Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

19 August 2021

"મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ" વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક વિમોચન

મનોવૈજ્ઞાનિક સમાચાર

વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળનાર સર્વે અને આર્ટિકલનું પુસ્તક *મનોવૈજ્ઞાનિક સર્વે અને આર્ટિકલ* નો વિમોચન સમારોહ યોજાયો..


તારીખ 28-08-21 ને બુધવારે સાંજે 6 કલાકે મનોવિજ્ઞાન ભવનની ટીમે તૈયાર કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું. આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિના ડો. નીતિનભાઈ પેથાણી ના અધ્યક્ષ સ્થાને તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના સહઅધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાયો. સમારોહમાં *સ્વાગત પ્રવચન ડો. ડિમ્પલ જે. રામાણી* એ કરેલ અને બધાજ મહેમાનોને સત્કારૈલ.




કાર્યક્રમની રૂપરેખા *ડો. ધારા દોશી* એ વર્ણવીને જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન લાસ્ટ બે વર્ષથી સતત લોકસેવા કરી રહ્યું છે તેનાં પરિણામ સ્વરૂપે પુસ્તક લખાયું છે. કોરોના કાળમાં મનોવિજ્ઞાન ભવને આ ચોથું પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો ગૌરવ છે.

*જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો જનકસિંહ ગોહિલે* પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવનની ટીમે પ્યોર સાયન્સની સાથે સામાજિક વિજ્ઞાનને મુકી દીધું છે એક સમય હતો કે માત્ર સાયન્સનુ મહત્વ હતું પણ આ ભવનની ટીમે સતત કામ કરીને સામાજિક વિજ્ઞાન તેમાં ખાસ મનોવિજ્ઞાનની સામાજિક ઉપયોગીતા લોકો સુધી પહોંચાડી છે. આવનાર સમયમાં મનોવિજ્ઞાનની ખુબ જ જરૂરિયાત ઉભી થવાની છે. કોરોના કાળમાં રાજકોટ દેશમાં પ્રથમ એવો જિલ્લો હતો કે ત્યાં મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર પ્રથમ ખુલ્યું હતું. તેનો શ્રેય મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને તેમની ટીમને જાય છે. અફઘાનિસ્તાનની હાલની જે સ્થિતિ છે તેમાં મનોવિજ્ઞાનની તાતી જરૂરિયાત છે પણ ત્યાં આપણા મનોવિજ્ઞાન ભવન જેવું કામ કરતા લોકો નહીં હોય એટલે તેમની સ્થિતિ વઘુ વિકટ થશે.

અમદાવાદથી ખાસ પધારેલ *ડો. નવિન પટેલે* જણાવ્યું કે રાજ્યની જ નહીં દેશની એકપણ યુનિવર્સીટીમાં આવું કામ થયું નથી માટે જ મનોવિજ્ઞાન ભવનને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પ્રાપ્ત થયું. દેશની મોટી મોટી યુનિવર્સીટી ફિફા ખાંડતી રહી ત્યારે સૌરાષ્ટ્રએ તેનું ખમીર બતાવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુક્ત *સિન્ડીકેટ સભ્ય ડો. કલાધર આર્ય* એ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું કે નિષ્ઠા, ખંત, ધીરજ અને સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે મનોવિજ્ઞાન ભવન. તેમણે ભજનની કડી ગાઈને જણાવ્યું કે નથી મફતમાં મળતા એના મુલ ચૂકવવા પડતા એની જેમ મનોવિજ્ઞાન ભવનના વખાણ આજે થાય છે પણ અગાઉ આ લોકોએ દિવસ રાત અને જાતની પરવાહ કર્યા વગર સતત મહેનતનું મુલ આપ્યું છે. કોવીડ કેર સેન્ટરમાં સતત તેઓએ કોરોના પોઝીટીવ વ્યક્તિનું માર્ગદર્શન કર્યું છે તેનો હું સાક્ષી છું.

*સિન્ડીકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી* એ જણાવ્યું કે એકમાત્ર કાયમી એક અધ્યાપક અને બાકીના ત્રણ હંગામી અધ્યાપકો છે છતાં આ ભવને જે કામગીરી કરી છે તે કાબિલેદાદ છે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના હાઈસ્કૂલના શિક્ષક *ડો. કૌશિકભાઈ શુક્લ* એ જણાવ્યું કે મને મારાં વિદ્યાર્થી પ્રત્યે ગૌરવ થાય છે, 91-92 માં ભણતો આ બાળક આટલો મોટુ વિરાટ કાર્ય નો સુકાની બનશે એવું ત્યારે મેં કલ્પ્યું નહોતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ *ડો. વિજય દેશાણી* એ જણાવ્યું કે આ પુસ્તક આવનાર સમયમાં ગીતા સાબિત થશે. હજુ આ મનોવિજ્ઞાન ભવનની શરૂઆત છે વિશ્વ લેવલે ભવનની નોંધ લેવાય એવા કાર્યો આ ભવન કરશે એવી મને ખાત્રી છે. મનોવિજ્ઞાન ભવને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે, આ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું અમૂલ્ય ઘરેણું છે. મને આ ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ, ડો. ધારા દોશી, ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, તૌફીક અને નિમીષા પ્રત્યે ખુબ જ લાગણી અને ગૌરવ છે.

*કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી* એ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે 126 આર્ટિકલનો સંગ્રહ એવું આ પુસ્તક 1 +2+6=9 નો ટોટલ નવ થાય છે એટલે ચોક્કસ આ પુસ્તક નવસર્જન કરશે, આ ભવન નવસર્જન કરશે. મનોવિજ્ઞાન ભવને આફતમાં અવસર શોધીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ગૌરવ અપાવ્યું છે તેની મને કુલપતિ તરીકે આનંદ છે. સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના કારોબારીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપકોનું તેઓએ બુકે દ્વારા સન્માન કરીને પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

પુસ્તક વિમોચક *ડો. ભાલચંદ્ર જોશી* એ મનોવિજ્ઞાન ભવનને અભિનંદન આપતા કહે છે કે મનુષ્યમા નિહિત શક્તિ પડેલી છે. આપણા દેશના ઋષિઓ અને ગુરુઓ દ્વારા અપાયેલા શાસ્ત્રો જ ઘણું જ્ઞાન આપી દે છે. કેળવણી શું કરી શકે? એનું જો કોઈ મોડેલ જોઈતું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવને covid -19 દરમિયાન કરેલી સેવા છે તે મોટો પુરાવો છે. ત્યારબાદ રવિશંકર મહારાજની વાત કરતા લોહીના સંસ્કાર અને આપણી સંસ્કૃતિના સંસ્કારની વાત સમજાવી. આ સંસ્કાર મનોવિજ્ઞાન ભવન દ્વારા જાગૃત થયાં. વિશ્વમા કોરોના ભયંકર ઘટના છે જે કોઈ ભૂલી શકે એમ નથી. આ સ્થિતિમા ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ સેવા કરી છે. સરસ વાણી થકી લોકોને માનસિક સધીયારો આપ્યો છે. આ પરિસ્થિતિમા કોઈ કોઈને કેમ છે એ પૂછવા તૈયાર ન હતા ત્યારે આ લોકોએ મનોવિજ્ઞાન વિષય થકી બીજાને સંભાળ્યા. લોકોના મનને સાંભળ્યું, લોકોને શાંતિથી સાંભળ્યા અને આનંદ કરાવતા માનસિક રીતે સહકાર પૂરો પાડ્યો. સૌરાષ્ટ્રની ધરતીને શોભે તેવું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આ મનોવિજ્ઞાન ભવને કર્યું છે. આ કાર્ય કરવા બદલ હું ભાઈ જોગસણને, ધારાને, ડિમ્પલને, હસમુખને અને પુરી ટીમને અભિનંદન પાઠવું છું. આશીર્વાદ આપું છું. શિક્ષકની તોલે કોઈ આવી શકે નહિ. શિક્ષિત હોવું અને સફળ શિક્ષક હોવું તે ખૂબ મહત્વની વાત છે. હવે એવુ લાગે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ધરતીમા એવુ ખેતર તૈયાર થઇ ગયું છે કે સરસ પાક ઉગશે. ડિપ્લોમા કેન્દ્ર શરુ કરો એવી ટકોર કરી. ત્યારબાદ ડૉ. નવીન પટેલના પુસ્તક વિશે થોડી માહિતી આપી અને અભિનંદન આપી આશીર્વાદ પાઠવ્યા.
મનોવિજ્ઞાન ભવને ડો. ભાલચંદ્ર જોશી અને ડો. નવિન પટેલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરેલ. ડો. કલાધર આર્ય, ડો. દીપકભાઈ મશરૂ, ડો. જનકસિંહ ગોહિલ, ડો. નેહલ શુક્લ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. ધરમ કાંબલીયા વિગેરેનો શિલ્ડ અને શાલ દ્વારા આભાર પ્રગટ કરેલ.

કાર્યક્મની આભાર વિધિ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ *ડો. યોગેશ જોગસણ* દ્વારા કરવામાં આવી.

આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી સાહેબ, ઉપકુલપતિશ્રી ડૉ. વિજય દેશાણી સાહેબ,ડૉ. ભાલચંદ્ર જોશી,ડો. નેહલ શુક્લ, ડો. ધરમ કાંબલીયા, ડૉ. ગિરીશ ભીમાણી,ડૉ. કલાધર આર્ય ,જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ ડૉ. નવીન પટેલ,ડો. દિનેશ પંચાલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી ડી. વી. મહેતા, પૂર્વ પ્રમુખશ્રી અજયભાઇ પટેલ, મહામંત્રી પરિમલ પરડવા, રાણાભાઇ, હર્ષદ જલુ, જયદીપ જલુ, એલ. આઈસી. ઓફિસર અનિલભાઈ વિંઝુડા, ડૉ. જયદીપસિંહ ડોડીયા,કિરણ મોર્યની, ડો. એસ. જે. પરમાર, ડો. ભરત કટારીયા, ડો. જે. ઍમ. ચંદ્રવાડીયા, ડૉ.નિકેશ શાહ, દિપક મશરૂ, ડૉ. જયસુખ મારકણા, ડૉ. રેખાબા જાડેજા,ડૉ. ભરત ખેર, ડૉ. ભેદી, ડૉ. પિયુષ સોલંકી,ડૉ. આર. સી. પરમાર અને બીજા ભવનના અધ્યક્ષ અને અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા મીડિયાના કર્મચારીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જુદા જુદા વિભાગના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment