Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 May 2020

મનોરોગ અને જીવનનાં અલગ-અલગ તબક્કા

મનોરોગ અને જીવનનાં અલગ-અલગ તબક્કા



           સૌ પ્રથમ હું મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્ય વિશે થોડી જાણકારી આપીશ. માનસિક સ્વાસ્થય એ શક્તિ છે જેના દ્વારા જીવનમાં આવેલા તણાવથી ઉભરીને બહાર આવવાની તથા વ્યક્તિગત વ્યવહાર અને પસંદગી કરવાની ક્ષમતા મળે છે. માનસિક સ્વાસ્થ્ય જીવનનના દરેક બહુમુલ્ય વળાંક જેમકે, બાળપણ, કિશોરાવસ્થા, યુવાની, વૃધ્ધાવસ્થા સહિતના જીવન ક્રમાંકના દરેક પડાવ પર તેનો અલગ અલગ પ્રભાવ પાડે છે.

       આપણાં જીવનક્રમ દરમિયાન આપણે જુદી-જુદી પ્રકારની સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ જેમ કે, ક્યારેક આપણા સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીઓ તો ક્યારેક વિચારધારાથી વિચલીત રહીએ છીએ. જીવનના અલગ-અલગ પડાવો પર કેવી સમસ્યાઓ તથા મુંઝવણો અનુભવાય છે તે જોઈ.

  • બાળપણ
માતા-પિતાથી અલગ પડી જવાનો ડર, કોઈ વસ્તુ કે વિષય ઉપર સંપૂર્ણ ધ્યાન ન આપી શકવું. વાત વાતમાં ગુસ્સે થવું તથા રોવું. સ્કૂલમાં સારા ગુણ ન આવવા, સ્કૂલ ના જવાની જીદ કરવી, રમત રમતાં બીજા બાળકો સાથે વારંવાર તકરાર થવો.

  • કિશોરાવસ્થા 
વારંવાર પેટ તથા માથું દુખવું. મેદસ્વીપણાનો ડર. બધી જ બાબતોમાં પોતાને દોષિત માનવું. દિવસના સ્વપ્ન જોવું અને ખયાલી પુલાવ બનાવવા. દરેક વખતે પોતાનાં વિચાર બદલતા રહેવા. સિગારેટ તથા આલ્કોહોલ જેવા વ્યસનો કરવા. સ્કૂલથી ભાગીને સિનેમા જોવા નિકળી પડવું.
  • યુવાની  

વગર કારણે કામ પર ન જવું, કામ પ્રત્યે રસ ન દાખવવો. અતિશય સિગારેટ, દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કરવું. વાત વાતમાં ઝઘડા કરવાં. હંમેશા તણાવમાં રહેવું.


  • વૃદ્ધાવસ્થા 

બાળકોના ભવિષ્યની ચિંતા. પોતાના બગડતા સ્વાસ્થ્યની ચિંતા. એકલતાનો અનુભવ, ધીરે ધીરે પોતાના સાથીઓને ગુમાવવા. પોતાના જીવન સાથીને ગુમાવી દેવાનું સૌથી મોટું દર્દ.

     આ તમામ સમસ્યાઓમાંથી બહાર નિકળવાની એક આશા જ આનો એકમાત્ર વિકલ્પ છે અને જો તમે પોતાની અંદર આ લક્ષણો જોતા હોવ તો આપ કોઈપણ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરો. મનોચિકિત્સક તમારી માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.. મેન્ટલ હાઈજીન એટલે કે માનસિક સ્વચ્છતા થકી પણ મનુષ્ય પોતાના જીવનના અલગ-લગ પડાવ દરમિયાન આવેલા તણાવને ઓછો કરી શકે છે. માનસિક સ્વચ્છતાના ત્રણ મુખ્ય ઉદેશ્ય છે.

  1. પોઝીટીવ એપ્રોચ-જીવનમાં આવેલા તોફાનને સારી રીતે સમજી પોતાના વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકાય
  2. પ્રિઝર્વેટીવ એપ્રોચ- માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવી શકો છો. અને
  3. ક્યુરેટીવ એપ્રોચ- આના થકી તમે તમારી માનસિક બીમારીને ઉપચારાત્મક દ્રષ્ટીકોણ અપનાવી સુધારી શકો છો.
        માનસિક સ્વાસ્થ્યના દુષ્કર્મોને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતા પહેલા તેના ઉપચારના વિકલ્પો વિચારવા જોઈએ. જેટલું જલ્દી બને તેટલું આ બીમારીથી પિડીત લોકોને ઓળખવા જેથી તેમની સમયસર સારવાર થઈ શકે. ક્ષેત્રીય રોકથામ દ્વારા એ દર્દીઓનો સમયસર ઈલાજ કરી તેના મૂળ કારણોને જાણી તેને દૂર કરવા જોઈએ.. માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વચ્છતા જન્મથી પૂર્વે જે માતાઓ ખૂબ જ તણાવમાં રહેતી હોય તેમને ઘણીવાર બાળકને દૂધ પીવડાવવામાં તકલીફ પડતી હોય છે એટલે જ પરિવારજનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ આ બાબત પર ધ્યાન આપવું જોઈએ અને માતાઓને તણાવથી દૂર રાખવી જોઈએ. શિશુઓને પણ માનસિક બીમારીથી દૂર રાખવા પૂરતો પ્રેમ, આરામ, શારીરિક સ્પર્શ વગેરે ભરપૂર મળવા જોઈએ અન્યથા તે બાળકને મોટા થઈને માનસિક તણાવથી ઝૂઝવું પડતું હોય છે. તેથી બાળકને પ્રેમથી વંચિત ન રાખો, તેના સાહસિક કાર્યમાં પ્રોત્સાહન આપો. કિશોર અવસ્થાના બાળકો પોતાના શારીરિક બદલાવોને સારી રીતે સમજી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ અને તેને ઉત્સાહિત કરવા જોઈ જેથી તે પોતાની ઓળખ બનાવી શકે. યુવાનીમાં લગ્ન એક મહત્વનો પડાવ છે જેથી તે યોગ્ય જીવનસાથીની પસંદગી કરી શકે. પોતાના કામ અને કર્તવ્ય પ્રતિ જવાબદારી સમજવાની પણ આ જ ઉંમર છે. કામ પ્રત્યેની કુશળતા તેને સારા માનસિક સ્વાસ્થ્ય તરફ અગેરસર કરે છે. વૃધ્ધાવસ્થામાં સમયસર અને સ્વસ્થ ભોજન, સમય અનુસાર મેડિકલ ચેકઅપ તથા રોગ નિયંત્રણ ઉપરાંત આર્થિક રીતે સ્વતંત્ર રહેવું પણ એટલું જ જરૂરી છે. જીવન નિર્વાહ ચલાવવા ઘરમાં થાય તેવા કામો જરૂર હોય ત્યાં કરવા જોઈએ આ ઉપરાંત એકલતા ટાળવા ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિ કરી શકાય.



ડો. પૂજા પૂષ્કર્ના, સાઈકોલોજિસ્ટ એન્ડ સાઈકોએનાલિસ્ટ

No comments:

Post a Comment