સ્ટ્રેસ દૂર કરવા માટે દિવસમાં એકવાર ચોક્કસપણે આ કાર્ય કરો

દિવસભરના કામમાં લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. મહિલાઓ માટે દિવસભરનું કામ બેગણું વધારે હોય છે. આજના સમયમાં મોટાભાગની મહિલાઓ પણ જૉબ કરવાનું પસંદ કરતી હોય છે. એટલા માટે ઑફિસ અને ઘરના કામના કારણે સ્ટ્રેસ વધારે રહે છે. આ સમસ્યાનું નિવારણ લાવવા કેટલીય મેડિસિન લે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જાણો, સ્ટ્રેસ ફ્રી રહેવા માટેની કેટલીક ટિપ્સ વિશે...
એક્સરસાઇઝ દરેક બિમારીનો ઇલાજ છે. મગજને આરામ આપવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ.. તેનાથી તમે ફિટ પણ રહેશો અને તણાવ પણ દૂર થશે. શ્વાસને કંટ્રોલ કરીને પણ તમે ફ્રેશ ફીલ કરી શકો છો.
જો તમને કોઇ પણ પ્રકારનું ટેન્શન હોય તો ઊંડો શ્વાસ લો. થોડીકવાર માટે કમ્ફર્ટેબલ થઇને બેસી જાઓ. આંખો બંધ કરીને થોડીવાર સૂઇ જાઓ અને શ્વાસ ધીમે-ધીમે અંદર બહાર કરો. આવું 20 મિનિટ સુધી કરવાથી તમને સારું ફીલ થશે.
ખાણીપીણીનું પણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા સમય પર અને સંતુલિત ભોજન કરવું જોઇએ. ભોજનમાં એવી શાકભાજીઓ સામેલ કરો જેનાથી એનર્જી મળે. પોતાની વ્યસ્ત લાઇફમાંથી પોતાના માટે થોડોક સમય કાઢો. નાની-નાની વાતોને ઇગ્નોર કરો જેથી બેકાર સ્ટ્રેસ ન થાય.
સ્ત્રોત: હેલ્થ ગુજરાત સમાચાર
No comments:
Post a Comment