Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

17 June 2022

પાયરોમેનિયા: એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર, જે તરુણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે

પાયરોમેનિયા: એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર, જે તરુણો અને યુવાનોમાં સતત સ્ટ્રેસ અને ભયથી વધ્યો છે



સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરુણો ઍમ કુલ 940 વ્યક્તિઓને રૂબરૂ મળીને સર્વે કર્યો છે. આ સર્વેનું પરિણામ બતાવે છે કે, તરુણો અને યુવાનોમાં પાયરોમેનિયાના લક્ષણો આ લોકડાઉન અને કરફ્યુની સ્થિતિમાં વધ્યા છે
  • 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયંત્રણનો અભાવ જોવા મળ્યો છે
  • 54 ટકા તરુણમાં હળવાથી વધુ લક્ષણો જોવા મળ્યા છે
  • યુવાનો અને તરુણોમાં કરફ્યુમાં પાયરોમેનિયાના લક્ષણો વધ્યા છે
રાજકોટ: કેટલાક તરુણો અને યુવાનોને કારણ વગરની મારામારી કે ગાળાગાળી કરતા આપણે જોયા છે. આ કુસંસ્કાર કરતા માનસિક બીમારી વઘુ છે. કાચ ફોડતી ગેંગ, વાહનની કતાર હોય તેને પાડીને આનંદ લેતા તરુણો, કોઈના ઘરના કાચ તોડવાની વૃત્તિ વગેરે આવેગ નિયઁત્રણ વિકૃતિઓ છે.

છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે

છેલ્લા દોઢ વર્ષમાં યુવાનો અને તરુણોમાં આવેગ નિયંત્રણ વિકૃતિઓ વધી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન.આર. પટેલ અને જાદવ તૌફીકે વાલીઓ, યુવાનો, તરુણો મળીને કુલ 940 વ્યક્તિઓનો સર્વે કર્યો છે. આ સર્વેનું પરિણામ બતાવે છે કે, તરુણો અને યુવાનોમાં પાયરોમેનિયાના લક્ષણો આ લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિમાં વધ્યા છે. 36 ટકા યુવાનોમાં આવેગ પર નિયઁત્રણનો અભાવ જોવા મળ્યો છે, જયારે 54 ટકા તરુણોમાં પાયરોમેનિયાના હળવાથી વઘુ લક્ષણો જોવા મળ્યા છે.

પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે

પાયરોમેનિયા એક આવેગ નિયંત્રણ ડિસઓર્ડર છે, જે પરિણામોને ધ્યાનમાં લીધા વિના હાનિકારક અથવા ગેરકાયદેસર કૃત્ય કરવાની અનિયંત્રિત જરૂરિયાતની હાજરી પાયરોમેનિયાના ધરાવતા વ્યક્તિમાં હોય છે. પાયરોમેનીયાને ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર (ડીએસએમ -5)માં ઇમ્પલ્સ કન્ટ્રોલ ડિસઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. જે આવેગ નિયંત્રણ વિકાર છે.

કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે

જ્યારે કોઈ વ્યક્તિ વિનાશક ઇચ્છા અથવા આવેગનો પ્રતિકાર કરવામાં અક્ષમ હોય છે. કેટલાક લોકો કોઈપણ વસ્તુને દરેક સમયે આગ લગાડવાનું વિચારે છે, તે એક માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર)છે, જેને મનોવિજ્ઞાનમાં પાયરોમેનિયા કહે છે. પરિસ્થિતિ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે આગ લગાડવાનું વિચારે ત્યારે તે શરૂ કરી દે છે.

જે ડિસઓર્ડરથી પીડાય છે તેમના માટે કામ કરવું મજબૂરી બની જાય છે

વિશેષ બાબત એ છે કે, જે લોકો આ ડિસઓર્ડરથી પીડાય છે, તે કામ કરવું તેમના માટે મજબૂરી બની જાય છે. જો તેઓ આ કામ ન કરે અથવા કામ કરવાનું બંધ કરે તો બેચેની, ગભરાહટ, અનિચ્છનીય વિચારો આવવા લાગે છે, તેથી મજબૂરીમાં તે કામ કરે છે અને તે વ્યક્તિ સમજે છે તે કામ કરવું જોખમી હોય શકે છે તેમજ તે કરી રહ્યું છે તે ખોટું છે તે જાણતા હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી અને તક મળે એટલે તરત કંઇપણ બાળી નાખે છે. જો કે, પીડિત વ્યક્તિ વારંવાર એવું નહીં કરે, કરવાના વિચારો તેના મગજ તરફથી મળતા હોય છે.

પાયરોમેનિયા ધરાવતા લગભગ 90 ટકા વ્યક્તિઓ યુવાન પુરુષો છે

- લક્ષણો તરુણાવસ્થા દરમિયાન શરૂ થઈ શકે છે અને પુખ્તાવસ્થા સુધી અથવા ત્યાં સુધી ચાલે છે.
- પાયરોમેનિયાની શરૂઆત 3 વર્ષની ઉંમરે થઈ શકે છે.

પાયરોમેનિયાના કારણો

જે આવેગાત્મક સમસ્યાઓથી પીડાય છે અને વ્યક્તિગત રીતે ભૂતકાળમાં કેટલીક બાબતોને લઈને હતાશા, ચિંતા, ડિપ્રેશનનો ભોગ બનેેલા હોય છે, તેના કારણે વ્યક્તિમાં રોષ પેદા થાય છે. આ અવ્યવસ્થામાં, અસંતોષકારક વ્યક્તિત્વની હાજરી પ્રવર્તતી રહે છે તેમજ સરેરાશથી આઇક્યુ ઓછો હોવો,(જો કે આ બધા કિસ્સાઓમાં સાચું નથી). બાળપણમાં દુર્વ્યવહારનું ભોગ બનવું, જાતીય શોષણનો ભોગ બન્યા હોય, ઉચ્ચ સ્તરે હતાશા, આવેગ નિયંત્રણનો અભાવ, હીનતાભાવ, પોતાના મૂલ્યને વધારવાની તીવ્ર ઈચ્છા, માનસિક અસ્વસ્થ હોવું, મગજના રસાયણો, વધુ સમય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો અથવા આનુવંશિકતાના કેટલાક અસંતુલનને સંબંધિત હોઈ શકે છે.

સંશોધનના આધારે વિવિધ કારણો જાણવા મળે છે

સંશોધનોના આધારે કેટલાંક કારણો જાણવા મળે છે. જેમ કે, ડ્રગ્સનો દુરૂપયોગ, સામાજિક કુશળતા અથવા બુદ્ધિ ખામી, હેતુપૂર્વક એક કરતા વધારે જગ્યા પર આગ લગાડવી, આગ લગાડતા પહેલા તીવ્ર તણાવની સ્થિતિ, આગ લગાડીને અથવા આગ જોઈને આનંદનો અનુભવ કરવો, એક પ્રકારના લાભ મેળવવા (પૈસાની જેમ), વૈચારિક કારણોસર ગુસ્સો અથવા વેર વ્યક્ત કરવા, અન્ય ગુનાહિત કૃત્યને આવરી લેવા, પોતે અન્યથી અલગ છે તેવું બતાવવા, અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર બનવા.

ફ્રન્ટલ લૉબ અને ઓરબીટોફ્રન્ટલ કોર્ટેક્સ વર્તન અવરોધવાની પ્રક્રિયાને અસર કરે છે

ન્યુરોબાયોલોજીકલ સ્તરે જોઈએ તો, મગજમાં રહેલો ન્યુરોટ્રાન્સમીટર્સ જેમકે, સેરોટોનિન અને ડોપમાઇન અને પ્રમાણ ઘટવું, તેવી જ રીતે, આવેગો અને લાગણીઓના સંચાલનને કારણે ટેમ્પોરલ લોબ અને લિમ્બીક સિસ્ટમમાં અવ્યવસ્થા, અને ફ્રન્ટલ લોબ અને ઓર્બિટોફ્રન્ટલ કોર્ટેક્સ જે વર્તન અવરોધવાની પ્રક્રિયાને ખાસ અસર કરે છે.

આવેગ નિયંત્રણ અને મનોચિકિત્સા

આવેગ નિયંત્રણ, આત્મ-નિયંત્રણ કરવુ, મનો-શિક્ષણ, સમસ્યા હલ કરવાની કુશળતા, આંતરવ્યક્તિત્વપૂર્ણ સંચાર વ્યૂહરચના શીખવી અને ક્રોધ, ગુસ્સાનું નિયમન કરવું, સંઘર્ષનું નિરાકરણ જલ્દી લાવવું, કેટલાક કિસ્સાઓમાં, મનોરોગ ચિકિત્સાને ડ્રગ થેરેપી સાથે જોડી ઇમ્પલ્સ નિયંત્રણના અભાવની સારવાર આપવામાં આવે છે.

સારવાર

પિરોમેનીયા એ એક દુર્લભ વિકાર છે. તેમની સારવાર મુખ્યત્વે બોધનાત્મક-વર્તણૂકીય ઉપચાર, મનોવૈજ્ઞાનિક વર્તન સુધારણા તકનીકીઓ, વિરોધાભાસી નિરાકરણ તકનીકીઓ, તણાવના સ્તરની સ્વ-તપાસ અને ડીપ મસલ્સ રિલેક્શન ટેક્નિક, આ તકનીકો વ્યક્તિની સમસ્યાઓનો સામનો કરવામાં મદદરૂપ બને છે અને કેટલીક વખત એન્ટીડિપ્રેસન્ટ્સ, જેમ કે પસંદગીયુક્ત સેરોટોનિન રીઅપપેક ઇન્હિબિટર (એસએસઆરઆઈ) ચિંતા વિરોધી દવાઓ(એસિઓલિઓટીક્સ),એન્ટિપાયલેપ્ટિક દવાઓ આપવી પડે છે તેમજ યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ મદદરૂપ બની રહે છે.

No comments:

Post a Comment