Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 October 2021

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન

હર્બટેની સ્મૃતિસ્તરનું પ્રતિમાન




સ્મૃતિ સ્તરનું અધ્યાપન મોડલ સમજાવનાર હર્બટ છે માટે તેને હર્બાડિયન મૉડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે સ્મૃતિ સ્તરનું મૉડલ આ મુજબ સમજાવ્યું છે.


કેન્દ્રબિંદુ / હેતુ :

  • હકીકતોને યાદ રાખવા પર ભાર આપવો અને નિખ લિખિત ક્ષમતાઓનો વિકાસ કરવો.
  • માનસિક કાર્યની તાલીમ
  • હકીકતો વિશેનું જ્ઞાન પ્રદાન કરવું.
  • શીખેલી હકીકતોનું ધારણ કરવું.
  • શીખેલી હકીકતોને પુનઃ સ્મરણમાં લાવવું અને પુનઃ ૨જૂ કરવું.

સંરચના : હર્બાટે સ્મૃતિ સ્તરના અધ્યાપનને પાંચ સોપાનોમાં વિભાજિત કર્યું હતું હે હર્બાટેની પંચપદી તરીકે પ્રચલિત બન્યું. શિક્ષક આ પાંચ સોપાનોને અનુસરીને વર્ગમાં સ્મૃતિ સ્તરનું અધ્યાપન માટે વાતાવરણ સર્જી શકે. આ સોપાનો આ મુજબ છે.


1. તૈયારી અને હેતુકથન

વિષયાભિમુખ એ સૌ પ્રથમ સોપાન છે. આ સોપાને શિક્ષક અધ્યતાઓને કેટલાક પ્રશ્નો પૂછે છે અને તેમનું પૂર્વજ્ઞાન જાણવા પ્રયત્ન કરે છે. તે સાથે જ કેટલાક એવા પ્રશ્નો પણ પૂછે છે જેથી અધ્યેતાઓ નવા જ્ઞાન માટે જિજ્ઞાસુ બને. ત્યારબાદ શિક્ષક અધ્યેતાઓને ધીમે ધીમે શીખવાના મુખ્ય મુદ્દા તરફ લઈ જાય છે. એકવાર અધ્યેતાઓના મનમાં શીખવાના વિષયવસ્તુ અંગે સ્પષ્ટતા થઈ જાય પછી શિક્ષક તેમને વિષયાંગ જણાવે છે અને ચાક ફલક પર નોંધે છે.


2. રજૂઆત :

આ સોપાને શિક્ષક અધ્યેતાઓ સમક્ષ નવું વિષયવસ્તુ રજૂ કરે છે. આ રજૂઆત સમયે શિક્ષક અધ્યેતાઓની માનસિક પ્રવૃત્તિને ઉત્તેજે છે. શિક્ષક પ્રયત્ન કરે છે કે મોટાભાગની હકીકતો તે અધ્યેતાઓ પાસેથી પ્રાપ્ત કરે જેથી પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે એક સેતુ રચાય. શિક્ષક મુખ્ય મુદ્દાથી જરા પણ વિચલિત થતા નથી. આ સોપાને જેનું મૂલ્યાંકન થઈ શકે તેવું જ્ઞાન શિક્ષક અધ્યેતાઓને આપે છે.

3. તુલના અને જોડાણ :

આ સોપાન શિક્ષક તુલના થકી બે વિષયો, હકીકતો કે ઘટનાઓ વચ્ચે સંબંધ ઊભો કરે છે. આમ કરવાથી અધ્યેતાઓના મનમાં અધ્યયન સામગ્રી પર જાય છે તથા કાયમી ધોરણે અધ્યેતાના મનમાં તે અંકાય જાય છે.


4. સામાન્યીકરણ :

વિષયવસ્તુની પ્રાથિમક માહિતી પૂરી પાડ્યા પછી શિક્ષક અધ્યેતાઓને વિચારવાની તક આપે છે. તે કે કેવી રીતે પ્રાપ્ત હકીકતો અને માહિતીના આધારે નવા નિયમો અને સિદ્ધાંતો રચી શકાય. આ સોપાને અધ્યેતાઓ ભવિષ્યમાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી બને તેવા નિયમો અને સિદ્ધાંતો રચે છે.


5. ઉપયોગ :

આ હર્બટની પંચપદીનું અંતિમ સોપાન છે. આ સોપાને અધ્યેતાઓ શીખેલા જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરે છે. વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવાથી અધ્યેતા તારવેલા નિયમો કે સિદ્ધાંતોની ચકાસણી કરી લે છે અને વિષયવસ્તુ આજીવન યાદ રાખી શીખવે લે છે.

સામાજિક પ્રણાલી :

સ્મૃતિ સ્તરનાં અધ્યાપનમાં શિક્ષક તેમના અધ્યેતાઓ પર હાવી થતો જોવા મળે છે. અધ્યેતાઓને લગભગ કોઇપણ પ્રકારની સ્વતંત્રતા મળતી હોતી નથી. તેઓ પોતાની જાતને રજૂ કરી શકતા નથી. આના પરિણામે અધ્યેતાઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. અહીં તમામ પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા હાથ ધરાય છે અને અધ્યેતાઓએ તે આદર્શ ગણી સ્વીકારવાની હોય છે. અહીં શિક્ષક પ્રથમ અને અધ્યેતા દ્વિતીય સ્થાન ધરાવે છે તેમ કહી શકાય. શિક્ષકનું કાર્ય વિષયવસ્તુની રજૂઆત કરવાનું, અધ્યતાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું અને પ્રેરણા આપવાનું છે.

સહાયક મૂલ્યાંકન પ્રણાલી :

સ્મૃતિ સ્તરમાં તેના નામ પ્રમાણે સ્મૃતિ પર જ ભાર આપવામાં આવે છે. જેથી આ સ્તરના અધ્યાપનના મૂલ્યાંકનમાં મૌખિક અને લેખિત એમ બંને પ્રકારની પરીક્ષાઓને સ્થાન છે. તેમાં વસ્તુલક્ષી કે નિબંધ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે. અધ્યેતાઓ કેટલા સાચા ઉત્તરો આપે છે તે મહત્ત્વનું હોય છે.

No comments:

Post a Comment