Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
07 May 2020
06 May 2020
સ્ટ્રેસ દૂર કરવા માટે દિવસમાં એકવાર ચોક્કસપણે આ કાર્ય કરો
સ્ટ્રેસ દૂર કરવા માટે દિવસમાં એકવાર ચોક્કસપણે આ કાર્ય કરો

દિવસભરના કામમાં લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. મહિલાઓ માટે દિવસભરનું કામ બેગણું વધારે હોય છે. આજના સમયમાં મોટાભાગની મહિલાઓ પણ જૉબ કરવાનું પસંદ કરતી હોય છે. એટલા માટે ઑફિસ અને ઘરના કામના કારણે સ્ટ્રેસ વધારે રહે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા કેટલીય મેડિસિન લે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જાણો, સ્ટ્રેસ ફ્રી રહેવા માટેની કેટલીક ટિપ્સ વિશે...
એક્સરસાઇઝ દરેક બિમારીનો ઇલાજ છે. મગજને આરામ આપવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ.. તેનાથી તમે ફિટ પણ રહેશો અને તણાવ પણ દૂર થશે. શ્વાસને કંટ્રોલ કરીને પણ તમે ફ્રેશ ફીલ કરી શકો છો.
જો તમને કોઇ પણ પ્રકારનું ટેન્શન હોય તો ઊંડો શ્વાસ લો. થોડીકવાર માટે કમ્ફર્ટેબલ થઇને બેસી જાઓ. આંખો બંધ કરીને થોડીવાર સૂઇ જાઓ અને શ્વાસ ધીમે-ધીમે અંદર બહાર કરો. આવું 20 મિનિટ સુધી કરવાથી તમને સારું ફીલ થશે.
ખાણીપીણીનું પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા સમય પર અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ભોજનમાં એવી શાકભાજીઓ સામેલ કરો જેનાથી એનર્જી મળે. પોતાની વ્યસ્ત લાઇફમાંથી પોતાના માટે થોડોક સમય કાઢો. નાની-નાની વાતોને ઇગ્નોર કરો જેથી બેકાર સ્ટ્રેસ ન થાય.
સ્ત્રોત: હેલ્થ ગુજરાત સમાચાર
05 May 2020
03 May 2020
02 May 2020
થાક લાગવાનો પણ માનસિક રોગ હોય
થાક લાગવાનો પણ માનસિક રોગ હોય
‘આ જૂઓ છેક ૪ વર્ષથી અલગ અલગ ડાકટરોની ફાઈલો છે. એમાં કોઈ ટ્રિટમેન્ટ બાકી નથી કે કોઈ ટેસ્ટ કે રિપોર્ટ ન કરાવ્યા હોય એવું નથી.’ સંજના બહેને સાયકોલોજીસ્ટ સાથે વાત કરતાં આગળ ઉમેર્યુ, ‘કોઈ સાચુ નિદાન થઈ શકતું જ નથી. મને એક જ તકલીફ છે. આ ગરમીનો ત્રાસ તો છે જ પણ મને સખત થાક લાગે છે. એટલી હદ સુધી કે હવે તો થાકથી એ થાકી ગઈ છું. શક્તિની ગોળીઓ અને સિરપો કિલો કે લીટરના હિસાબે લીધા હશે. બધા છેલ્લે એવું કહે છે કે માનસિક છે. પણ હું કંઈ ગાંડી નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. હજુ હમણાં સુધી એક એકાઉન્ટિંગ ફર્મમાં ચીફ એકાઉન્ટ તરીકે કામ કરતી હતી. એ વખતનું મારુ નૂર જ કંઈક જુદુ હતુ. પણ આ તકલીફ પછી મારુ હસવાનું અને બોલવાનું બંધ થઈ ગયું છે. સતત મૂડલેસ રહેવાય છે. કોઈ જગ્યાએ મઝા જ નથી આવતી. એવું થાય કે આ દિવસ કેમ ઉગ્યો ? અને રાત પડે સરખી ઊંઘ પણ ન આવે અને દિવસ દરમિયાન ખૂબ આળસ રહ્યા કરે. મારા હસબન્ડ પણ હંમેશા મને સપોર્ટ કરે છે. દરેક ડૉકટરને ત્યાં સાથે જ આવે. એક દીકરો છે જે પાંચેક વર્ષથી યુ.એસ.એ. છે. ત્યાં ભણીને હવે ત્યાં જ જોબ કરે છે. આટલી મંદીમાં પણ એની જોબ ટકી રહી છે. અમારું સ્વીટ અને વોર્મ સ્મોલ ફેમિલી છે, પણ હેપ્પીનેસ દેખાતી નથી. પૈસાની કોઈ કમી નથી પણ આ શરીરના દુખાવા અને થાકનું શું ?...’
સંજના બહેનની આંખમાં આંસૂ દેખાતા હતા. સંજના બહેનના હસબન્ડ સાકેતભાઈ બધી ફાઈલ્સ એક પછી એક બતાવતા હતા. હિમોગ્લોબીન, બી૧૨, ડી૩ અને અન્ય બધા જ રૂટિન રિપોર્ટ્સ તદ્દન નોર્મલ હતા છતાં પણ વાઈફની આ કન્ડીશનથી એ પણ ઈમોશનલ થઈ ગયા હતા.
સંજના બહેનનો દુઃખાવો ખરેખર મનોવૈજ્ઞાનિક કારણસર હતો. એમની ફરિયાદમાં જ એમની તકલીફના કારણે ડોકિયા કરતાં હતા. આટલા વર્ષો સ્કૂલમાં ભણાવ્યા પછી રિટાયર્ડ લાઈફ અને એમાંય પાછી એકના એક દીકરાની ગેરહાજરી, સંજના બહેનને ‘ક્રોનિક ફટિગ સિન્ડ્રોમ’ થવાના પુરતા માનસિક કારણો જણાતા હતા.
સતત થાકની ફરિયાદ હોવા છતાં સંજના બહેન કંઈ ખાસ શારીરિક શ્રમ નહોતા કરતા. આવા દર્દીમાં માથાનો દુઃખાવો,મસલ્સમાં દુખાવો, સાંધાઓમાં દુઃખાવો, ડિપ્રેશન, ગળું સુકાવું, ક્યારેક પેટમાં દુઃખાવો, ગભરામણના હુમલા, ચક્કર આવવા, હાથ-પગમાં ઝણઝણાટી થવી, વજન વધવું, વગેરે ગણ્યા ગણાય નહીં તેટલા લક્ષણો જોવા મળે છે. સતત તાવ હોય એવું લાગ્યા કરે, પણ થર્મોમિટરમાં દેખાય નહીં. ઊંઘીને સવારે ઊઠ્યા પછી પણ ફ્રેશનેસ ન લાગે.
સંજના બહેનની સારવારમાં કેરફૂલ મેડિકલ એકઝામિનેશન થવું જાઈએ, જે તેઓ કરીને જ આવ્યા હતા. હવે એમને ‘લાઈફ સ્ટાઈલ ચેન્જ’ માટે તૈયાર કરવામાં આવ્યા. દુઃખાવો થાય તો પણ દરરોજ અડધાથી પોણો કલાક બ્રિસ્ક વાક તેમને માટે ‘મસ્ટ’ હતી. આવા દર્દીઓને ‘ગ્રેડેડ એકસરસાઈઝ થેરાપી’ મદદરૂપ થાય છે.
સંજના બહેનને ‘ઇનસાઈટ ઓફીએન્ટેડ સાયકોથેરાપી’ આપવામાં આવી, સાથે એમના દીકરા સાથે રોજ એક વખત પાંચેક મિનિટ વૅબકૅમથી સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી. એમનું ડિપ્રેશન અને ક્રોનિક ફટીગ દૂર થયા. કોઈ સોશિયલ ગ્રુપને જોઈન કરવાથી એમને ફાયદો થાય એમ હતું. હવે એમણે ઘરે ફિઝિક્સના ટ્યુશન ચાલુ કરી દીધા છે. ત્રણેક મહિનાના સિટિંગ્સ પછી સંજના બહેનને થાક દૂર થઈ ગયો છે.
ઉત્સવી ભીમાણી (સાયકોલોજી) > નવગુજરાત સમય
Subscribe to:
Posts (Atom)