Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 June 2026

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન



પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન (environmental psychology) એ વર્તન અને ભૌતિક પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા છે. ‘ભૌતિક પર્યાવરણ’ એ શબ્દ દ્વારા ‘કુદરતી’ (un-built or natural) અને ‘માનવનિર્મિત’ (built or man-made) એમ બંને પ્રકારનાં પર્યાવરણનો નિર્દેશ થાય છે. ‘કુદરતી પર્યાવરણ’માં ઘોંઘાટ, વિવિધ હવામાન-તાપમાન, પર્યાવરણનાં ઝેરી તત્વો, પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ વગેરેનો સમાવેશ થાય છે અને ‘માનવનિર્મિત પર્યાવરણ’માં વાહનવ્યવહાર તથા સંદેશા-વ્યવહારનાં સાધનો, બહુમાળી ઇમારતો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુત મથકો, બંધો, પુલ, નહેરો વગેરેનો સમાવેશ થાય છે. ‘વર્તન’ શબ્દ દ્વારા માનવીની પ્રગટ અને પ્રચ્છન્ન ક્રિયાઓ, પ્રત્યક્ષીકરણ, બોધન, વિચાર, લાગણી, આવેગ વગેરેનો નિર્દેશ થાય છે. આ ક્ષેત્રમાં સંશોધન કરનારા મનોવૈજ્ઞાનિકોને ‘પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો, (environmental psychologists) કહેવાય છે.

1970ની આસપાસના સમય દરમિયાન કેટલાક મનોવૈજ્ઞાનિકોએ કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ગરમી-ઠંડી, પ્રકાશ, અવકાશ (space), ઘોંઘાટ વગેરેની માનવીના કાર્ય તેમજ કાર્યક્ષમતા ઉપર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. પ્રોશેન્સ્કી, ઇટ્ટલસન અને રીવલીન (1970), સોમર (1969), કેપ્લન (1972) વગેરે સંશોધકોએ માનવનિર્મિત પર્યાવરણની વર્તન પર થતી અસરોને લગતાં સંશોધનો કર્યાં. બેલ, ફીશર અને લુમિસ (1978) વગેરે સંશોધકોએ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધોને લગતા અભ્યાસો કર્યા. આ સંશોધનોના આધારે ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ માનવવર્તન અને કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરે છે’ એવી વ્યાખ્યા પ્રચલિત બની. આ જ સમય દરમિયાન ન્યૂયૉર્ક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો સમાવેશ થયો. આ રીતે મનોવિજ્ઞાનની એક વ્યવસ્થિત શાખા તરીકે 1970માં ‘પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો અતૂટ એકમો છે. આ શાખામાં પર્યાવરણના ઉદ્દીપકો પ્રત્યેની વ્યક્તિગત પ્રતિક્રિયાઓને નહિ પણ કુદરતી તેમજ માનવનિર્મિત પર્યાવરણ અને વર્તન વચ્ચેના સમગ્રતાલક્ષી સંબંધ(molar relationship)ના અભ્યાસને મહત્વ અપાય છે. પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધો પારસ્પરિક છે. એટલે કે કુદરતી પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીના વર્તન ઉપર સતત અસર કરે છે અને માનવી આ કુદરતી પર્યાવરણનો આધાર લઈને ‘માનવનિર્મિત પર્યાવરણ’નું નિર્માણ કરે છે. આ માનવનિર્મિત પર્યાવરણ માનવીને ઉપયોગી બનવાની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ સર્જે છે; જેમ કે વાહનવ્યવહારનાં સાધનો, કારખાનાં, મિલ, પાવર સ્ટેશનો, અણુવિદ્યુતકેન્દ્રો વગેરે દ્વારા ફેલાતું પ્રદૂષણ કુદરતી પર્યાવરણમાં અસંતુલન પેદા કરે છે. આ રીતે પર્યાવરણ અને વર્તન વચ્ચેના આંતરસંબંધો પારસ્પરિક છે અને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ પારસ્પરિક સંબંધનો અભ્યાસ સમગ્રતાલક્ષી ર્દષ્ટિબિંદુથી કરે છે.

પર્યાવરણ અને વર્તનની પારસ્પરિક અસરો તપાસવા માટેનાં સંશોધનોના કેન્દ્રમાં કોઈક વ્યાવહારિક સમસ્યા હોય છે અને સંશોધનનો હેતુ આ સમસ્યાના નિરાકરણનો હોય છે. તેથી આવાં સંશોધનો મોટેભાગે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં નહિ પણ વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને તે સંશોધનોનાં પરિણામોનો ઉપયોગ જે તે વ્યાવહારિક સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ અને સિદ્ધાંતો મૂળભૂત રીતે વ્યાવહારિક સંશોધનો(applied research)માંથી નીપજ્યાં છે. ગ્લાસ અને સિંગર (1972), કોહેન તથા અન્ય સંશોધકો (1980) વગેરેએ કરેલાં સંશોધનો દર્શાવે છે કે પ્રયોગશાળામાં કરેલાં સંશોધનો કરતાં વાસ્તવિક-કુદરતી પરિસ્થિતિમાં કરેલાં સંશોધનો વધુ વિશ્વસનીય અને યથાર્થ પરિણામો આપી શકે છે. જોકે પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં કરેલાં સંશોધનોનો હેતુ તો વ્યાવહારિક સમસ્યાના નિરાકરણનો જ હોય છે.

પર્યાવરણ અને વર્તનના આંતરસંબંધોનો અભ્યાસ કરવા માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ જેવી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન, વ્યાવહારિક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન વગેરેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાજિક વિજ્ઞાનો જેવાં કે નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્થાપત્યકલા વગેરેની માહિતી અને જ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ આંતર વિદ્યાશાખાકીય (interdisciplinary) છે. આ વિવિધ સિદ્ધાંતોના ઊંડા અભ્યાસ પરથી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતો તારવનારું એવું સારગ્રાહી પદ્ધતિતંત્ર (eclectic methodology) અપનાવે છે.

પર્યાવરણ અને વર્તનના પારસ્પરિક સંબંધના અભ્યાસ માટે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં મુખ્યત્વે પ્રયોગ પદ્ધતિ, સહસંબંધ અને વર્ણનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સંશોધન માટે બે રીતોનો ઉપયોગ થાય છે : (1) વ્યક્તિને ખબર હોય કે તેનો અભ્યાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પદ્ધતિમાં મુલાકાત અને પ્રશ્નાવલિનો ઉપયોગ થાય છે. 1968માં બાર્કરે જુદા જુદા પરિવેશમાં વર્તનની લાક્ષણિકતાઓ તપાસવા માટેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. (2) વ્યક્તિને ખબર ન હોય કે તે આ સંશોધનનો એક ભાગ છે. 1971માં બીકમને કરેલા મદદરૂપ વર્તન અંગેના સંશોધનમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

પર્યાવરણની વર્તન ઉપરની અસરોને તપાસવા માટેનો એક અભિગમ પર્યાવરણના ભાર(environmental load)ના સંદર્ભમાં વર્તનને સમજવાનો છે. પર્યાવરણની પરિસ્થિતિઓનું માનવી જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તે સંદર્ભમાં માનવી પર્યાવરણનો અતિભાર (over load), અલ્પભાર (underload) અથવા અનુકૂળ ભારની સ્થિતિ (optimum level) અનુભવે છે. જો માનવી પોતાની સહનશક્તિ કરતાં વધુ માત્રામાં ભાર અનુભવે તો તે અતિભારની સ્થિતિ કહેવાય. શહેરી જીવનશૈલી, તેમજ ભીડ અને ગીચતાની સમસ્યાઓ પર્યાવરણના અતિભારના સંદર્ભમાં સમજાવી શકાય. જો પર્યાવરણની પરિસ્થિતિઓ માનવીમાં વર્તનની કોઈ ઉત્તેજના જન્માવી શકે નહિ એટલી ઓછી માત્રામાં ભાર હોય ત્યારે અલ્પભાર કહેવાય. માનવીની એકધારી પ્રવૃત્તિ, નીરસ જીવન, અને એકલતાની અસરોને અલ્પભારના સંદર્ભમાં સમજાવી શકાય. અતિભાર માનવીમાં તનાવ (stress) ઉત્પન્ન કરે છે. જ્યારે અલ્પભાર તીવ્ર ચિંતાનો અનુભવ કરાવે છે. આમ આ બંને પરિસ્થિતિઓ માનવી માટે હાનિકારક છે. માનવી જ્યારે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને વર્તે છે ત્યારે અનુકૂળ ભાર (optimum level) કહેવાય છે. આવી અનુકૂળ ભારની સ્થિતિમાં માનવી કોઈ પ્રકારનો તણાવ કે ચિંતા અનુભવ્યા વિના સાધારણ પ્રતિક્રિયાઓ કરી શકે છે.

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં મુખ્યત્વે
 (1) પર્યાવરણની પરિસ્થિતિઓ અને તેની સાથેની આંતરક્રિયાનાં પાસાંઓ; 
(2) પર્યાવરણનું પ્રત્યક્ષીકરણ અને બોધન; 
(3) વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ જેવી કે ઘોંઘાટ, હવામાન-તાપમાન, કુદરતી આપત્તિઓ, પ્રદૂષણ, વ્યક્તિગત અવકાશ, ભીડ અને ગીચતા વગેરેની વર્તન પર થતી અસરો; 
(4) પર્યાવરણની વાર્તનિક અસરો અને ઇચ્છિત વર્તન નિપજાવવા માટે વાતાવરણની તરેહો, 
(5) બદલાતા પર્યાવરણને લગતાં બોધનો, પ્રત્યક્ષીકરણ અને વર્તન તેમજ 
(6) પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુદરતી પર્યાવરણની સમતુલામાં મનુષ્યની દખલગીરીથી પર્યાવરણ દૂષિત બને છે ત્યારે વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ ઉદભવે છે. પર્યાવરણને દૂષિત બનાવવું એટલે પ્રદૂષણ સર્જવું. માનવનિર્મિત પ્રવૃત્તિઓથી ઘોંઘાટ, હવા, પાણી, ભૂમિ વગેરેને લગતાં પ્રદૂષણો અત્યારે ચિંતાનો વિષય બન્યાં છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આ સંદર્ભમાં ઘોંઘાટ, હવામાન-તાપમાન, ભૂમિ, માનવવસ્તી વગેરેનો અભ્યાસ કરે છે.

હવાના પ્રદૂષણ માટે ઘરવપરાશમાં, વ્યાપારી ધોરણે તથા ઉદ્યોગોમાં વપરાતું બળતણ વગેરે જવાબદાર છે. હવામાં ઊડતા રજકણો, મિલો, કારખાનાં, ચૂનાની ભઠ્ઠી, સિરામિકનાં કારખાનાં તેમજ અન્ય અસંખ્ય કારખાનાંઓ જવાબદાર છે. જેના કાર્બનકણો હવામાં ભળે છે, જે સૂર્યપ્રકાશ ઘટાડે છે. માનવી શ્વસનતંત્રના રોગોનો ભોગ બને છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

જળપ્રદૂષણ માટે ગંદા વસવાટોનું બહાર ફેંકાતું પાણી, રંગ-રસાયણોનાં કારખાનાં, રાસાયણિક ખાતરો તેમજ કારખાનાંઓનાં ગંદાં અને ઝેરી પાણીનો નિકાલ વગેરે જવાબદાર છે. આ બધું ગંદું પાણી જળાશયોનાં સ્વચ્છ પાણીમાં ભળે છે અને તેને દૂષિત કરે છે. આ પાણી પીવામાં આવે એટલે પાચનતંત્રના અને ચામડીના રોગો થાય છે.

ઘોંઘાટ એટલે અરુચિકર, અસહ્ય અને ન ગમતો અવાજ. ઘોંઘાટનું પ્રદૂષણ વિવિધ પ્રકારનાં વાહનો, કારખાનાનાં યંત્રો, જેટ વિમાન વગેરેના અસહ્ય અવાજથી ફેલાય છે. અવાજની તીવ્રતાશક્તિ માપવા માટેના ખાસ એકમને ડેસિબલ (DB) કહેવાય છે. સામાન્ય રીતે 30 DB સુધીનો અવાજ સાંભળવો ગમે છે. આશરે 80 DBનો અવાજ માણસને અકળાવે છે. અને તેથીયે વધારે તીવ્રતાવાળો અવાજ માનવીના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. માનવનિર્મિત પર્યાવરણથી ઘોંઘાટનું પ્રદૂષણ ભયંકર રીતે ફેલાયું છે જે માનવીના સમગ્ર જ્ઞાનતંત્રને અસર કરે છે. કાર્યક્ષમતા ઘટે છે, સાંભળવાની ક્ષમતા ઘટે છે, નિર્ણયશક્તિ ઘટે છે – આ બધું અન્ય મનોદૈહિક બીમારીઓનું કારણ બન્યું છે. આમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે.

ભૂમિપ્રદૂષણ પણ માનવીને અનેક રીતે નુકસાનકારક છે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં બિનજરૂરી ફેરફારોથી જમીનની ગુણવત્તા અને ઉપયોગિતા નષ્ટ થાય એવા પ્રદૂષણને ભૂમિ કે જમીનનું પ્રદૂષણ કહેવાય. ભૂમિપ્રદૂષણ માટે વિનાશક વાવાઝોડું, વરસાદનું પાણી, વિનાશક પૂર, હિમપ્રપાત, જ્વાળામુખીનો વિસ્ફોટ વગેરે જેવી કુદરતી ઘટનાઓ તો જવાબદાર છે જ, પણ એથીયે અનેકગણું વધારે માનવનિર્મિત પર્યાવરણ જવાબદાર છે. જેમ કે રસ્તા, રેલમાર્ગ, જળાશયો અને બંધો માટે આડેધડ જમીનનું ખોદકામ, જંતુનાશકો, રાસાયણિક ખાતરો વગેરેનો ઉપયોગ, આ બધાંથી ભૂમિ-પ્રદૂષણનો વ્યાપ વધતો ગયો છે.

પ્રદૂષણની વિનાશક અસર હવામાન-તાપમાન ઉપર પણ થઈ છે. માનવનિર્મિત પ્રદૂષણને કારણે જ પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. ગરમીમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. ઋતુચક્ર પણ અનિયમિત બની ગયું છે. 11° સે.થી નીચું અને 32° સે.થી ઊંચું તાપમાન માનવી અને પ્રાણી ઉપર ઘાતક અસરો પેદા કરે છે અને તનાવ સર્જે છે. ઔદ્યોગિક ક્રાન્તિ માટે ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયાસો પણ વિનાશક સાબિત થયા છે. આ ઉપરાંત પૃથ્વીની આસપાસ અવકાશમાં હાલ ખૂબ જ ઉપગ્રહોનો ભરાવો થઈ ગયો છે. આ ઉપગ્રહોનો ભંગાર તેમજ અવકાશયાત્રીઓએ ઠાલવેલો કચરો અવકાશીય (spatial) પ્રદૂષણ સર્જે છે. માનવવસ્તીમાં થતા ઝડપી વધારાથી ભીડ અને ગીચતા જેવી સમસ્યાઓ સર્જાઈ છે, જેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. વિશ્વબૅંકનો 1990નો હેવાલ જણાવે છે કે, ‘વિકાસગામી દેશોના સંપૂર્ણ ગરીબ એવા એક અબજથી પણ વધુ લોકો પર્યાવરણમાં પ્રમાણ બહારનો બગાડ સર્જે છે.’ માનવસંખ્યામાં થતો ઝડપી વધારો માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે પાણી, સેનિટેશન, ખોરાક, ઊર્જા, રહેઠાણ, તેમજ મોકળાશભરી જગ્યાની ભારે ખેંચ અને તંગી સર્જે છે. યુનોના પૉપ્યુલેશન ફંડના વિશ્વ-વસ્તી વિશેના 1990ના હેવાલમાં દર્શાવાયું છે કે ‘પર્યાવરણમાં બગાડ સર્જવા માટે જો કોઈ મહત્ત્વનું જવાબદાર પરિબળ હોય તો તે માનવવસ્તી છે. આપણે જો પર્યાવરણની જાળવણી નહિ કરીએ તો આપણાં બાળકોને ઝેરનો વારસો આપી જવાનો રહેશે.’

પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં પણ પર્યાવરણમાં ફેરફાર અને જાળવણી વિશેનો અભ્યાસ તેમજ સૂચનો કરવામાં આવે છે. સંશોધકો વિપરીત પર્યાવરણની પરિસ્થિતિઓ અને વ્યક્તિ પોતાના અવકાશનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કરીને નવી ઇમારતોની તરેહો રચવા માટેનાં સૂચનો કરે છે. ભીડ અને ગીચતા વ્યક્તિમાં ક્યારેક તનાવ (stress) જેવી નકારાત્મક પ્રતિક્રિયાઓ નિપજાવે છે તો કેટલાક સંજોગોમાં હૂંફ અને વ્યક્તિગત આનંદની લાગણી જન્માવે છે. આવી વિવિધ અસરોનો અભ્યાસ મનોવિજ્ઞાનની આ શાખામાં કરવામાં આવે છે. એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક રસપ્રદ અને વ્યવહારુ શાખા છે. તેમાં સંશોધનો તેમજ તેના વ્યાવહારિક અમલીકરણને ઘણો અવકાશ છે.

પર્યાવરણને નજર સમક્ષ રાખીને સજીવો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છેલ્લા એકાદ સૈકા દરમિયાન અસ્તિત્વમાં આવ્યું છે, જે પરિસ્થિતિવિજ્ઞાન (ecology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રે 1968માં આર. જી. બાર્કરે સજીવો (living organism) અને પર્યાવરણના પારસ્પરિક સંબંધને તપાસતાં અનેક સંશોધનો કર્યાં. તેમણે પોતાના આ કાર્યને ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’ (ecological psychology) એવું નામ આપ્યું. બાર્કરનાં સંશોધનો ‘વર્તન પરિવેશ’(behaviour setting)ને લગતાં છે. આમ 1968માં ‘પરિસ્થિતિવિજ્ઞાનલક્ષી મનોવિજ્ઞાન’નો ઉદભવ થયો અને બાર્કર તેના પ્રણેતા ગણાય. પરંતુ પાછળથી અન્ય મનોવૈજ્ઞાનિકોએ માનવવર્તન અને ભૌતિક પર્યાવરણ (કુદરતી તેમજ માનવનિર્મિત) વચ્ચેના પારસ્પરિક સંબંધના અભ્યાસને મહત્વ આપ્યું, જે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન તરીકે ઓળખાયું.

05 May 2026

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

ધો .૧૦ ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: - ૧૦ (એસ.એસ.સી.) અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૮/૦૫/૨૦૨૬ નાં રોજ ગુરુવારે સવાર 8.00 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number  ૬૩૫૭૩૦૦૯૭૧  પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન








 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ

04 May 2026

ધોરણ: -૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ...૨૦૨૬

 ધોરણ: -૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ...૨૦૨૬


ધો .૧૨  વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉ.ઉ.બુ.પ્રવાહ,GUJCET-૨૦૨૬ અને સંસ્કૃત મધ્યમાના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૪/૦૫/૨૦૨૬નાં રોજ સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.



ઓફિસિયલ નોટિફિકેશન 




 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 


                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ

07 April 2026

અફવા

અફવા 


અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર (Rumor) ’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગે નોંધપાત્ર પ્રમાણમાં પ્રાયોગિક અધ્યયનો થયાં છે. આ અધ્યયનોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે અને બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને અને ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. પ્રાયોગિક અધ્યયનોએ સ્પષ્ટ કર્યું છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે (levelling), કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે (sharpening), જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોનાં આશા-અરમાનો-ઇચ્છાઓ અને અપેક્ષાઓ ભળી જાય છે (assimilation). આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે. ઑલપોર્ટ અને પોસ્ટમૅનના આ વિશ્લેષણથી વિરુદ્ધ કેટલાક અભ્યાસીઓનું મંતવ્ય એવું છે કે અફવાના શ્રીગણેશ એક સરળ વિધાન કે વિગતથી થાય છે. આ વિધાન કે વિગત શરૂઆતથી જ ખોટું કે વાહિયાત હોય છે. તેને જ જાણ્યેઅજાણ્યે આગળ ને આગળ ધપાવવામાં આવે છે. કોઈ પણ અફવા કેટલી આગળ વધશે તેનો આધાર તે અફવાનો વિષય કેટલો ‘મહત્વપૂર્ણ’ છે અને તે સમયે પરિસ્થિતિ કેટલી ‘સંદિગ્ધ’ છે તેના પર છે. નજીવી બાબતો કે નગણ્ય વ્યક્તિઓ વિશે અફવાઓ ફેલાતી નથી. સંદિગ્ધ પરિસ્થિતિમાં અફવાને પાંખો આવે છે. અંધાધૂંધી, હુલ્લડ, યુદ્ધ કે રમખાણના સમયે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે. અફવાથી ટોળાંઓ સર્જાય છે અને ટોળાંઓ સર્જાતાં અફવાને વધુ વેગ મળે છે. લોકલાગણીને ઉશ્કેરે તેવી કોઈ બાબત હોય અને વિશ્વસનીય સાધનો દ્વારા ત્વરિત ખુલાસો ન થાય તો અફવા દાવાગ્નિની જેમ ફેલાય છે. અફવાઓમાં બન્યું હોય તે નહિ પણ શું બન્યું હોત તે ઘણી વાર તો રજૂ કરવામાં આવે છે. અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ‘ઇચ્છાપૂર્તિ’ પણ કરે છે. દા.ત. હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો આસમાને ચઢાવે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્ર્વાસન મેળવે છે. અફવામાં પોતાની માનસિક સ્થિતિ કે પ્રેરકબળોનું પ્રક્ષેપણ થાય છે. કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે પ્રજાના જીવનમાંથી રસકસ ઊડી ગયો હોય અને પ્રજા એક પ્રકારનો કંટાળો કે અકળામણ અનુભવતી હોય તો તેવા સંજોગોમાં પણ અફવાઓને મોકળું મેદાન મળે છે. અફવાઓથી પ્રજાજીવનમાં ઉશ્કેરાટ અને ઉત્તેજના આવે છે અને લોકોને જીવનમાં રસ પેદા થાય છે. કેટલીક વ્યક્તિઓ પોતે બહુ મહત્વની વાત જાણી લાવેલ છે અને મહત્વની વાતની જાણ તો મહત્વના લોકો હોય તેમને જ થાય એવું દર્શાવવામાં અફવાઓ ફેલાવે છે. વર્તમાનપત્રો જેવાં સમૂહમાધ્યમો અને ટેલિફોન જેવાં સંચારમાધ્યમો અફવા ફેલાવવામાં નિમિત્તરૂપ બને છે. અફવાને સાધારણ રીતે વખોડી કાઢવામાં આવે છે, પરંતુ અફવા એક રીતે સાંભળનારને ચેતવે છે, સાવધાન કરે છે.

અફવાઓના મનોવિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા વ્યવસ્થાપન-મૅનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસીઓએ પારખી છે. અર્વાચીન વ્યવસ્થાપન પદ્ધતિઓમાં કંપનીઓમાં કેવી ગુસપુસ ચાલે છે તે જાણવા માટે કર્મચારીઓની સાથે નાનાં નાનાં જૂથમાં અનૌપચારિક મિલનમુલાકાતો ગોઠવવા પર ભાર મુકાવા માંડ્યો છે. આવાં મિલનમુલાકાતોમાં ગપસપને બદલે સાચી માહિતી અને તથ્યો કર્મચારીઓને આપવામાં આવે છે અને કર્મચારીઓ કર્ણોપકર્ણ તે માહિતી બીજાઓને પહોંચાડે છે. પ્રત્યાયન(communication)ની આ અનૌપચારિક પદ્ધતિને ‘ગ્રેઇપવાઇન મેથડ’ કહેવામાં આવે છે. ‘ગ્રેઇપવાઇન’ એટલે દ્રાક્ષનો વેલો. દ્રાક્ષનો વેલો જેમ આડોઅવળો ફેલાય તેમ અહીં પ્રત્યાયન એક મુખેથી બીજા મુખે એમ ચારે તરફ ફેલાય છે અને વ્યવસ્થાપન તંત્રનું ધાર્યું લક્ષ્ય પાર પડે છે.

હુલ્લડ, રમખાણ કે યુદ્ધની પરિસ્થિતિમાં અફવા ફેલાતી રોકવી તે અનિવાર્ય બની જાય છે.

નટવરલાલ શાહ

14 February 2026

ટી.એ.ટી. કસોટી (Thematic Apperception Test)

ટી.એ.ટી. કસોટી
(Thematic Apperception Test)

                ટી.એ.ટી. કસોટી(Thematic Apperception Test) : મનોવિજ્ઞાનને લગતી એક પ્રક્ષેપણાત્મક કસોટી. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકના ડૉ. મરે અને મૉર્ગને 1938માં તે રચી. વ્યક્તિત્વ માપવા માટે આ કસોટી વ્યાપક રીતે વપરાય છે. એના ઉપયોગ અંગે પુષ્કળ સંશોધનો થયાં છે. ડૉ. મરે ‘Thema’ શબ્દ વડે વ્યક્તિની જરૂરિયાતો તેમજ તેને સંતોષવા અંગે વ્યક્તિના અનુભવો સૂચવે છે. તેમને મતે જ્યારે વ્યક્તિને અર્ધસ્પષ્ટ ચિત્રો બતાવવામાં આવે ત્યારે તેનું પ્રત્યક્ષીકરણ કરીને વ્યક્તિ જે વાર્તા બનાવે છે તેમાં તેની જરૂરિયાતોના અનુભવોનું પ્રતિબિંબ અચૂક રીતે પડતું જ હોય છે.

સામગ્રી : આ કસોટીમાં તદ્દન સ્પષ્ટ નહિ કે તદ્દન અસ્પષ્ટ નહિ એવાં દસ ચિત્રોની ત્રણ શ્રેણીઓ હોય છે. કોઈ પણ એક વ્યક્તિને એમાંથી સામાન્ય રીતે દસ અને વધુમાં વધુ વીસ ચિત્રો બતાવાય છે. એમાંનું એક કાર્ડ તદ્દન કોરું હોય છે, બાકીનાં 19 કાર્ડમાં જીવનની જુદી જુદી પરિસ્થિતિઓનાં ર્દશ્યો ચીતરેલાં હોય છે. એમાંનાં સાત ચિત્રો પુરુષો અને સ્ત્રીઓ માટે જુદાં જુદાં હોય છે, જ્યારે બે ચિત્રો બાળકો અને પુખ્ત વ્યક્તિઓ માટે જુદાં જુદાં હોય છે.

પ્રક્રિયા : વ્યક્તિએ દરેક શ્ય જોઈને વાર્તા કહેવાની હોય છે. એ દ્રશ્યમાં અત્યારે શું બની રહ્યું છે, એની પહેલાં શું બન્યું હતું, હવે પછી શું બનશે તેમજ દ્રશ્યનાં વિવિધ પાત્રોને કેવા વિચારો અને લાગણીઓ થાય છે તેનું વર્ણન અને અર્થઘટન, જોનાર વ્યક્તિએ આપવાનાં હોય છે. દ્રશ્યને જોતાં જોતાં જેમ જેમ વિચારો આવતા જાય તેમ તેમ તેણે મનોવૈજ્ઞાનિકની સમક્ષ તે કહી સંભળાવવાના હોય છે. મનોવૈજ્ઞાનિક એની નોંધ રાખે છે. દરેક દ્રશ્યની વાર્તા કહેવા માટે પાંચ મિનિટની મર્યાદા હોય છે.

વિશ્લેષણ : દ્રશ્ય જોનારે કહેલી વાર્તાનું નીચે પ્રમાણે વિવિધ રીતે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે : 
(1) કથાવસ્તુ, તેમાં આવતા પ્રસંગો, 
(2) વાર્તાનાં પાત્રો, 
(3) વાર્તા કહેનાર વ્યક્તિ કયા પાત્ર સાથે તાદાત્મ્ય અનુભવે છે, 
(4) વાર્તામાં નાયકનાં કયાં કયાં મનોવલણો, જરૂરિયાતો, હતાશાઓ અને સંઘર્ષો દર્શાવ્યાં છે, 
(5) દ્રશ્યની કઈ વિગતો જોનારના ધ્યાન બહાર ગઈ છે, 
(6) વાર્તામાં વડીલો અને ઉપરીઓ તરફ કેવું વલણ દર્શાવ્યું છે,
(7) વાર્તામાં કંઈક અસામાન્ય બનાવ બનતો વર્ણવ્યો છે, 
(8) વાર્તાનો અંત કેવો છે વગેરે મુદ્દાઓના આધારે વાર્તા રચનાર વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વિશે અનુમાન કરવામાં આવે છે.


ટી.એ.ટી.માં સમાવિષ્ટ થતાં ચિત્રો જેવું એક ચિત્ર

વૈજ્ઞાનિકતા : ટી.એ.ટી.ની વિશ્વસનીયતા અને યથાર્થતા સંતોષકારક છે.

અન્ય સ્વરૂપો અને સમાન કસોટીઓ : ટી.એ.ટી.ની જેમ બાળકોનું વ્યક્તિત્વ માપવા માટે બેલાકે સી.એ.ટી. (ચિલ્ડ્રન્સ એપર્સેપ્શન ટેસ્ટ) બનાવી છે. ટી.એ.ટી.નું ભારતીય રૂપાંતર ડૉ. ઉમા ચૌધરીએ કર્યું છે. એ ચિત્રોમાં ભારતીય પોશાક, રાચરચીલું અને ભારતીય ગૃહરચના અને વાતાવરણ દર્શાવ્યાં છે. સિદ્ધિપ્રેરણા માપવા માટે મૅકલેલૅન્ડે ટી.એ.ટી. જેવી જ ચાર ચિત્રોની પ્રક્ષેપણ-કસોટી બનાવી છે. ભારતમાં ડૉ. પ્રયાગ મહેતાએ એનું રૂપાંતર કર્યું છે.

વ્યક્તિત્વમાપનમાં ટી.એ.ટી.નું મૂલ્ય : ઉત્તરદાતા ટી.એ.ટી.નો સાચો હેતુ ન જાણતો હોવાથી તે વાર્તા કહેતી વખતે પોતાનાં વિચારો, માન્યતાઓ, વલણો, લાગણીઓ અને પ્રેરણાઓને સંકોચ વગર સહજ રીતે વ્યક્ત કરે છે. કસોટીમાં રજૂ થતાં ચિત્રો ઠીક ઠીક સંદિગ્ધ હોવાથી તેનાં અનેક અર્થઘટનો થઈ શકે છે. તેથી લગભગ દરેક જોનારને તેમાં પોતાના આગવા અનુભવોને લગતું કંઈક દેખાય છે. આ ચિત્રોમાં ઘણું વૈવિધ્ય હોવાથી વાર્તા કહેનારના વ્યક્તિત્વનાં અનેક પાસાં વિશે માહિતી મળે છે. વાર્તાઓના વિશ્લેષણની પદ્ધતિ વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક છે. ટી.એ.ટી. ઉપર અવારનવાર સંશોધનો થતાં રહે છે. તેથી વાર્તાઓને આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ વર્ષોવર્ષ વધુ અસરકારક બનતી જાય છે.

પણ ટી.એ.ટી. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ માટે વાપરવી અયોગ્ય છે. કેટલાક ઉત્તરદાતાઓ ચિત્રનું માત્ર વર્ણન કરીને અટકી જાય છે, તેનું અર્થઘટન કરતા નથી. કેટલાક લોકો ચિત્રોને જોતાં પોતાના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી પડે છે અથવા તો બહુ જ વ્યાકુળ બની જાય છે અને કંઈ જ બોલતા નથી. ઉપરાંત, જો ટી.એ.ટી. તાલીમ વિનાની વ્યક્તિના હાથમાં જાય તો ખોટો ઉપયોગ કરે અને ગેરરસ્તે દોરવતાં તારણો આપે એવું જોખમ રહે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

22 January 2026

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ : બુદ્ધિકસોટીઓ




વ્યક્તિત્વના આંતરિક ગુણોના આવિષ્કૃત સ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસ પરથી સંખ્યાત્મક સ્વરૂપ આપીને પરીક્ષા કરવી તે માનસિક પરીક્ષણ-કસોટીની પદ્ધતિ મનોવિજ્ઞાનની અન્ય પદ્ધતિ કરતાં વધારે વૈજ્ઞાનિક ગણાય છે. તેનાં કારણો નીચે મુજબ છે :
 (1) પ્રાપ્ત થયેલી માહિતીની યથાર્થતા (validity), 
(2) પ્રાપ્ત થયેલી માહિતીની વસ્તુલક્ષિતા (objectivity), 
(3) માહિતીની ચકાસણી કે પરીક્ષણની સુવિધા, 
(4) વર્તન વિશેનું વસ્તુલક્ષી અને સંખ્યાત્મક જ્ઞાન, (5) એક જ વ્યક્તિના વ્યક્તિત્વના વિવિધ પાસાંની તુલના, 
(6) વિવિધ વ્યક્તિઓ વચ્ચે એક જ માનસિક પરિબળને અનુલક્ષીને થતી તુલના, 
(7) સંખ્યાત્મક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિના ઉપયોગની સુગમતા, 
(8) વ્યક્તિત્વના સામાન્યીકરણમાં વધારે ઊંડા જવાની સુગમતા.

આ પ્રકારના પરીક્ષણનો ઉદભવ ફ્રાંસમાંથી 1905થી થયો. આલ્ફ્રેડ બીને (1857–1911) અને તેના મદદનીશ સાયમને વિવિધ ઉંમર માટેની ત્યાંની શાળામાં ભણતાં બાળકોની બૌદ્ધિક શક્તિ માપવા માટેનું કાર્ય શરૂ કર્યું. બૌદ્ધિક કે માનસિક માપન એટલે વિવિધ ઉંમર માટેની દરેક પ્રકારની માનસિક પ્રક્રિયાઓનાં લાક્ષણિક ધોરણોની વાસ્તવિક ધોરણોને આધારે કરવામાં આવતી સ્થાપના.

તેમાં નીચેનાં લક્ષણો મહત્વનાં ગણાય છે : 
(1) વ્યક્તિની ઉંમરને અનુરૂપ સ્વરૂપ, 
(2) ચિકિત્સકનો કસોટી સાથેનો પરિચય, 
(3) કસોટીની વિશ્વસનીયતા (reliability), 
(4) કસોટીની યથાર્થતા (અ) નિષ્ણાતનો અભિપ્રાય, (બ) ભવિષ્યકથનની સચોટતા (prediction), (ક) સમાન કસોટીનાં પરિણામો સાથે યોગ્ય સહસંબંધ, (5) કસોટીનાં પરિણામો માટેનાં યોગ્ય ધોરણો, 
(6) કસોટીનાં પરિણામોનો વર્તન સાથેનો સહસંબંધ.

બુદ્ધિકસોટીનો વિકાસ : 1905 : બીને – સાયમનની પ્રથમ કસોટી. 1908 : પ્રથમ સુધારો – 3 વર્ષથી 13 વર્ષ સુધીનો ગાળો વાર્ષિક રીતે વહેંચી નાખવામાં આવ્યો છે. માનસિક વય અને બુદ્ધિલબ્ધિના ખ્યાલો ઉમેરાયા છે.

1911 : કસોટીની વ્યાપકતા કસોટીને 15 વર્ષ સુધીનો વધારો. દરેક કસોટીમાં સરખી સંખ્યામાં મુદ્દાઓનો સમાવેશ.

1916 : એલ. એમ. ટર્મેન દ્વારા બુદ્ધિકસોટીનું અમેરિકામાં સ્થળાંતર – સ્ટેનફૉર્ડ – બીને કસોટી એ તેનું નવું નામ રાખવામાં આવ્યું. ‘બુદ્ધિ એટલે અમૂર્ત વિચારણા કરવાની શક્તિ.’ એમ બુદ્ધિની નવી વ્યાખ્યા કરવામાં આવી. સામાન્ય અને તેજસ્વી પુખ્ત વયની વ્યક્તિ માટેની બે વિશેષ કસોટીનો પણ ઉમેરો થયો – શાળાકીય પ્રવૃત્તિઓમાંથી બહાર લાવીને બૌદ્ધિક વ્યાખ્યામાં સામાન્ય અનુભવનો પણ ઉમેરો.

1937 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો પ્રથમ સુધારો – આ કસોટીના બે સમાંતર વિભાગ બહાર પાડવામાં આવ્યા છે. તેને Form L & M તરીકે ઓળખવામાં આવે છે. – 2 વર્ષથી શરૂ થતી આ કસોટીઓ 16 વર્ષ સુધી ચાલુ રહે છે. ઉપરાંત બે વર્ષ વધારીને અઢાર વર્ષ સુધી વિસ્તૃત કરી છે.

1960 : સ્ટેનફૉર્ડ–બીનેની બુદ્ધિકસોટીનો દ્વિતીય સુધારો – 1937ના બુદ્ધિકસોટીના બંને વિભાગોમાંથી વધારે યથાર્થતા ધરાવતા મુદ્દાઓનું સંકલન – 2 વર્ષની ઉંમરથી 18 વર્ષની ઉંમર સુધીનો વ્યાપ – 1937થી 1960 સુધીની અમેરિકાની વૈજ્ઞાનિક પ્રગતિની કસોટી પર જણાતી અસર – Z scoreના ખ્યાલનો ઉમેરો.

સ્ટેનફૉર્ડ–બીને બુદ્ધિકસોટીની મર્યાદાઓ : (1) વ્યક્તિનો બુદ્ધિલબ્ધિનો કુલ ગુણાંક જાણી શકાય છે. પરંતુ કઈ વ્યક્તિ કઈ પ્રવૃત્તિમાં નિષ્ણાત છે તે કહી શકાતું નથી. (2) એક વ્યક્તિની અન્ય વ્યક્તિઓ સાથે વિવિધ પ્રવૃત્તિમાં સરખામણી થઈ શકતી નથી. (3) આ કસોટી શાબ્દિક જ્ઞાનને અતિ મહત્ત્વ આપે છે. (4) આ કસોટી મુખ્યત્વે શાળામાં ભણતાં બાળકો માટેની છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે વાપરી શકાતી નથી. (5) તે વ્યક્તિગત કસોટી હોવાથી મોટા સમૂહોને એકસાથે આપી શકાતી નથી.

વેશ્લર-બેલેવ્યૂ બુદ્ધિમાપન સામૂહિક કસોટી : આ કસોટી પુખ્ત વયની વ્યક્તિઓને ખ્યાલમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે વ્યક્તિઓ શાળામાં ન જતી હોય તેમજ જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવી વ્યક્તિઓના બુદ્ધિમાપનને માટે ડૅવિડ વેશ્લર નામના બેલેવ્યૂ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકે 1942માં આ કસોટીઓ વિકસાવી છે. તેમાં શાબ્દિક ને અશાબ્દિક કસોટીઓ આપવામાં આવી છે. આ કસોટીઓ સામૂહિક કસોટી તરીકે વપરાય છે.

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ મનોમાપન કસોટી : આ કસોટીને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવી છે : શાબ્દિક અને અશાબ્દિક. દરેક વિભાગના પેટાવિભાગો નીચે પ્રમાણે છે :

વેશ્લર–બેલેવ્યૂ પ્રૌઢ બુદ્ધિકસોટી

શાબ્દિક (verbal)અશાબ્દિક (non verbal)
1.શબ્દભંડોળ (vocabulary)ચિત્રની ગોઠવણી (picture arrangement)
2.માહિતી (information)ચિત્રપૂર્તિ (picture completion)
3.સામાન્ય સમજૂતી (comprehension)પાસાંની ગોઠવણી (block design)
4.સામ્ય (similarities)વસ્તુસંકલન (object assembly)
5.આંકડા વિસ્તાર (digit speen)આંકડા પ્રતીક કસોટી (digit symbol test)
6.ગાણિતિક તર્કવિચારણા (arithmetical reasoning)

ક્રિયાલક્ષી બુદ્ધિમાપન કસોટીઓ (performance tests) : અન્ય માતૃભાષા ધરાવતા તેમજ શ્રવણ અને કથનમાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ માટે ક્રિયાલક્ષી કસોટીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં વાતચીતને બદલે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક એક કાર્ય કરી બતાવવામાં આવે છે. પછી તે પ્રકારનાં અન્ય કાર્યો વ્યક્તિએ ઝડપથી અને ભૂલ વિના કરવાનાં હોય છે. આ કસોટીને આર્થર પોઇન્ટ સ્કેલ એવું નામ આપવામાં આવ્યું છે.

આર્થર પોઇન્ટ સ્કેલમાં આવતી કસોટીઓ : (1) નોક્સ ઘનની કસોટી (Knox cube test), (2) સેંગ્વીનનું આકૃતિદર્શક પાટિયું (Senguine form board), (3) દ્વિ પ્રતિમાદર્શક પાટિયું (two figures form baord), (4) કેશુઇસ્ટ આકારનું પાટિયું (casuist form board), (5) મેનિકીન અને ચહેરાકૃત કસોટી (Manikin & feature profile), (6) ઘોડી અને વછેરો સમજૂતી દર્શક કસોટી (mare & focal distinction), (7) હિલિ-ચિત્રપૂર્તિ કસોટી (healy-picture competition), (8) પોર્શિયસ ભુલભુલામણીની કસોટી (poreteus mares), (9) કોહસી બ્લૉકરચના કસોટી (Kohsi block design).

ગુજરાતની મનોમાપન કસોટીઓ : આ કસોટીઓ મુખ્ય બે વિભાગમાં છે : 1. વ્યક્તિગત અને 2. સામૂહિક.

1. વ્યક્તિગત કસોટીઓ : આ કસોટીઓમાં મુખ્ય બે કસોટીઓનો સમાવેશ થાય છે. (i) WISC (વેશ્લર ઇન્ટલિજન્સ સ્કેલ ફૉર ચિલ્ડ્રન) : આ કસોટી ડૉ. મહેન્દ્રિકા ભટ્ટે 1971માં બહાર પાડેલ છે અને તેમાં 2થી 10 વર્ષ સુધીનાં બાળકો માટેની શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે. (ii) સ્ટેનફૉર્ડ – બીનેની 1960ની કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર – આ કસોટી ડૉ. જે. એચ. શાહે 1971માં પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ગુજરાતી સંસ્કૃતિને ખ્યાલમાં રાખીને મૂળ કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

2. સામૂહિક બુદ્ધિકસોટીઓ : (i) દેસાઈ સામૂહિક બુદ્ધિકસોટીઓ આ કસોટી ડૉ. કે. જી. દેસાઈએ 1952માં પ્રસિદ્ધ કરેલ છે અને આઠમાંથી અગિયારમા ધોરણ સુધી ભણતાં બાળકો માટે વાપરી શકાય તેવી છે.

(ii) અશાબ્દિક બૌદ્ધિક કસોટી : આ કસોટીઓ મુખ્યત્વે લેખનની કે ઇન્દ્રિયની કોઈ પણ ક્ષતિ ધરાવતાં હોય તેવાં બાળકો માટે તૈયાર કરવામાં આવી છે.

(iii) સામૂહિક શાબ્દિક અને અશાબ્દિક બૌદ્ધિક કસોટીઓ : ધોરણ પાંચથી સાતમાં ભણતાં બાળકો માટે આ કસોટીઓ 1962માં પ્રસિદ્ધ થયેલ છે.

(iv) અશાબ્દિક સામૂહિક બૌદ્ધિક કસોટીઓ : 1966માં પ્રસિદ્ધ થયેલ આ કસોટીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓના વર્ગીકરણ માટે વાપરવામાં આવે છે. તે પણ અત્યારે શાળાઓમાં વપરાય છે અને વિદ્યાર્થીઓને તેમની યોગ્ય કક્ષા પ્રમાણે વર્ગમાં મૂકવામાં આવે છે.

બૌદ્ધિક કસોટીઓની મર્યાદાઓ : (1) ભાષાકીય મર્યાદા : બધી જ કસોટીઓ બધે વાપરી શકાતી નથી. (2) સંખ્યાત્મક મર્યાદા : એક કસોટી વધારેમાં વધારે કેટલા વિદ્યાર્થીઓ ઉપર વાપરી શકાય તેની માહિતી ઘણી કસોટીઓમાં આપી હોતી નથી. (3) સ્થળ અને સમયની મર્યાદા : સ્થળ અને સમય બદલાતાં દરેક કસોટીમાં જરૂરી સુધારા ઉમેરવા પડે છે. જે દરેક કસોટીમાં બની શકતું નથી. (4) વયની મર્યાદા : નાનાં બાળકો સ્કૂલના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિશે જેટલી કસોટીઓ અત્યારે અસ્તિત્વ ધરાવે છે તેટલી પ્રૌઢ અને વૃદ્ધત્વ માટે નથી. (5) નાણાંની મર્યાદા : અતિશય ગરીબ દેશો આ કસોટીઓનો લાભ મેળવી શકતા નથી.

કુસુમ ભટ્ટ

21 January 2026

ડોનાલ્ડ બ્રોડબેન્ટ

 ડોનાલ્ડ બ્રોડબેન્ટ (1926-1993)

ડોનાલ્ડ બ્રોડબેન્ટ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન વિકાસમાં ફાળો આપવા માટે અને તેમના પુસ્તક પ્રત્યક્ષીકરણ અને પ્રત્યાયન (પર્સેપ્શન એન્ડ કમ્યુનિકેશન, Perception and Communication) ના  માટે જાણીતા છે.


સામાન્ય અવલોકન

જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના વિકાસમાં તેમના યોગદાન માટે જાણીતા, બ્રોડબેન્ટે તેમનું પુસ્તક, પ્રત્યક્ષીકરણ અને પ્રત્યાયન લખ્યું. તેમના પુસ્તકને "જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એકમાત્ર સૌથી પ્રભાવશાળી પુસ્તક" તરીકે આંકવામાં આવ્યું છે (પરસુરામન, 1996). ધ્યાનની સમસ્યા સાથે માહિતી પ્રક્રિયાકરણ  પર એક સાથે કામ કરવા માટે બ્રોડબેન્ટ સૌ પ્રથમ હતા. બ્રોડબેન્ટે વર્તનિક પ્રયોગો અને અનુમાનિત (અવ્યવસ્થિત) માહિતીનો ઉપયોગ કરી  માહિતીપ્રક્રિયાના કાર્યાત્મક તબક્કો  આપ્યા અને  આ માહિતીને આધારે  તે ઘટનાઓનો ક્રમ નક્કી કર્યો. [તે તેના દ્વિઅર્થ સાંભળવા (Dichotic Listening) ના પ્રયોગ અને તેના ધ્યાન કેન્દ્રિત કરવાના સંમાર્જન પ્રતિમાન (Filter Model)   માટે જાણીતો છે]. આમ કરવાથી, તેમણે ધ્યાન કેન્દ્રિત કરવાના આધુનિક અભ્યાસની શોધ કરી (બેરી, 2002) 

ઇતિહાસ

ડોનાલ્ડ બ્રોડબેન્ટનો જન્મ 6 મે, 1926 ના રોજ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં એક શ્રીમંત સ્થિર કુટુંબમાં થયો હતો. બ્રોડબેન્ટ ૧૩ વર્ષ થયા ત્યારે તેના કુટુંબની પરિસ્થિતી બદલાવ આવ્યો. બ્રોડબેન્ટને વેલ્સમાં ખસેડતાં, તેના માતાપિતાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. શિષ્યવૃત્તિ જીત્યા પછી તેણે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સ્વતંત્ર શાળામાં તેનું શિક્ષણ પૂરું કર્યું.

બ્રોડબેન્ટને કિશોરાવસ્થામાં ઉડાણમાં રસ પડ્યો અને તેને રોયલ એરફોર્સમાં જોડાવા માટે સ્વૈચ્છિક નિર્ણય લીધો. તે સમય દરમિયાન, તેણે ઘણી વાર  સંદેશાવ્યવહારની લાઇનો વચ્ચે માનસિક કારણોસર આવતી સમસ્યાઓ નિહાળી અને તેની નોંધ કરી. મુખ્ય સમસ્યા  સાધનસામગ્રીની નહીં, પરંતુ સાધનસામગ્રીનો ઉપયોગ કરતી વ્યક્તિઓના ધ્યાન, પ્રત્યક્ષીકરણ અને સ્મરણની પ્રક્રિયાઓ હતી. એક ઉદાહરણ કે જે બ્રોડબેન્ટ વ્યવહારમાં માનસિક પ્રક્રિયાઓનું મહત્વ બતાવવા માટે ઉપયોગ કરે છે, તે તેના લાંબા સમયના  સાથીદાર  ડિયાન ડીરીએ જણાવ્યું હતું:

“AT6  વિમાનોમાં સીટની નીચે બે સરખા લિવર હતા, એક પાખિયાઓ (flaps) ખેંચવા માટે અને એક પૈડા ખેંચવા માટે. જેની સાથે ડોનાલ્ડે એકવિધ નિયમિતતા વિશે જણાવ્યું હતું કે  તેના સાથીઓ વિમાન ઉડાવતા સમયે ખોટા લિવરને ખેચશે અને ખેતરની વચ્ચમાં એક ખર્ચાળ વિમાન તૂટી જશે (બેરી 2002).

આ સમસ્યા વારંવાર થતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી,, બ્રોડબેન્ટે તેનું ધ્યાન શારીરિક બાબતોથી દૂર રાખ્યું અને મનોવૈજ્ઞાનિક બાબત  તરફ વળ્યું.

બ્રોડબેન્ટે સેવાનિવૃતિ બાદ કેમ્બ્રિજના મનોવિજ્ઞાન  વિભાગમાં અભ્યાસ શરૂ કર્યો. વ્યવહારલક્ષી મનોવિજ્ઞાનની શાખામાં  તેને  વ્યવસાય મળ્યો. તેઓ આ વ્યવસાયમાં  ૧૬ વર્ષ રોકાયા અને 1958 માં નિયામક (director) બન્યા. બ્રોડબેન્ટના મોટાભાગના કામ સૈન્ય સાથેના વ્યવહારિક મુદ્દાઓ પર નિર્દેશિત કરવામાં આવ્યાં હતાં, જો કે, બ્રોડબેન્ટ ઝડપથી તેમના સૈદ્ધાંતિક કાર્ય માટે જાણીતા બન્યા. ડિજિટલ કમ્પ્યુટર ઉપલબ્ધ થવાની સાથે જ તેના બે સિદ્ધાંતો, પસંદગીયુક્ત ધ્યાન અને ટૂંકા ગાળાની સ્મૃતિ, વિકસિત કરવામાં આવ્યા હતા. આ અધ્યયનો માનવીય બોધત્મકશક્તિના વિશ્લેષણ માટે નાટકીય યોગદાન આપવામાં  કમ્પ્યુટર એનાલોગિસનો ઉપયોગ કરનારા પ્રથમ લોકોમાં હતા. બ્રોડબેન્ટ 1958 માં એક પ્રત્યક્ષીકરણ અને પ્રત્યાયન નામનું પુસ્તક લખ્યું, જે આવનારા ઘણા વર્ષો સુધી જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનમાં વપરાતું એક પુસ્તક  બની ગયું.

1974 સુધી, બ્રોડબેન્ટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વોલ્ફસન  કોલેજમાં સહાયક બનીને તેની કારકિર્દીના ક્ષેત્રમાં વધુ આગળ વધ્યા, જ્યાં તે વ્યાવહારિક સમસ્યાઓ પર પાછા આવ્યા. તેના સાથી ડિયાન બેરી સાથે, બ્રોડબેન્ટ જટિલ ઔદ્યોગીક  પ્રક્રિયાઓમાં માનવ પ્રભાવના વિચારણાથી ગર્ભિત શિક્ષણ વિશેના ઘણા નવા વિચારો વિકસાવ્યા (બેરી, 2002) 1991 માં તેઓ પદ પરથી નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ કાર્ય ચાલુ રાખ્યું.

ડોનાલ્ડ બ્રોડબેન્ટનું 10 એપ્રિલ, 1993 ના રોજ અવસાન થયું.

કાર્ય 

જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના વિકાસમાં તેમના યોગદાન માટે જાણીતા, બ્રોડબેન્ટે તેમનું પુસ્તક, પ્રત્યક્ષીકરણ અને પ્રત્યાયન લખ્યું. તેમના પુસ્તકને "જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એકમાત્ર સૌથી પ્રભાવશાળી પુસ્તક" તરીકે આંકવામાં આવ્યું છે (પરસુરામન, 1996). બ્રોડબેન્ટ  માહિતી પ્રક્રિયાકરણ  પર ધ્યાન આપવાની  સમસ્યા સાથે કામ કરવા માટે સૌ પ્રથમ વ્યક્તિ હતા. તે સમયે મનોવિજ્ઞાન માટે આ એક સખત પગલું  હતું, કારણ કે મનોવિજ્ઞાનમાં વર્તનવાદ પ્રબળ સિદ્ધાંત હતો. બ્રોડબેન્ટે વર્તનિક પ્રયોગો અને અનુમાનિત (અવ્યવસ્થિત) માહિતીનો ઉપયોગ કરી  માહિતીપ્રક્રિયાના કાર્યાત્મક તબક્કો  આપ્યા અને  આ માહિતીને આધારે  તે ઘટનાઓનો ક્રમ નક્કી કર્યો. આમ કરવાથી, તેમણે ધ્યાન કેન્દ્રિત કરવાના આધુનિક અભ્યાસની શોધ કરી (બેરી, 2002)

બ્રોડબેન્ટે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન વ્યવહારિક સમસ્યાઓનો ક્યારેય છોડી નહીં. એક ઉદાહરણ એ હતું કે તેમણે એવિ સમસ્યાઓનો અભ્યાસ કર્યો જે બંદૂક અને હવા નિયંત્રણ પ્રણાલી સાથેના પ્રત્યાયનને કારણે ઉભી થઈ હતી; જ્યાં એક સમયે ઘણી બધી સંચાર ચેનલો હતી. બ્રોડબેન્ટે પ્રયોગશાળા અને કાર્યક્ષેત્ર વચ્ચેની ખાઈ પુરવા માટે  સતત  કામ કર્યું. તેમણે સતત આવા અથવા કોઈપણ એવા  મુદ્દાઓ પર કામ કર્યું જે લોકો અને સમાજ માટે મહત્વ ધરાવે છે.

પ્રયોગ: દ્વિઅર્થી સાંભળવું (Dichotic Listening)

“તેમ છતાં, મોટાભાગના લોકો વિવિધ પ્રકારનાં ઉત્તેજનાથી ઘેરાયેલા તેમનું જીવન વિતાવે છે, તેમ છતાં તેઓ તેમાંના મોટાભાગના લોકોનો જવાબ અથવા વર્ણન કરી શકતા નથી. આનું એક વ્યવહારુ ઉદાહરણ "કોકટેલ પાર્ટી ઇફેક્ટ" માં જોવા મળે છે, જેમાં કોલિન ચેરી (1953) દ્વારા વર્ણવેલ વાતચીત અને પૃષ્ઠભૂમિ અવાજોના મિશ્રણ વચ્ચે એક જ ભાષણ કરનારનું ધ્યાન આકર્ષિત કરવાની ક્ષમતા તરીકે વર્ણવવામાં આવી હતી, અન્ય વાર્તાલાપોને અવગણીને. ચેરીએ પ્રયોગો કર્યા જેમાં વિષયોને એક જ સમયે એક લાઉડ સ્પીકરથી બે જુદા જુદા સંદેશાઓ સાંભળવા અને તેમને અલગ કરવાનો પ્રયાસ કરવા કહેવામાં આવ્યું, એક નહીં પરંતુ બીજાને, જેને "શેડોંગ" ટાસ્ક તરીકે ઓળખવામાં આવે છે. તેમના કાર્યથી જાણવા મળ્યું કે પૃષ્ઠભૂમિ અવાજથી અવાજોને અલગ કરવાની અમારી ક્ષમતા અવાજોની લાક્ષણિકતાઓ પર આધારિત છે, જેમ કે સ્પીકરનું લિંગ, અવાજ જે દિશામાંથી આવે છે, દિશા, પિચ અથવા બોલવાની ગતિ. જ્યારે આ લાક્ષણિકતાઓમાં સંદેશાઓ સમાન હતા, ત્યારે વિષયો સફળતાપૂર્વક કાર્ય પૂર્ણ કરવામાં અસમર્થ હતા. "(નવો વિશ્વ જ્ઞાનકોષ-૨૦૧૧)

બ્રોડબેન્ટે “ડાયકોટિક  Listen” પ્રયોગ બનાવીને આ કાર્યને વિસ્તૃત કરવાનું નક્કી કર્યું. આ અધ્યયનના વિષયોને એક સાથે દરેક કાનને પ્રસ્તુત કરાયેલા જુદા જુદા ભાષણ સંકેતોને સાંભળવા અને અલગ રાખવા કહેવામાં આવ્યું હતું (જ્યારે હેડફોનો પહેરીને). એક ઉદાહરણ એ છે કે ત્યાં વિવિધ અંકોની ત્રણ જોડી હતી જે એક સાથે હાજર હતા, એક કાનમાં ત્રણ અંકો અને બીજા કાનમાં ત્રણ અંકો. એવું કહેવામાં આવ્યું હતું કે અભ્યાસમાં મોટાભાગના સહભાગીઓ જોડી દ્વારા જોડીને કરતાં કાન દ્વારા કાનના અંકો યાદ કરી શકે છે. અર્થ જો 496 એ એક કાનમાં રજૂ કરવામાં આવતા અંકો અને બીજામાં 852 હતા, તો રિકોલ 48-95-62 ને બદલે 496-852 હશે. પરિણામોની સમીક્ષા કર્યા પછી, બ્રોડબેન્ટે નિર્ણય કર્યો કે આપણા મનની કલ્પના એક જ સમયે ઘણી ચેનલો પ્રાપ્ત કરતી રેડિયોની જેમ કરી શકાય છે. મગજ આવનારા અવાજને ભૌતિક લાક્ષણિકતાઓના આધારે ચેનલોમાં અલગ કરે છે, ઉદાહરણ તરીકે સ્થાન.

એક જ સમયે પૂછાયેલા બે પ્રશ્નોમાંથી એકના જવાબની વિષયની ક્ષમતા સાથે બહુવિધ અનુભવો કરવામાં આવ્યા હતા. વિષયો, અગાઉના જ્ knowledge ન સાથે કે જેના પ્રશ્નો પર તેઓએ પણ ધ્યાન આપવું જોઈએ, લગભગ 48 ટકા ચોકસાઈ નોંધાવી હતી. પ્રશ્નો આપ્યા પછી જે વિષયોની જાણકારી આપવામાં આવી હતી તેમાં લગભગ એક શૂન્ય ટકા ચોકસાઈનો દર હતો. આ કેસ દ્રષ્ટિએ પસંદગીનું એક ઉદાહરણ હતું, જેને ધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તે સંદેશના અંત તરફ પહોંચ્યો ત્યારે સાચા અવાજનો દ્રશ્ય સંકેત નકામું હતું. તે સ્પષ્ટ થઈ ગયું કે મિશ્રિત અવાજોમાં સમાવિષ્ટ માહિતીનો ભાગ છોડવાની પ્રક્રિયા પહેલેથી થઈ ગઈ છે. તે સંભવિત લાગ્યું કે બેમાંથી એક અવાજ તેની સચોટતા સંદર્ભ વગર જવાબ માટે પસંદ કરાયો હતો અને બીજાને અવગણવામાં આવ્યો હતો. જો પરિણામી મિશ્રણમાં બેમાંથી એક અવાજ પસંદ કરવામાં આવ્યો હતો અથવા ધ્યાન આપ્યું હોત, તો તે સાચી હશે તેની કોઈ ગેરેંટી નથી. પણ બંને ક callલ સંકેતો બંને સંદેશાઓ કરતાં વધુ પ્રાપ્ત થઈ અને સંગ્રહિત થઈ શકે ત્યાં સુધી બંનેને એક જ સમયે સમજવામાં આવી ન શકે ત્યાં સુધી કોઈ દ્રશ્ય સંકેત સૂચવવામાં ન આવે ત્યાં સુધી જવાબ આપ્યો ન હતો. (બ્રોડબેન્ટ, 1952)


પ્રયોગ: ધ્યાનનું ફિલ્ટર મોડેલ

બીજો પ્રયોગ બ્રોડબેન્ટ તેના પસંદગીના ધ્યાનના સિદ્ધાંત દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. આ તેમના અને અન્ય સંશોધકોના પ્રાયોગિક તારણો પર આધારિત હતું કે જેમણે માહિતી પ્રક્રિયાકરણ  મોડેલનો ઉપયોગ કર્યો. આ પ્રયોગ માટે ચાર મુખ્ય મુદ્દાઓ છે:


-તેમ સમયે પ્રસ્તુત સ્ટીમ્યુલી ટૂંકા ગાળાના સંવેદનાત્મક બફરમાં રાખવામાં આવે છે. પ્રક્રિયા કરવામાં આવે તે પહેલાં ટૂંકા ગાળા માટે ત્યાં માહિતી જાળવી શકાય છે; તે પછી તે પ્રક્રિયા સિસ્ટમથી અદૃશ્ય થઈ જાય છે.


-એ ફિલ્ટર તેની શારીરિક લાક્ષણિકતાઓના આધારે ઇનપુટ્સમાંની એક પસંદ કરે છે, તેને આગળની પ્રક્રિયા માટે મર્યાદિત ક્ષમતા ચેનલ દ્વારા પસાર કરે છે.


- ફિલ્ટર દ્વારા પસંદ કરેલ ઇનપુટનું અર્થનિર્ધારણ સામગ્રી (અર્થ) માટે વિશ્લેષણ કરવામાં આવે છે અને સભાન જાગૃતિમાં આવે છે.

- ફિલ્ટર દ્વારા પસંદ કરેલ કોઈપણ ઉત્તેજના આ અર્થપૂર્ણ વિશ્લેષણ પ્રાપ્ત કરતી નથી અને ક્યારેય સભાન જાગૃતિ સુધી પહોંચતી નથી.


“આ સિદ્ધાંતનો મુદ્દો એ“ કોકટેલ પાર્ટી ”ઘટનાનું સમજૂતી છે, કેમ કે કોઈ વ્યક્તિ જે અવાજમાં ભાગ લે છે તે ઓરડામાં અન્ય લોકોની ભિન્ન ભૌતિક લાક્ષણિકતાઓ ધરાવે છે. તે ચેરીના અને બ્રોડબેન્ટના પ્રાયોગિક તારણો બંનેને સમજાવે છે કે જેઓ ફિલ્ટર દ્વારા નકારી કા theવામાં આવે છે અને આમ ખૂબ ઓછી પ્રક્રિયા પ્રાપ્ત કરે છે. ઓરડામાં કોઈપણ દ્વારા બોલાતું એકનું નામ સાંભળીને કોકટેલ પાર્ટી સાથે વ્યવહાર કરવો, તે વક્તાનું ધ્યાન બદલવા તરફ દોરી જાય છે. આ સિદ્ધાંત સૂચવે છે કે સંદેશાની સામગ્રીનું વિશ્લેષણ ફિલ્ટરિંગ પહેલાં કરવામાં આવ્યું હતું, જે આવા વિશ્લેષણ પહેલાં થવાનું માનવામાં આવતું હતું. આ વિરોધાભાસ બ્રોડબેન્ટને અટકાવતો ન હતો, અને તેણે તેમના સિદ્ધાંતમાં સુધારો કરવાના કારણ તરીકે આવા ડેટાને સ્વીકાર્યો ”(ક્રેક અને બેડલે, 1995).


વિષય પર બ્રોડબેન્ટનું બીજું પુસ્તક, નિર્ણય અને તાણ, (1971) તેના ફિલ્ટર મોડેલથી શરૂ થયું હતું અને "મોડેલ દ્વારા ઉત્તેજીત કરવામાં આવેલા નવા તારણોને સમાવવા" તેમાં સુધારો કરવામાં આવ્યો હતો "(મસારો, 1996). વૈજ્ .ાનિક સંશોધન પ્રત્યે બ્રોડબેન્ટનો અભિગમ લાક્ષણિક છે, તેમણે તમામ સિદ્ધાંતોને વર્તમાન માહિતીના કામચલાઉ એકાઉન્ટ્સ તરીકે ગણાવી

19 January 2026

માનસિક યુદ્ધ

માનસિક યુદ્ધ



માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ હોય છે; પરંતુ જે પ્રજા કે લશ્કરનું મનોબળ નીચું હોય છે તે લશ્કર પાસે ગમે તેટલાં ચઢિયાતાં શસ્ત્રો કે સાધનો હોય તોપણ તે પ્રજા કે તે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા અસમર્થ નીવડે છે.

માનસિક યુદ્ધનો ઉપયોગ સામાન્ય રીતે વાસ્તવિક યુદ્ધની પૂર્વભૂમિકા બાંધવા માટે કરવામાં આવે છે અને તે માટે પ્રચારતંત્રનો બહોળો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જર્મનીમાં હિટલરના શાસનકાળ (1933–45) દરમિયાન નાઝી જર્મનીના પ્રચારમંત્રી જોસેફ ગૉબેલ્સ(1897–1945)ને હિટલર અને તેની નાઝી વિચારસરણીની છબી વિશ્વના જનમતમાં ઊંચે લઈ જવાનું કામ મુખ્યત્વે સોંપવામાં આવ્યું હતું અને તેમ કરવા માટે જર્મનીના લગભગ બધાં જ પ્રચાર-માધ્યમો તેને હસ્તક મૂકવામાં આવ્યાં હતાં. તેમાં રેડિયો અને છાપાંઓ ઉપરાંત ચલચિત્રો, નાટ્યક્ષેત્ર અને અન્ય કળાઓનાં ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

હવે વિશ્વના બધા જ દેશો માનસિક યુદ્ધના તંત્રનો ઉપયોગ ઓછાવત્તા પ્રમાણમાં કરતા હોય છે; એટલું જ નહિ, પરંતુ યુદ્ધ ઉપરાંત જ્યાં જ્યાં સ્પર્ધાનું તત્વ દાખલ કરવામાં આવે છે ત્યાં ત્યાં સામા પક્ષને નાસીપાસ કરી તેનું મનોબળ છિન્નભિન્ન કરવા માટે પણ આ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં વિશ્વ રમતસ્પર્ધાઓમાં પણ તે સવિશેષ જોવામાં આવે છે.

11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયૉર્કના વિશ્વ વ્યાપાર કેન્દ્ર (World Trade Centre) અને વૉશિંગ્ટન ખાતેના અમેરિકાના મુખ્ય લશ્કરી મથક પેન્ટાગૉન પર આતંકવાદી હુમલાઓ થયા. પછી અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો સામે અમેરિકાની લશ્કરી કાર્યવાહી શરૂ થઈ તે દરમિયાન તેમની વચ્ચે માનસિક યુદ્ધ ચાલતું હતું જે અંતે 7 ઑક્ટોબર 2001ના રોજ વાસ્તવિક યુદ્ધમાં ફેરવાઈ ગયું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે