર્ષના મંજરી આનંદ શ્રીવાસ્તવ પતિથી અલગ રહેતી મહિલા છે. દીકરો દસ વર્ષનો હતો ત્યારે કોઈ અંગત કારણોસર તેમના છૂટાછેડા થઈ ગયા. ઓછું ભણેલ મંજરીને પતિ તરફથી જીવન નિર્વાહ જેટલા તો પૈસા મળી રહ્યા, પરંતુ પિયરમાં સન્માન ન મળ્યું. માતા તો બાળપણમાં જ મૃત્યુ પામ્યાં હતાં. પિતા અને ત્રણ ભાઈ વચ્ચે મોટા થયેલા મંજરીને જીવનમાં ઘણા બધા પડકારો લાગતા હતા. દીકરો પતિ પાસે હતો, વીકમાં એક વખત મળતો. તેના વિના જિંદગી વિચારી જ નહોતી. સાથે ‘શું કરીશ’નો પણ પ્રશ્ન. આ વિચારોએ તેમને માનસિક બીમારીનો ભોગ બનાવી દીધા. કોઈ સહારો નહોતો, જાતે જ લડવાનું હતું. અભણ મહિલા, ડૉક્ટરે કહ્યું તે પ્રમાણે કર્યું. અંતે તેમને જીત મળી અને આજે તે એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. મંજરીબહેન ડિપ્રેશન સામે તો લડ્યા, પરંતુ ઉંમરના એક પડાવ પછી અભ્યાસ કરી, આજના જમાના સાથે ડગ માંડી આગળ પણ વધ્યાં.

           આવા અનેક કિસ્સાઓ છે જે સામાન્ય વ્યક્તિને સ્પર્શે છે. મોટા કલાકારો કે પછી ઉદ્યોગપતિ કે સેલિબ્રિટી જ નહીં, પણ નાનામાં નાના માણસને પણ આ બીમારીનો સામનો કરવો પડે છે. બસ, જરૃર છે તેની સામે ઊભા રહેવાની અને મા’ત આપવાની.


માનસિક બીમારીનો સામનો આ રીતે કરો
  • ઊર્જા આપતાં કાર્ય કરો:- દિવસ દરમિયાન આનંદદાયક પ્રવૃત્તિ કરો. હેલ્ધી લાઇફસ્ટાઇલને અનુસરવાથી અનેક મુશ્કેલીનું આપોઆપ નિવારણ આવી જાય છે.
  • ઊંઘ બરોબર મેળવો :- ડિપ્રેશન અને ઊંઘને સીધો સંબંધ છે. બરોબર ઊંઘ ન મળે તો તેની અસર તમારા સ્વભાવ પર થાય છે. સાથે જ દિવસનો શિડ્યુલ પણ અસ્ત-વ્યસ્ત બની જાય છે.
  • મિત્રો, સ્વજનોને મળતા રહો :- તમને સારી રીતે સમજી શકે તે મિત્રોને મળતા રહેવું. ઉપરાંત તમારા સ્વજન જેમની સાથે મુલાકાત કરવાથી તમને આનંદ થતો હોય.અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો તમારી ઇચ્છા પ્રમાણે કામ કરો.
  • પોઝિટિવ રહો:- ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ હંમેશાં ખોટી વાતો અને વિચારોમાં ઘેરાયેલી હોય છે. માટે જાતે જ પ્રયત્ન કરો કે આવા વિચારોને ત્યજી શકો. ડૉક્ટરો પણ કહે છે કે માનસિક બીમારી સામેનું અસરકારક હથિયાર યોગ છે. માટે નિયમિત યોગ કરો, અન્ય કસરત કરો, વૉકિંગ, વેઇટ ટ્રેનિંગ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ, ડાન્સ જેવા કાર્યો તમને પોઝિટિવ રહેવામાં હેલ્પફુલ બની રહેશે. પોતાની જાતને અન્ય કરતાં ક્યારેય ઓછી આંકશો નહીં.

-ફેમિલી ઝોન – હેતલ રાવ