Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

19 October 2020

કોરોના- માનસિક સવાસ્થ્ય-સમસ્યાઓ-નિરાકરણો- વેબીનાર

માનસિક સવાસ્થ્ય સંદર્ભે ઉત્પન્ન થયેલી સમસ્યા અને તેના નિરાકરણો-વેબીનાર 
       મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી,  ભાવનગરના  કુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને યુનિવર્સીટીના “કાઉન્સેલીંગ સેન્ટર”ના ઉપક્રમે  *તા. ૧૯/૧૦/૨૦૨૦ થી ૨૪/૧૦/૨૦૨૦ દરમ્યાન  “ પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં  માનસિક સવાસ્થ્ય સંદર્ભે ઉત્પન્ન થયેલી સમસ્યાઓ અને તેના નિરાકરણો” એ વિષય સંદર્ભે  છ – દિવસીય  ઓનલાઈન સંવાદ કાર્યક્રમનું આયોજન રોજ સાંજે  ૫:૩૦ થી ૭.૦૦ કલાકે  કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગૂગલ મિટના માધ્યમથી વિના મૂલ્યે ઓનલાઇન  કરવામાં આવેલ છે. જેમાં કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ભારત અને ગુજરાતના પ્રસિદ્ધ સાયકોલોજીસ્ટ તેમજ મનોચિકીત્સક સાથેના ઓનલાઈન સંવાદમાં શાળા, કોલેજના તેમજ યુનિવર્સીટીના વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, પ્રોફેસર અને તમામને ભાગ લેવા વિનંતી છે. 

               આપણે સહુ લોકો જાણીયે છીએ કે કોરોનાએ વૈશ્વિક આપત્તિ છે. આ સંજોગોમાં ચિંતા, ભય (ફોબિયા), સ્ટ્રેસ, દબાણ, હાઈપર ટેન્શન તેમજ મનોદૈહિક વિકૃતિઓ (Psychosomatic Disoder) અનિંદ્રા, ભૂખ ન લાગવી, અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ (Obsessive- Compulsive Disorder), આત્મહત્યા કરવા પ્રેરાવવું વગેરે સમસ્યાઓ રોજ-બરોજના જીવનમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે. તો આવા સંજોગોમાં આપણે સર્વ લોકો તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ભાગીદાર બનીએ. તો આપની કોલેજના તેમજ ભવનના વિધાર્થીઓ કે સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓ/બહેનોને પણ વધુ ને વધુ શેર કરવા વિનંતી.  જેથી દરેક વ્યક્તિ આ કાર્યક્રમનો લાભ લઈ શકે. 

કાર્યક્રમ તારીખ : ૧૯/૧૦/૨૦૨૦  થી ૨૪/૧૦/૨૦૨૦ 
સમય : સાંજે  ૫.૩૦ થી ૭.૦૦ કલાકે.

પ્રોગ્રામ સેડયુલ ડાઉનલોડ કરવા અંહી ક્લિક કરો 


છ-દિવસીય ઓનલાઈન સંવાદમાં જોડાવા માટેની લિંક નીચે મુજબ છે.

Google Meet Link: - 

Youtube Live:   

Facebook Live:
 
ખાસ નોંધ : 
(૧) છ-દિવસીય ઓનલાઇન સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ભાઈઓ / બહેનોએ કાર્યક્રમ સમયના ૧૦ મિનિટ પહેલા જોડાવા વિનતી જેથી સમયસર કાર્યક્રમ શરૂ થઈ શકે.

(૨) દરેક વિદ્યાર્થીઓએ Mute ઓપ્શન રાખવાનું રહેશે અને કાર્યક્રમ  દરમ્યાન કેમેરા પણ બંદ રાખવા વિનતી.

(૩) આપેલ ગુગલ મિટ લિંક પર ૨૫૦ જ વ્યક્તિની લિમિટ હોય,  સમયસર આપેલ લિંક પર જોડાવા વિનંતી.

(૪) ગુગલ મિટ ઉપરાંત ફેઈસબુક લાઈવ તેમજ યુ ટ્યુબ લાઈવ પણ રાખેલ છે. તો શ્રોતાગણ તેમાં પણ જોડાઈ શકે  છે.

(૫) ઉપરોક્ત કાર્યક્રમ સંબધિત કોઈપણ પૂછપરછ માટે ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ (વળીયા કોલેજ ભાવનગર) મો: ૯૯૨૫૬૭૬૪૧૮ ઈમેઈલ- viramdevgohil4646@gmail.com તેમજ ડૉ.અલ્પેશભાઈ કોતર નંદકુંવરબા મહિલા કોલેજ ભાવનગર મો:  ૯૪૨૯૧૬૦૯૪૬ પર સંપર્ક કરવો.





 

No comments:

Post a Comment