Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

02 November 2021

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે

 

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે



માનસિક વિકૃતિનો સહુથી ખતરનાક ચહેરો મર્ડર અને પછી આવે છે આપઘાત અને રેપ. આ બધું ટેન્શન, ડીપ્રેશન અને માનસિક વિકૃતિઓની ઉપજ છે. આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મોટાભાગના આત્મહત્યાનું કારણ પણ માનસિક તાણ હોવાનું નજરે પડે છે. આજે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તાણ જન્મવાનું કારણ કેવું હશે ,તેમની મનોવ્યથા કેટલી દુઃખ કારક હશે? આ વિકૃતિઓનો જન્મ બાળપણ થી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

આજના વર્કિંગ પેરેન્ટસના વ્યસ્ત જીવનમાં બાળકોને અપાતો સમય ઓછો થતો જાય છે. આવા સમયમાં બાળકો પોતાના વિચારોમાં કેદ થતા જાય છે અને આ ગુંગણામણ અને એકલતા તેમના મગજમાં વિકૃતિઓને અને ડીપ્રેશનને જન્મ આપે છે.

હાલ NBC ( એન બી સી )ન્યુઝ ચેનલમાં ન્યુઝ સાંભળતાં મનમાં એક ઊંડી ટીસ ઉભરી આવી, કેલીફોર્નીયાના સેન હોઝેમાં રહેતા ૫૯ વર્ષના મૂળ બાંગ્લાદેશી ગોલામ રાબી અને તેમના ૫૭ વર્ષના વાઈફ સમીમાં રાબીનું ગન શોટ દ્વારા મર્ડર થયું. અને તે પણ તેમના જ બે પુત્રો દ્વારા, જેમાં એક ૧૭ વર્ષનો અને બીજો ૨૨ વર્ષનો હસીબ બિન ગોલાર્બી બંનેએ ભેગા મળીને આ અધમ કૃત્ય કર્યું હતું. તેઓ પોતે બાંગ્લાદેશ થી ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા. કેટલીય મહેનતથી પોતાનું ઘર વસાવીને બાળકોને સારી લાઈફ આપવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેમના કુટુંબીજનો નું કહેવું હતું કે તેઓને આજ કપલે અહી અમેરિકા બોલાવીને રહેવાની અને કામ માટે મદદ કરી હતી. તેમને ઓળખતા મિત્રો અને સગાવહાલાનું કહેવું છે કે કદી આ પેરેન્ટ્સને તેમના બંને દીકરાઓ સાથે લડતાં ઝગડતાં નથી જોયા. હંમેશા દીકરાઓ પણ તેમના પેરેન્ટ્સ સાથે પ્રેમથી વર્તતા હતા.

તો પછી આમ થવાનું શું કારણ હશે? હજુ આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી . વધારે આશ્ચર્ય અને દુઃખ ત્યારે થયું કે પોલીસની કસ્ટડી દરમિયાન મોટા દીકરાએ સાવ ઠંડે કલેજે શાંતિથી જવાબ આપ્યો ” સોરી માય ફસ્ટ કિલ વોઝ ક્લ્મ્ઝી ” તેના ચહેરા ઉપટ ગીલ્ટનું નામોનિશાન જોવા મળ્યું નહોતું .

૨૨ અને ૧૭ વર્ષના બે બાળકોને પ્રેમાળ માતા પિતા તરફ એવો તે કેવો ગુસ્સો કે નફરત થયા હશે કે આટલા હીન શબ્દો તેમના ખૂન કર્યા પછી બોલી રહ્યા છે. આ માનસિક વિકૃતિ સિવાય બીજું શું હોઈ શકે ?

ક્યારેક લાગે છે કે માત્ર બાળકોને લકઝરીયસ લાઈફ આપવાથી કે ઉચ્ચ શિક્ષણ આપવાથી પેરેન્ટ્સનું કામ પૂરું નથી થઇ જતું. બાળકોને તેમના બચપણથી લઇ યુવાની સુધી પુરતો સમય આપવો અત્યંત જરૂરી બની રહે છે. તેમની બાળ હઠને જાણવા સમજવાની પણ બહુ જરૂરી છે. કેટલીક વખત શિસ્તના નામે તેમની સાથે થતી સખતાઈ પણ માનસિક વિકૃતિઓને જન્મ આપે છે. અને તેના વિપરીત પરિણામે બાળક જડ અને લાગણીવિહીન બનતો જાય છે.

એક સર્વે મુજબ અમેરિકમાં ૯.૫ ટકા લોકો ડીપ્રેશન થી પીડાય છે જેમાં ૪૦ મિલિયન પીપલ જે ૧૮ થી મોટી ઉંમરના લોકોમાં એન્કઝાઈટી ડીસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બનેલા જાણવા મળ્યું છે. આ બીમારી ૧૦ થી ૨૫ ટકા વુમન અને ૫ થી ૧૨ ટકા મેન માં જોવા મળી છે. આ બીમારી ઉંમર સાથે વધતી જાય છે.

આજે અમેરિકામાં ૪ % ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર ૬0% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હોવાનું અનુમાન કરાય છે. આમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા નોધપાત્ર હોય છે. આ અવસ્થામાં બાળક ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. તેમના વધતો જતો અભ્યાસક્ર સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીનો બેવડો બોજ તેના ઉપર પડે છે ,ત્યારે થાક અને તાણ અને એકલતા તેમને અવળે માર્ગે દોરે છે. આ બધાનું મૂળ કારણ આપણી હંમેશા પ્રથમ રહેવાની અભિલાષા. જેના પરિણામે બાળકો ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.

મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીની વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. આ બિમારી વધારે કરીને સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, આગળ જતા તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ . આ મોટાભાગે જન્મજાત કે ભૂતકાળ નાં કડવા અનુભવોને આધારે ઉદ્ભવે છે. દર્દીઓને એન્ટીડિપ્રેસન્ટ ની દવાઓ આપી સારવાર કરવામાં આવે છે. આ પ્રકારનું ડીપ્રેશન ભોગવતા દર્દીઓ કાયમ શંકાનો ભોગ બનતા હોય છે જે છેક આપઘાતનું કારણ પણ બની જાય છે .

કોઈ પણ પ્રકારના ડીપ્રેશન થી દૂર રહેવા માટે મેડીટેશન,યોગા,કસરત અને ગમતી રૂચી પ્રમાણેની એક્ટીવીટી રામબાણ ઉપાય છે. સારી ક્વોલીટી ઘરાવતા પુસ્તકો દવા કરતા પણ વધુ અસરકારક પુરવાર થયા છે. આજના આધુનિક જમાનામાં જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે.

રેખા વિનોદ પટેલ (યુએસએ)

No comments:

Post a Comment