Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 October 2020

રિસર્સ / સોશિયલ મીડિયા અંગે થયેલ સંશોધનમાં બહાર આવ્યા ચોંકાવનારા તારણ, જાણો

રિસર્સ / સોશિયલ મીડિયા અંગે થયેલ સંશોધનમાં બહાર આવ્યા ચોંકાવનારા તારણ, જાણો


     સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ શારીરિક અને માનસિક આરોગ્ય માટે હાનિકારક છે તેવું કહેવાય છે અને મનાય પણ છે. જોકે એક નવા સંશોધનમાં આ માન્યતાથી વિરુધ્ધ એવા તારણો બહાર આવ્યા છે કે તે પુખ્તવયના લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે સારુ છે એટેલું જ નહીં તે ડિપ્રેશનથી પણ બચાવે છે.


          અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોના મતે સંબંધો જાળવી રાખવામાં તેમજ હેલ્થ સહિતની જરુરી માહિતીની આપ લે માટે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ મહત્વનું સાબિત થયું છે.

      મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર કીથ હેમ્પ્ટન કહે છે કે સોશિયલ મીડિયા અંગે પુખ્તવયના લોકોને ધ્યાનમાં રાખીને ખાસ સંશોધન થયું નથી. મોટાભાગના સંશોધન સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પર થતી અસર અંગેના છે. તેઓ કહે છે કે અલગ અલગ વય જુથ પર તેની અસર જુદી જુદી હોય છે.

    ટેકનોલોજીના જમાનામાં આર્થિક-સામાજિક ક્ષેત્રે પણ મોટા ફેરફારો થઇ રહ્યા છે. તેની અસરોને પણ ધ્યાનમાં લેવી જોઇએ. બીજી બાજુ સોશિયલ મીડિયા આપણા જીવનનો હિસ્સો બની ગયું છે. તેને વર્ચ્યુઅલ વર્લ્ડ પણ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાથી લોકોમાં અનેક મુદ્દાઓ પર જાગૃતિ આવી છે.


      આજે સત્તાધીશોએ પણ તેને ગંભીરતાથી લેવી પડે છે. હજારો-લાખો લોકો એક કોમન મુદ્દા માટે એક સાથે જોડાઇ શકે છે અને જોડાય છે જે પહેલા શકય બનતું ન હતું. સોશિયલ મીડીયાથી વર્ષોથી ભુલાયેલા સંબંધો પણ ફરી જીવંત બન્યા છે. સોશિયલ મીડિયાની તાકાત ભલભલા ચમરબંધીને પણ જુકાવી શકે છે. 

       ધંદા-રોજગાર કે કોઇ સારા વિચારને લાખો લોકો સુધી ઝડપથી અને આસાનીથી પહોંચવાનું એકમાત્ર સરળ માધ્યમ પણ અત્યારે સોશિયલ મીડિયા જ છે. અલબત્ત કોઇ પણ ચીજનું વળગણ સારુ હોતું નથી તે સેશિયલ મીડિયાને પણ લાગુ પડે છે.

VTV ગુજરાતી 

No comments:

Post a Comment